AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું PPF સહિતની નાની બચત યોજનાઓ પર વ્યાજ દર ઘટી જશે? જાણો શું કહ્યું RBI એ

RBIની ગણતરી મુજબ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે PPF પર વ્યાજ દર 6.63 ટકા હોવો જોઈએ જે હાલમાં PPF પર વ્યાજ દર 7.10 ટકા છે.

શું PPF સહિતની નાની બચત યોજનાઓ પર વ્યાજ દર ઘટી જશે? જાણો શું કહ્યું RBI એ
Shaktikanta Das (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 8:39 AM
Share

ચાલુ મહિનામાં રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની મહત્વની બેઠક મળી હતી. RBI MPC દ્વારા ગયા અઠવાડિયે જારી કરાયેલી નોંધ અનુસાર ભારતીય રિઝર્વ બેંકે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સહિત તમામ નાની બચત યોજનાઓ માટે વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું સૂચન કર્યું છે. આરબીઆઈની ગણતરી મુજબ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે PPF પર વ્યાજ દર 6.63 ટકા હોવો જોઈએ જે હાલમાં PPF પર વ્યાજ દર 7.10 ટકા છે.

RBIએ કહ્યું કે કેન્દ્ર સરકારે છેલ્લા છ ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ કારણે સરકાર 47-178 બેસિસ પોઈન્ટ વધુ વ્યાજ ચૂકવી રહી છે. આરબીઆઈની ગણતરી મુજબ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ માટે વર્તમાન વ્યાજ દર 6.14 ટકા હોવો જોઈએ જે 6.80 ટકા છે.

PPF પર વ્યાજ દર 6.63 ટકા હોવો જોઈએ RBIના ડેટા અનુસાર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે પીપીએફ પર વ્યાજ દર 6.63 ટકા હોવું જોઈએ જે 7.10 ટકા છે. 1 વર્ષની મુદતની ટર્મ ડિપોઝીટ માટે વ્યાજ દર 3.72 ટકા હોવું જોઈએ જે 5.50 ટકા છે. આ 1.78 ટકા વધુ છે. વ્યાજ દર 2 વર્ષ માટે 4.23 ટકા, 3 વર્ષ માટે 4.74 ટકા અને 5 વર્ષ માટે 6.01 ટકા હોવો જોઈએ. હાલમાં વ્યાજ દરો 5.50 ટકા, 5.50 ટકા અને 6.70 ટકા છે. આરબીઆઈની ગણતરી મુજબ તે અનુક્રમે 1.27 ટકા, 0.76 ટકા અને 0.69 ટકા વધુ છે.

રિકરિંગ ડિપોઝિટ પર 1.06 ટકા વધુ વ્યાજ રિકરિંગ ડિપોઝિટ માટે વ્યાજ દર 4.74 ટકા હોવું જોઈએ જે 5.80 ટકા છે. આ 1.06 ટકા વધુ છે. મન્થલી ઇન્કમ યોજના માટે વ્યાજ દર 5.98 ટકા હોવું જોઈએ જે 6.60 ટકા છે. આ 0.62 ટકા વધુ છે. કિસાન વિકાસ પત્ર માટે વ્યાજ દર 6.38 ટકા હોવું જોઈએ જે હવે 6.90 ટકા છે. આ 0.52 ટકા વધુ છે. સુકન્યા સમૃદ્ધિ યોજના માટે વ્યાજ દર 7.13 ટકા હોવો જોઈએ જે 7.60 ટકા છે. આ 0.47 ટકા વધુ છે.

આ પણ વાંચો : Bank Holidays in November 2021 : દિવાળીના તહેવાર સહીત નવેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે? રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

આ પણ વાંચો :  Air India – Tata ડીલ ઉપર લાગી અંતિમ મહોર, 18000 કરોડ રૂપિયાના કરારના શેર પરચેઝ એગ્રીમેન્ટ પર થયા હસ્તાક્ષર

Follow Us
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
g clip-path="url(#clip0_868_265)">