VI ના ગ્રાહકો માટે ચિંતાના સમાચાર, કંપની દેવું ચુકવવામાં નિષ્ફ્ળ જશે તો આવતા મહિને તમારા મોબાઈલ ઠપ્પ થી શકે છે

જૂન ક્વાર્ટરમાં વોડાફોનને બિઝનેસ એક્ટિવિટી સંબંધિત ચૂકવણી વધીને લગભગ 15 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. આમાં ટાવર કંપનીઓને ચૂકવણી, વિક્રેતાઓ અને અન્ય સપ્લાયરોને ચૂકવણીનો સમાવેશ થાય છે. કંપની હાલમાં ડેટ અને ઇક્વિટી દ્વારા 20 હજાર કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે

VI ના ગ્રાહકો માટે ચિંતાના સમાચાર, કંપની દેવું ચુકવવામાં નિષ્ફ્ળ જશે તો આવતા મહિને તમારા મોબાઈલ ઠપ્પ થી શકે છે
your mobiles may be not working from next month
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 9:11 AM

જો તમે વોડાફોન આઈડિયા(Vodafone Idea Ltd)ના ગ્રાહક છો, તો નવેમ્બરથી તમને કનેક્ટિવિટી સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ટાવર સર્વિસ કંપની ઈન્ડસ ટાવરએ વોડાફોન આઈડિયાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કંપની તેનું બાકી બિલ જલ્દી નહિ ચૂકવે તો તે નવેમ્બરથી તેના ટાવરનો ઉપયોગ અટકાવી દેશે. જો આવું થાય છે તો વોડાફોન આઈડિયાના ગ્રાહકો નવેમ્બરથી કનેક્ટિવિટી મેળવી શકશે નહીં એટલે કે તેઓ મોબાઈલ કૉલથી લઈને ઈન્ટરનેટ સુધીની સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં. હાલમાં વોડાફોન પર ટાવર કંપનીઓનું રૂ. 10,000 કરોડનું દેવું છે જેમાંથી ઇન્ડસ ટાવરનો હિસ્સો રૂ. 7 હજાર કરોડ છે.

ઇન્ડસ ટાવર લેણાંની ચુકવણી માટે સમયમર્યાદા નક્કી કરી

એક મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ઇન્ડસ ટાવરે વોડાફોન આઇડિયાને લેણાં ચૂકવવા કરવા ભારપૂર્વક જણાવ્યું છે. કંપનીની બોર્ડ મીટિંગમાં વધતા લેણાંને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને એવું જાણવા મળ્યું હતું કે તેમાં વોડાફોન આઈડિયાનો સૌથી મોટો હિસ્સો છે. જે બાદ ઈન્ડસ ટાવરે વોડાફોન આઈડિયાને ઓક્ટોબર સુધીમાં સમગ્ર લેણાં ક્લિયર કરવા કહ્યું છે. જૂન ક્વાર્ટરના પરિણામોમાં ઇન્ડસ ટાવરનો નફો 66 ટકા ઘટીને રૂ. 477 કરોડ થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન તેને લગભગ 6200 કરોડ રૂપિયા મળવાના હતા પરંતુ તે મળ્યા નથી જેના કારણે તેનો નફો ઘટી ગયો છે. વધતા લેણાંને કારણે ઇન્ડસ ટાવર્સને રૂ. 1,200 કરોડની જોગવાઈ કરવી પડી છે જેના કારણે કંપની પર દબાણ વધ્યું છે.

વોડાફોનની હાલત ખરાબ

જૂન ક્વાર્ટરમાં વોડાફોનને બિઝનેસ એક્ટિવિટી સંબંધિત ચૂકવણી વધીને લગભગ 15 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. આમાં ટાવર કંપનીઓને ચૂકવણી, વિક્રેતાઓ અને અન્ય સપ્લાયરોને ચૂકવણીનો સમાવેશ થાય છે. કંપની હાલમાં ડેટ અને ઇક્વિટી દ્વારા 20 હજાર કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હજુ સુધી તેને આમાં સફળતા મળી નથી. જૂનના અંત સુધીમાં વોડાફોન આઈડિયા પર કુલ દેવું રૂ. 1.98 લાખ કરોડ હતું. જેમાંથી સ્પેક્ટ્રમ સંબંધિત 1.16 લાખ કરોડ રૂપિયાનું દેવું પણ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

દેવાથી ડૂબેલી વોડાફોન-આઇડિયા લિમિટેડ (VIL) માને છે કે 4G સેવાઓની સરખામણીમાં 5G ડેટા પ્લાન્સ માટેના ચાર્જીસ વધારે રાખવામાં આવશે. વીઆઈએલએ ગત મહિને જણાવ્યું હતું કે કંપનીએ તાજેતરમાં યોજાયેલી 5જી સ્પેક્ટ્રમની હરાજી માટે મોટું રોકાણ કર્યું છે. તેથી 5G સેવાઓના ડેટા પ્લાન માટે વધુ ચાર્જ રાખવા જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષના અંત સુધીમાં તમામ પ્રકારની ટેલિકોમ સેવાઓ માટેના શુલ્કમાં વધારો કરવામાં આવશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">