AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરીથી લેવામાં નહીં આવે JEE Mains ની પરીક્ષા, 28 ઓગસ્ટે જ લેવામાં આવશે જેઈઈ એડવાન્સ

જેઈઈ મેઈન્સ 2022માં (Jee Main 2022) બીજી કોઈ તક નહીં મળે. જેઈઈ એડવાન્સ પરીક્ષા 28 ઓગસ્ટે જ લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે.

ફરીથી લેવામાં નહીં આવે JEE Mains ની પરીક્ષા, 28 ઓગસ્ટે જ લેવામાં આવશે જેઈઈ એડવાન્સ
iit jee advanced exam 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2022 | 5:22 PM
Share

આઈઆઈટીમાં એડમિશન માટેની એન્ટ્રેસ પરીક્ષા જેઈઈ એડવાન્સ 2022 ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. તમારી પરીક્ષા સમયસર લેવામાં આવશે. JEE Advanced 2022 પરીક્ષાની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. પૂર્વનિર્ધારિત શેડ્યુલ એટલે કે રવિવાર 28 ઓગસ્ટ 2022ના રોજ આઈઆઈટી જેઈઈ એડવાન્સ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેઈઈ મેઈન્સ 2022માં (JEE Mains 2022) બીજી તકની આશા પણ પૂરી થઈ ગઈ છે. શુક્રવારે 26 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે.

JEE Mains: ટેકનિકલ સમસ્યા પણ કારણ નથી!

સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી કે ઉમેદવારોને જેઈઈ મેન્સ પરીક્ષામાં બીજી તક આપવામાં આવે. અરજદારે કહ્યું કે ટેકનિકલ મુશ્કેલીઓના કારણે તે જેઈઈ મેન્સ 2022ની પરીક્ષામાં 50 સવાલોનો અટેમ્પ્ટ કરી શક્યા નથી. આ ટેકનિકલ ખામી ઉમેદવારની ભૂલ ન હતી. પરંતુ કેન્દ્રની મુશ્કેલીનો સામનો વિદ્યાર્થીઓને સહન કરવો પડ્યો હતો. તેથી ઉમેદવારને વધુ એક તક મળવી જોઈએ, જેથી તેમને ન્યાય મળી શકે.

પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ પરીક્ષામાં વધુ જટિલતા ઉભી કરવા માંગતા નથી. જાહેર પરીક્ષાઓની નિયમિતતા બનાવવી પડશે. વિદ્યાર્થીઓ કોર્ટમાં જાય છે. IIT JEE 2022 એડવાન્સ પરીક્ષા સમયસર યોજવા દો.

લાખો લોકોએ આપી JEE Mainની પરીક્ષા, ઘણા સેન્ટર્સ પર ટેકનિકલ ખામી

આ વર્ષે જેઈઈ મેઈનની પરીક્ષા બે સત્રમાં લેવામાં આવી હતી. આ બંને સત્રોની પરીક્ષા જૂન અને જુલાઈમાં લેવામાં આવી હતી. પરંતુ બંને પરીક્ષામાં દેશભરના વિવિધ કેન્દ્રો પર તકનીકી ખામીઓ અને સમસ્યાઓની ફરિયાદો મળી હતી. ઘણા વિદ્યાર્થીઓને આ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને તેનો ભોગ બનવું પડ્યું હતું. આ વિશે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

NTA દ્વારા જેઈઈ મેઇનની પરીક્ષા લેવામાં આવી હતી. 9 લાખ લોકોએ એપ્લાય કર્યું હતું. JEE Mains Result પણ આવી ગયું છે. ટોપ 2.6 લાખ ઉમેદવારો જેઈઈ એડવાન્સ પરીક્ષા માટે ક્વોલિફાય છે. પરંતુ તેમાંથી માત્ર 1.6 લાખ જ એડવાન્સ માટે રજિસ્ટર છે. જેઈઈ એડવાન્સ પરીક્ષા 2022 બે દિવસ પછી 28 ઓગસ્ટે યોજાવાની છે. જો કોર્ટ જેઈઈ મેઈનમાં બીજી તક આપવા માટે સંમત થઈ હોત, તો એડવાન્સ્ડની તારીખ બદલાઈ ગઈ હોત.

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">