AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IDBI Bank Recruitment 2022 : બેંકમાં નોકરી શોધી રહ્યા છો? IDBI Bank 1500 થી વધુ જગ્યાઓ માટે ભરતી કરી રહી છે, જાણો વિગતવાર

સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવું જરૂરી છે. ભારતની અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈપણ સમકક્ષ લાયકાત હોવી જોઈએ. માત્ર ડિપ્લોમા કોર્સ પાસ કરવાને પાત્રતાના માપદંડ તરીકે ગણવામાં આવશે નહીં.

IDBI Bank Recruitment 2022 : બેંકમાં નોકરી શોધી રહ્યા છો? IDBI Bank 1500 થી વધુ જગ્યાઓ માટે ભરતી કરી રહી છે, જાણો વિગતવાર
IDBI Bank Recruitment 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 8:17 AM
Share

IDBI Bank Recruitment 2022: ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (IDBI) માં બમ્પર વેકેન્સી નીકળી છે. IDBI એ એક્ઝિક્યુટિવ અને આસિસ્ટન્ટ મેનેજર (કોન્ટ્રાક્ટ) ની જગ્યા પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ્સ માટે ભરતી અખિલ ભારતીય ધોરણે થશે. ઉમેદવારોની પસંદગી માટે બેંક જુલાઈ મહિનામાં ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરશે. પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ એટલે કે idbibank.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તમને જણાવી દઈએ કે ઉમેદવારો 17 જૂન 2022 સુધી નોંધણી કરાવી શકે છે. IDBI વર્ષ 2022-23 માટે એક્ઝિક્યુટિવ અને આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ ‘A’ ની જગ્યાઓ માટે કુલ 1544 જગ્યાઓ પર ભરતી કરશે. એક્ઝિક્યુટિવ માટેની ઓનલાઈન પરીક્ષા 09 જુલાઈ 2022ના રોજ અને આસિસ્ટન્ટ મેનેજર માટે 23 જુલાઈ 2022ના રોજ નક્કી કરવામાં આવી છે.

IDBI Bank Recruitment 2022 માટે અગત્યની તારીખો

  • IDBI ઓનલાઈન નોંધણીની શરૂઆત : 03 જૂન 2022
  • IDBI ઓનલાઈન નોંધણીની છેલ્લી તારીખ: 17 જૂન 2022
  • IDBI એક્ઝિક્યુટિવ પરીક્ષા તારીખ: 09 જુલાઈ 2022
  • IDBI આસિસ્ટન્ટ મેનેજર પરીક્ષા તારીખ: 23 જુલાઈ 2022

IDBI Bank Recruitment 2022 ની ખાલી જગ્યાની વિગતો

એક્ઝિક્યુટિવ – 1044 (UR-418, SC-175, ST-79, EWS-104, PH- 41) સ્નાતક આસિસ્ટન્ટ મેનેજર (PGDBF) – 500 (UR-200, SC-121, ST-28, OBC-101, EWS-50, PH-20)

IDBI Bank Recruitment 2022 એક્ઝિક્યુટિવ અને આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ માટે યોગ્યતા

સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવું જરૂરી છે. ભારતની અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈપણ સમકક્ષ લાયકાત હોવી જોઈએ. માત્ર ડિપ્લોમા કોર્સ પાસ કરવાને પાત્રતાના માપદંડ તરીકે ગણવામાં આવશે નહીં. બેંક ઉમેદવારોની પસંદગી માટે ઓનલાઈન પરીક્ષા થશે. ઉમેદવારોએ 1000 રૂપિયાની નિયત અરજી ફી પણ ચૂકવવી પડશે. જોકે, SC, ST અને અલગ-અલગ-વિકલાંગ ઉમેદવારો માટે અરજી ફી 200 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

સત્તાવાર નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો 

Sarkari Naukri : પશ્ચિમ રેલવે 3600 થી વધુ લોકોની કરી રહી છે ભરતી

RRC Railway Apprentice Recruitment 2022: સરકારી નોકરીઓ (Sarkari Naukri)શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય રેલ્વે રોજગારીની તક આપી રહ્યું છે. પશ્ચિમ રેલ્વે(Western Railway)એ એપ્રેન્ટિસની જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ખાલી જગ્યા હેઠળ કુલ 3612 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે અરજી કરવા માંગતા તમામ ઉમેદવારોએ નોંધ લેવી કે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ rrc-wr.com પર જઈને લૉગિન કરવું પડશે. રેલ્વે દ્વારા જાહેર કરાયેલ બમ્પર ભરતીમાં ઉમેદવારોની પસંદગી પરીક્ષા વગર સીધા ધોરણ 10 ના માર્ક્સના આધારે કરવામાં આવશે.

વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">