JEE Advanced Exam 2021: કોવિડ-19 મહામારીની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને IITમાં એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં પ્રવેશ માટે સૂચિત સંયુક્ત પ્રવેશ પરીક્ષા JEE (Advanced) 2021 (JEE Advanced Exam 2021) મુલતવી રાખવામાં આવી છે. JEE (Advanced) ની સત્તાવાર વેબસાઇટ પર આ માહિતી આપવામાં આવી છે. આ પરીક્ષા 3 જુલાઈ 2021 ના રોજ નક્કી કરવામાં આવી હતી.
JEE (Advanced) ની સંપૂર્ણ માહિતી સત્તાવાર વેબસાઇટ- jeeadv.ac.in પર એક નોટિસ દ્વારા આપવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ” કોવિડ-19 ને કારણે મહામારીની વર્તમાન સ્થિતિને કારણે JEE (Advanced) 2021 મોકૂફ રાખવામાં આવી છે,” પ્રવેશ પરીક્ષા માટેની સુધારેલી તારીખો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે તેમ પણ કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ પરીક્ષા 3 જુલાઈ 2021 ના રોજ નક્કી કરવામાં આવી હતી.
JEE મુખ્ય પરીક્ષા (JEE Main Exam 2021) માં લાયકાત ધરાવતા અઢી લાખ ઉમેદવારો JEE એડવાન્સ (JEE Advanced Exam 2021) માટે અરજી કરી શકે છે. જેઇઇ એડવાન્સમાં બે પેપર હોય છે, પેપર એક પરીક્ષા સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી લેવાની હતી. બીજા પેપર માટેની પરીક્ષા બપોરે 2.30 થી સાંજે 5.30 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી હતી.
દેશના 23 IIT માં બેચલર, ઇન્ટિગ્રેટેડ માસ્ટર્સ અને ડ્યુઅલ ડિગ્રી કોર્ષમાં જેઈઇ એડવાન્સ દ્વારા પ્રવેશ આપવામાં આવે છે. IIT ખડગપુર, IIT કાનપુર, IIT મદ્રાસ, IIT દિલ્હી, IIT બોમ્બે, IIT ગુવાહાટી અને IIT રૂડકી એવા સાત IIT છે, જ્યાં આ પરીક્ષા પાસ કર્યા પછી કોઈ પ્રવેશ મેળવી શકે છે.
ખડગપુર IIT એ અગાઉ તેની સત્તાવાર વેબસાઇટ પર IIT Entrance Exam નો અભ્યાસક્રમ પ્રકાશિત કર્યો હતો. જેઇઇ એડવાન્સ 2021 માટેની મોક પરીક્ષા સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. આઇટીટીમાં પ્રવેશ માટેની પ્રાથમિક લાયકાત Physics, Chemistry, Mathematics અને એક ભાષા અને અન્ય કોઈ વિષયની 12 મા ધોરણની પરીક્ષામાં પાસ હોવું જરૂરી છે. કોવિડ-19 ઓવરડોઝને ધ્યાનમાં રાખીને આ વર્ષે પાત્રતાના 80 ટકા માપદંડને દૂર કરવામાં આવ્યા છે.