AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JOBS : વર્ષ 2022 માં આ કંપની 10 હજાર લોકોની ભરતી કરશે, જાણો વિગતવાર

કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે ઊંચા ડ્રોપઆઉટ રેટ અને લગભગ 2 અબજ ડોલરના ઓર્ડર પાઇપલાઇનને લાગુ કરવા માટે 10,000 ભરતી કરવામાં આવશે.

JOBS : વર્ષ 2022 માં આ કંપની 10 હજાર લોકોની ભરતી કરશે, જાણો વિગતવાર
નોકરીની અઢળક તક આવી રહી છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 7:25 AM
Share

ગ્લોબલ પ્રાઇવેટ ઇકવીટી સેક્ટરની દિગ્ગ્જ કંપની કાર્લાઇલ દ્વારા નિયંત્રિત હેક્સાવેર ટેક્નોલોજીસે(Hexaware Tech) આ વર્ષે 10000 પોસ્ટની ભરતી(Vacancy)ની જાહેરાત કરી છે. કંપનીમાં હાલમાં 25,000 કર્મચારીઓ છે. કંપની ટેક્નોલોજી ક્ષેત્રે વધુ 10,000 લોકોની ભરતી કરશે.

વર્ષ 2022માં 10,000 પ્લેસમેન્ટ કરશે

કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે ઊંચા ડ્રોપઆઉટ રેટ અને લગભગ 2 અબજ ડોલરના ઓર્ડર પાઇપલાઇનને લાગુ કરવા માટે 10,000 ભરતી કરવામાં આવશે. ગયા વર્ષે કાર્લાઈલ ગ્રુપે સોફ્ટવેર કંપની માટે બેરિંગ પ્રાઈવેટ ઈક્વિટી એશિયાને 3 અબજ ડોલરની ઓફર કરી હતી. કંપનીની રચના 1990માં ટેક્નોલોજી દિગ્ગજ અતુલ કે. નિશારે કરી હતી.

વૉશિંગ્ટન સ્થિત પ્રાઇવેટ ઇક્વિટી, વૈકલ્પિક અસ્કયામતો વ્યવસ્થાપન અને નાણાકીય સેવાઓ કંપની કાર્લાઇલે 3 અબજની બીડમાં હેક્સાવેર ટેક્નોલોજીસ હસ્તગત કરી. હવે આ કંપનીમાં નોકરી છોડવાના કારણે માનવ સંસાધનોની સંખ્યા ઓછી હોવાના કિસ્સામાં કંપનીએ નવી ભરતી કરવી પડશે.

હેક્સાવેર ટેક્નોલોજિસના સ્થાપક ચેરમેન નિશેરે 2013માં બેરિંગ પીઇ એશિયાને રૂ. 1,687 કરોડમાં કંપનીનો બહુમતી હિસ્સો વેચ્યો હતો. આ ઉપરાંત 26 ટકા વધુ હિસ્સા માટે વેચાણની ઓફર કરવાની હતી. આમ કુલ ડીલ રૂ. 2,745 કરોડની હતી. નિશારે પાછળથી કંપની છોડી દીધી પરંતુ કાર્લાઈલ સાથેનો સોદો પૂરો થયો ત્યાં સુધી તે ચેરમેન રહ્યા હતા.

Tata Technologies પણ મોટાપાયે ભરતી કરશે

Tata Technologies ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા વર્તમાન નાણાકીય વર્ષ 2022-23 માટે ઓછામાં ઓછા 1,000 લોકોને નોકરી પર રાખશે. આ ઉપરાંત કંપની 12 મહિનાના સમયગાળામાં 3,000 થી વધુ ઇનોવેટર્સને હાયર કરવાની યોજના ધરાવે છે. કંપનીના ટોચના અધિકારીએ આ માહિતી આપી હતી.

FY23 3000 લોકોને રોજગાર આપશે

તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં કંપનીની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અમે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 1,500 લોકોની ભરતી કરી છે. આવા કિસ્સામાં 3,000ની પ્રતિબદ્ધતા થોડી ઓછી છે. અમે નાણાકીય વર્ષ 2022-23માં 3,000 થી વધુ લોકોની ભરતી કરીશું.

પૂછવામાં આવ્યું કે કેટલી વધુ નિમણૂંકો કરવામાં આવશે તે સંદર્ભે હેરિસે કહ્યું, “3,000 થી વધુના સંદ્દર્ભમાં અમે આવતા વર્ષ માટે બિઝનેસ પ્લાન પર કામ કરી રહ્યા છીએ.” પરંતુ મને આશા છે કે અમે 3,000 પર ઓછામાં ઓછા 1,000 વધુ નિમણૂંક કરીશું. ઓટોનોમસ, કનેક્ટેડ, ઇલેક્ટ્રિફિકેશન એન્ડ શેર્ડ (ACES) મોબિલિટી અને ડિજિટલમાં રોકાણને કારણે ટાટા ટેક્નોલોજિસ ઝડપથી વધી રહી છે, કારણ કે ઉત્પાદક કંપનીઓ ગ્રાહકોની નવી જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્નશીલ છે.

આ પણ વાંચો : MONEY9: તમારા વીમાના કાગળો સાચવીને રાખજો, નહીં તો પસ્તાશો, કેવી રીતે ? જુઓ આ વીડિયો

આ પણ વાંચો : MONEY9: એક ચાના ખર્ચમાં સુરક્ષિત કરો તમારા ઘરને, કેવી રીતે ? જુઓ આ વીડિયો

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">