AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India – Tata ડીલ ઉપર લાગી અંતિમ મહોર, 18000 કરોડ રૂપિયાના કરારના શેર પરચેઝ એગ્રીમેન્ટ પર થયા હસ્તાક્ષર

આ ડીલમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ આર્મ AISATS નું વેચાણ પણ સામેલ છે. 2003-04 પછી આ પ્રથમ ખાનગીકરણ છે.

Air India - Tata ડીલ ઉપર લાગી અંતિમ મહોર, 18000 કરોડ રૂપિયાના કરારના  શેર પરચેઝ એગ્રીમેન્ટ પર થયા હસ્તાક્ષર
Air India - Tata deal finalized
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 7:15 AM
Share

સોમવારે સરકારી માલિકીની ઉડ્ડયન કંપની એર ઈન્ડિયા(Air India)ના વેચાણ માટે ટાટા સન્સ(Tata Sons) સાથે શેર પરચેઝ એગ્રીમેન્ટ(share purchase agreement) પર હસ્તાક્ષર થયા છે. ટાટા સન્સને એર ઈન્ડિયામાં પરત ફરતા કુલ 68 વર્ષ લાગ્યા છે. વર્ષ 1953 માં ભારત સરકારે ટાટા સન્સ પાસેથી એર ઈન્ડિયામાં માલિકી ખરીદી હતી. ૬૮ વર્ષ બાદ બંને પક્ષ વચ્ચે ડીલનું પુનરાવર્તન થયું છે તેમ કહી શકાય

શેર પરચેઝ એગ્રીમેન્ટ શું છે? નિષ્ણાતો નિર્દેશ કરે છે કે શેર પરચેઝ એગ્રીમેન્ટ વેચનાર અને ખરીદનાર વચ્ચે થાય છે. તે કાનૂની કરાર છે. આ કરાર કિંમત સાથે ખરીદી અને વેચાણની સંપૂર્ણ માહિતી પ્રદાન કરે છે. આ કરાર વેચાણનો સંદર્ભ આપે છે અને જણાવે છે કે કઈ શરતો પર પરસ્પર સંમત થયા હતા.

આ મહિનાની શરૂઆતમાં સરકારે સોલ્ટ-ટુ-સોફ્ટવેર ગ્રૂપ હોલ્ડિંગ કંપની ટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 2,700 કરોડની રોકડ ચૂકવણી કરવા અને એરલાઇન્સ પાસેથી રૂ 15,300 કરોડથી વધુ ઉધાર લેવાની દરખાસ્ત સ્વીકારી હતી.

એર ઈન્ડિયા ડીલમાં શું સામેલ છે? આ ડીલમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ આર્મ AISATS નું વેચાણ પણ સામેલ છે. 2003-04 પછી આ પ્રથમ ખાનગીકરણ છે.

એર ઈન્ડિયા સ્થાનિક એરપોર્ટ પર 4,480 અને આંતરરાષ્ટ્રીય સ્તરે 2,738 લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ ધરાવે છે. ઉપરાંત કંપની પાસે વિદેશી એરપોર્ટ પર પાર્કિંગ માટે લગભગ 900 સ્લોટ છે.આ સ્લોટ્સ આંતરરાષ્ટ્રીય બજાર અને ફ્લાઈટ્સ સુધી કંપનીની ઍક્સેસનું વર્ણન કરે છે જ્યારે એર ઈન્ડિયાની પેટાકંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ દર અઠવાડિયે 665 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.

એર ઈન્ડિયાની સફર એર ઈન્ડિયાની સ્થાપના 1932માં ટાટા એર સર્વિસ તરીકે થઈ હતી જેનું નામ બદલીને ટાટા એરલાઈન્સ રાખવામાં આવ્યું હતું. એરલાઇનની શરૂઆત ભારતીય બિઝનેસના દિગ્ગજ નેતા જેઆરડી ટાટા દ્વારા કરવામાં આવી હતી.

એપ્રિલ 1932માં ટાટાએ ઈમ્પિરિયલ એરવેઝ માટે મેલ ડિલિવરી કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો હતો.આ બાદ ટાટા સન્સે બે સિંગલ એન્જિન એરક્રાફ્ટ સાથે તેના ઉડ્ડયન કારોબારની સ્થાપના કરી હતી. 15 ઓક્ટોબર 1932ના રોજ ટાટાએ કરાચીથી બોમ્બે માટે એર મેલ એરક્રાફ્ટ ઉડાન ભરી હતી.

આ વિમાન મદ્રાસ સુધી ગયું હતું જેના પાઇલોટ રોયલ ફોર્સના ભૂતપૂર્વ પાઇલટ નેવિલ વિન્ટસેન્ટ હતા. વિન્ટસેન્ટ ટાટાના મિત્ર પણ હતા. શરૂઆતમાં કંપની સાપ્તાહિક એરમેલ સેવાનું સંચાલન કરતી હતી જે કરાચી અને મદ્રાસ વચ્ચે અને અમદાવાદ અને બોમ્બે થઈને ચાલતી હતી.

તેના પછીના વર્ષમાં એરલાઈને 260,000 કિલોમીટર ઉડાન ભરી હતી. પ્રથમ વર્ષમાં 155 મુસાફરોએ મુસાફરી કરી અને 9.72 ટન ટપાલ અને રૂ 60,000 નો નફો મેળવ્યો હતો.

21 ફેબ્રુઆરી, 1960ના રોજ એર ઈન્ડિયા ઈન્ટરનેશનલે તેનું પ્રથમ બોઈંગ 707-420 ફ્લાઇટમાં ઉમેર્યું હતું. એરલાઈને 14 મે 1960ના રોજ ન્યૂયોર્ક માટે સેવા શરૂ કરી હતી.

8 જૂન, 1962ના રોજ એરલાઇનનું નામ સત્તાવાર રીતે બદલીને એર ઇન્ડિયા કરવામાં આવ્યું હતું. 11 જૂન, 1962ના રોજ એર ઈન્ડિયા વિશ્વની પ્રથમ ઓલ-જેટ એરલાઈન બની.

વર્ષ 2000માં એર ઈન્ડિયાએ ચીનના શાંઘાઈ માટે સેવાઓ શરૂ કરી હતી. 23 મે 2001ના રોજ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કંપનીના તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર માઈકલ મસ્કરેન્હાસ સામે ભ્રષ્ટાચારનો આરોપ નક્કી કર્યો હતો. વર્ષ 2007માં એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સ એર ઈન્ડિયા લિમિટેડ સાથે મર્જ થઈ ગઈ હતી.

આ પણ વાંચો :  ખુશખબર : ટાટા સ્ટીલ કંપનીનો મોટો નિર્ણય, હવે કર્મચારીઓ તેમના બાળકો અને આશ્રિતોને નોકરી ટ્રાન્સફર કરી શકશે

આ પણ વાંચો : Paytm IPO ને SEBI ની મંજૂરીના આનંદના સમાચાર મળતા જ સ્થાપક કર્મચારીઓની વચ્ચે નાચી ઉઠ્યા, જુઓ વીડિયો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">