CBSE 12th Accountancy: CBSE ધોરણ-12ના વિદ્યાર્થીઓને એકાઉન્ટન્સીમાં 6 ગ્રેસ માર્ક્સ આપશે? જાણો બોર્ડે શું કહ્યુ

CBSE 12th Accountancy: CBSE ધોરણ 12 ની ટર્મ 1 પરીક્ષામાં, એકાઉન્ટન્સી માટે વિદ્યાર્થીઓને 6 માર્ક્સ સુધીના ગ્રેસ માર્ક્સ આપશે તેવી વાતો ચાલી રહી છે. આ અંગે બોર્ડે સાચી માહિતી આપી છે.

CBSE 12th Accountancy: CBSE ધોરણ-12ના વિદ્યાર્થીઓને એકાઉન્ટન્સીમાં 6 ગ્રેસ માર્ક્સ આપશે? જાણો બોર્ડે શું કહ્યુ
CBSC Notice
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 3:09 PM

CBSE ધોરણ 12ના વિદ્યાર્થીઓ(Standard 12th students) માટે અગત્યના સમાચાર મળ્યા છે. ઘણા મીડિયા અહેવાલો(Media reports)માં, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ટર્મ 1 એકાઉન્ટન્સી(Accountancy) પરીક્ષામાં ગ્રેસ માર્ક્સ(Grace Marks) આપવાનું કહેવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે CBSE બોર્ડ પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે શાળાના આચાર્યોને એક ઓડિયો સંદેશ મોકલીને આ માહિતી આપી છે. પરંતુ CBSE બોર્ડે આ અહેવાલોને ફગાવી દીધા છે. આ સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો સહિત તમામ હિતધારકોને ફેક ન્યૂઝ સામે ચેતવણી આપવામાં આવી છે. જાણો બોર્ડ (CBSE બોર્ડ)એ શું કહ્યું…

CBSEએ ગ્રેસ માર્ક્સની વાતને નકારી

હવે CBSE બોર્ડે એક નોટિસ જારી કરી છે જેમાં અલગ-અલગ રિપોર્ટમાં કરવામાં આવેલા આ દાવાઓને નકલી કહેવામાં આવ્યા છે. બોર્ડે કહ્યું છે કે CBSE પરીક્ષા નિયંત્રકના આ ઓડિયો સંદેશાઓ અને ગ્રેસ માર્ક્સ અંગે વાયરલ થઈ રહેલા સમાચારો સંપૂર્ણપણે ખોટા છે. સીબીએસઈએ આવો કોઈ નિર્ણય લીધો નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગ્રેસ માર્કસ પર શું અહવાલો હતા?

અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતુ કે ‘CBSE એ કહ્યું છે કે ધોરણ 12 માં એકાઉન્ટન્સી પરીક્ષા (ટર્મ 1) માં પૂછવામાં આવેલા પ્રશ્નોમાં કેટલીક ભૂલોને કારણે વિદ્યાર્થીઓને થતી મૂંઝવણને ધ્યાનમાં રાખીને, બોર્ડ દ્વારા 6 માર્કસ સુધી ગ્રેસ માર્કસ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આચાર્યોને મોકલવામાં આવેલા ઓડિયો સંદેશમાં સંયમ ભારદ્વાજે કહ્યું છે કે વિદ્યાર્થીઓને પરેશાન ન થવું જોઈએ. જો તમે 28 થી 31 પ્રશ્નોનો યોગ્ય રીતે પ્રયાસ કર્યો છે, તો તમને 38 ગુણ મળશે. CBSE 5 થી 6 માર્કસના ગ્રેસ માર્કસ આપશે.

એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ‘CBSE કંટ્રોલર ઑફ એક્ઝામિનેશને કબૂલ્યું છે કે વર્ગ 12 એકાઉન્ટન્સીમાં પ્રશ્ન નંબર 10 આન્સર-કીમાં એકદમ સાચો છે, જ્યારે પ્રશ્ન નંબર 47 વિવાદિત છે’.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘સંયમ ભારદ્વાજે CBSE ધોરણ 12 એકાઉન્ટન્સીના પ્રશ્નપત્રને વિદ્યાર્થીઓ માટે શૉક ગણાવ્યો છે. સીબીએસઈના સેમ્પલ પેપરમાં 55માંથી 45 પ્રશ્નો ઉકેલવાની સૂચના હતી. જ્યારે પરીક્ષામાં વિદ્યાર્થીઓને 48માંથી 40 પ્રશ્નોના જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. પેટર્નમાં આ અચાનક બદલાવ વિદ્યાર્થીઓ માટે ચોંકાવનારો હતો. આ ઉપરાંત પ્રશ્નપત્રમાં સૂચનાઓ પણ યોગ્ય રીતે આપવામાં આવી ન હતી.

આ પણ વાંચોઃ નવસારીના જશ શાહ અને સિદ્ધ લાડની કેનેડા ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી, ટીમનો કેપ્ટન પણ મૂળ ગુજરાતી

આ પણ વાંચોઃ એક સમય પર વ્લાદિમીર પુતિનને ટેક્સી ચલાવવાની ફરજ પડી હતી! રશિયન રાષ્ટ્રપતિએ પરિસ્થિતિ વિશે કરી વાત

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">