AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meesho Layoffs: મીશોએ 150 કર્મચારીઓની છટણી કરી, વધી શકે છે સંખ્યા

જો કંપનીના પ્રવક્તાનું માનીએ તો મીશો સુપરસ્ટોરની કાર્યક્ષમતા વધારવા માંગે છે જેના કારણે રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવ્યું છે અને તેના કારણે લગભગ 150 કર્મચારીઓને અસર થઈ છે.

Meesho Layoffs: મીશોએ 150 કર્મચારીઓની છટણી કરી, વધી શકે છે સંખ્યા
150 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 7:28 AM
Share

ઈ-કોમર્સ કંપની મીશોએ તાજેતરમાં તેના કરિયાણાના વ્યવસાયને મીશો સુપરસ્ટોર(Meesho Superstore) તરીકે પુનઃસંગઠિત અને રીબ્રાન્ડ કર્યો છે. હવે સમાચાર છે કે કંપનીએ ગ્રોસરી બિઝનેસમાંથી લગભગ 150 કર્મચારીઓની છટણી કરી દીધી છે. લગભગ એક અઠવાડિયા પહેલા કંપનીએ કહ્યું હતું કે તે તેના ભાડાના વ્યવસાયને મુખ્ય એપ્લિકેશન સાથે સંકલિત કરશે જેથી લોકોને એક જ જગ્યાએ તમામ વસ્તુઓ ખરીદવાની સુવિધા મળી શકે. મીશો સુપરસ્ટોર હાલમાં 500 થી વધુ ઉત્પાદનોમાં ડીલ કરે છે જેમાં તાજા ફળો, તાજા શાકભાજી, કરિયાણા, ઘરની સંભાળ અને પેકેજ્ડ ફૂડનો સમાવેશ થાય છે. કંપની દાવો કરે છે કે મીશોની એપમાં કરિયાણાના વ્યવસાયનું એકીકરણ કંપનીના 100 મિલિયન વપરાશકર્તાઓને 36 શ્રેણીઓમાં 87 મિલિયન સક્રિય ઉત્પાદનોને ઍક્સેસ કરવામાં સક્ષમ બનાવશે.

શા માટે 150 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાયા ?

જો કંપનીના પ્રવક્તાનું માનીએ તો મીશો સુપરસ્ટોરની કાર્યક્ષમતા વધારવા માંગે છે જેના કારણે રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવ્યું છે અને તેના કારણે લગભગ 150 કર્મચારીઓને અસર થઈ છે. કંપની દ્વારા આ કર્મચારીઓને સેવેરેન્સ પેકેજ અને આઉટપ્લેસમેન્ટ ઓફર કરવામાં આવે છે, જેથી કંપનીની બહાર તેમના માટે તકો ઊભી કરી શકાય.

400 કર્મચારીઓને થશે અસર!

કેટલાક સૂત્રોએ એમ પણ કહ્યું છે કે મીશોના લગભગ 400 કર્મચારીઓને અસર થશે પરંતુ કંપનીએ તેનો ઇનકાર કર્યો છે. કંપનીનું કહેવું છે કે માત્ર 150 કર્મચારીઓને જ અસર થઈ છે. મીશોના કરિયાણાના વ્યવસાયના પુનર્ગઠનથી વધુ કર્મચારીઓ પર અસર થશે કે કેમ? તે આગામી દિવસોમાં ખબર પડશે.

સોશિયલ મીડિયા પર ટીકા થઇ

મીશોએ કાર્યક્ષમતા વધારવા માટે 150 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હશે પરંતુ કંપનીના આ નિર્ણય પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. લોકો કંપનીના નિર્ણયની ટીકા કરી રહ્યા છે.

એક વ્યક્તિએ તો એમ પણ કહ્યું કે 2022 એ ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે લોકોને નોકરીમાંથી બહાર કાઢવાની ત્રીજી લહેર જેવું છે. મીશોએ એપ્રિલમાં 150 કર્મચારીઓની છટણી કરી હતી, યુનાકેડેમીએ એપ્રિલમાં 600 કર્મચારીઓની છટણી કરી હતી, ફર્લેન્કોએ માર્ચમાં 180 કર્મચારીઓની છટણી કરી હતી, ટ્રેલે માર્ચમાં 300 કર્મચારીઓની છટણી કરી હતી, ઓકે ક્રેડિટે ફેબ્રુઆરીમાં 40 કર્મચારીઓની છટણી કરી હતી અને લિડોએ ફેબ્રુઆરીમાં 200 કર્મચારીઓની છટણી કરી હતી.

આ પણ વાંચો : LIC IPO : નહીં કરવો પડે વધુ ઇંતેજાર, ચાલુ મહિનામાંજ LIC દેશનો સૌથી મોટો IPO લાવી શકે છે

આ પણ વાંચો :  RBI નિયંત્રિત નાણાંકીય બજારના સમયમાં ફેરફાર કરાયો, 18 એપ્રિલથી સવારે 9 વાગ્યે શરૂ થશે કારોબાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Follow Us
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
g clip-path="url(#clip0_868_265)">