એરફોર્સમાં અગ્નિવીરોની ભરતી, આ દિવસથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો કેવી રીતે ભરાશે ફોર્મ
ભારતીય વાયુસેનામાં અગ્નિપથ યોજના હેઠળ ભરતી થવાની છે. આ માટે, તમે સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર અરજી કરી શકો છો.
ભારતીય વાયુસેનાએ (Indian Air Force) અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. અગ્નિપથ યોજના હેઠળ જાન્યુઆરી 2023 બેચ માટે અગ્નિવીરોની ભરતી થવા જઈ રહી છે. એરફોર્સમાં ભરતી માટે 17.5 વર્ષથી 23 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે. ભારતીય વાયુસેનામાં ભરતી માટેની અરજી પ્રક્રિયા 7 નવેમ્બર 2022થી શરૂ થશે, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર છે. સત્તાવાર સૂચના અનુસાર, અગ્નિવીર માટે ઓનલાઈન પરીક્ષા 18થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન લેવામાં આવશે.
અગ્નિપથ યોજના હેઠળ યુવાનોને એરફોર્સમાં અરજી કરવાની તક આપવામાં આવશે. આ યોજના હેઠળ યુવાનોને ચાર વર્ષ સુધી એરફોર્સમાં સેવા કરવાની તક મળશે. ચાર વર્ષની સેવા પછી ઉમેદવારોને મોટી રકમ આપવામાં આવશે. આ સિવાય તેમને અગ્નિવીર કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. સેવા દરમિયાન અગ્નિવીરોને દર વર્ષે 30 દિવસની રજા પણ આપવામાં આવશે. આ સિવાય તેમને તબીબી સલાહના આધારે બીમારીની રજા આપવામાં આવશે.
પાત્રતા માપદંડ શું છે?
- તમારે ધોરણ 12માં ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીમાં ઓછામાં ઓછા 50% અને અંગ્રેજીમાં 50% ગુણ હોવા જોઈએ.
- એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. તેમને 50% ગુણ હોવા જોઈએ
- જે ઉમેદવારોએ ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે બે વર્ષનો વ્યાવસાયિક અભ્યાસક્રમ કર્યો છે તેમને પણ અરજી કરવાની તક મળશે.
- અગ્નિવીર માટે અરજી કરનારા ઉમેદવારોની ઊંચાઈ 152.5 સેમી હોવી જોઈએ.
કેવી રીતે કરવી અરજી?
- એરફોર્સમાં અરજી કરવા માટે, સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર જાઓ.
- હોમપેજ પર તમારે Apply Online પર ક્લિક કરવાનું રહેશે.
- ઉમેદવારોએ પહેલા સાઇન ઇન કરવું પડશે.
- સાઇન અપ કર્યા પછી તમને લોગિન અને પાસવર્ડ મળશે.
- તમારે લોગિન-પાસવર્ડ દ્વારા અરજી ફોર્મ ભરવાનું રહેશે.
- છેલ્લે અરજી ફી ભરીને ફોર્મ સબમિટ કરો
ઉમેદવારોને કહેવામાં આવે છે કે અરજી ફી રૂ 250 છે અને તે ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ દ્વારા ભરી શકાય છે. Official Notification of Indian Airforce Agniveers Agnipath Vayu