AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં ટૂંક સમયમાં Cryptocurrency કાયદો આવશે? Virtual Currency દેશ માટે ખતરો બનવાના ભય વચ્ચે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે ક્રિપ્ટોકરન્સીને મંજૂરી આપવા સામેના તેમના મંતવ્યો પુનરોચ્ચાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ કોઈપણ નાણાકીય સિસ્ટમ માટે ગંભીર ખતરો છે કારણ કે તેઓ કેન્દ્રીય બેંકો દ્વારા નિયંત્રિત નથી.

ભારતમાં ટૂંક સમયમાં Cryptocurrency કાયદો આવશે? Virtual Currency દેશ માટે ખતરો બનવાના ભય વચ્ચે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક
Prime Minister Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 9:03 AM
Share

ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency)માં રોકાણ પર જંગી વળતરના ભ્રામક દાવા અંગેની ચિંતાઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આ મુદ્દે આવશ્યક પગલાં ભરવા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. સરકારી સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા અનિયંત્રિત બજારોને મની લોન્ડરિંગ (Money Laundering) અને આતંકવાદી ધિરાણ(terrorism funding)નો સ્ત્રોત બનવાની મંજૂરી આપી શકાય નહીં.

સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં ભારપૂર્વક કહેવાયું હતું કે અતિશયોક્તિભર્યા વચનો અને બિનપારદર્શક જાહેરાતો દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો બંધ કરવા જરૂરી છે. તેમણે સંકેત આપ્યો હતો કે ટૂંક સમયમાં આ અંગે મજબૂત નિયમનકારી પગલાં લેવામાં આવશે.

સરકાર નજર રાખવા માટે ટેક્નોલોજી વિકસાવી રહી છે એક સૂત્રએ જણાવ્યું કે, સરકાર વાકેફ છે કે આ એક વિકસતી ટેકનોલોજી છે. તે આના પર નજીકથી નજર રાખશે અને જરૂરી પગલાં લેશે. સરકાર દ્વારા આ ક્ષેત્રમાં લેવાયેલા પગલાઓ પ્રગતિશીલ અને આગળની વિચારસરણીના હશે તે અંગે પણ સહમતિ સધાઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર નિષ્ણાતો અને અન્ય હિતધારકો સાથે સક્રિયપણે જોડાશે. આ વિષય ભૌગોલિક સીમાઓથી ઉપર છે એવું અનુમાન છે કે તેને વૈશ્વિક ભાગીદારી અને સામૂહિક વ્યૂહરચનાઓની પણ જરૂર પડશે. ક્રિપ્ટોકરન્સી અને સંબંધિત મુદ્દાઓ માટે આગળના માર્ગ પર મીટિંગ સકારાત્મક હતી.

RBI, નાણા મંત્રાલય અને ગૃહ મંત્રાલયની બેઠકમાં હાજરી RBI, નાણા મંત્રાલય અને ગૃહ મંત્રાલયે આ અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને દેશ અને વિશ્વના નિષ્ણાતોની સલાહ પણ લીધી હતી અને વિશ્વભરના ઉદાહરણોને ધ્યાનમાં લીધા હતા. આરબીઆઈએ વારંવાર ક્રિપ્ટોકરન્સી સામે તેના મક્કમ વલણનો પુનરોચ્ચાર કર્યો છે અને કહ્યું છે કે તે દેશના મેક્રો ઈકોનોમિક અને નાણાકીય સ્થિરતા માટે ગંભીર ખતરો પેદા કરી શકે છે. કેન્દ્રીય બેંકે તેમની બજાર કિંમત પર પણ શંકા વ્યક્ત કરી છે.

ક્રિપ્ટોકરન્સી સેન્ટ્રલ બેંકો દ્વારા નિયંત્રિત નથી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે ક્રિપ્ટોકરન્સીને મંજૂરી આપવા સામેના તેમના મંતવ્યો પુનરોચ્ચાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ કોઈપણ નાણાકીય સિસ્ટમ માટે ગંભીર ખતરો છે કારણ કે તેઓ કેન્દ્રીય બેંકો દ્વારા નિયંત્રિત નથી. ક્રિપ્ટોકરન્સી પર આરબીઆઈની આંતરિક પેનલનો રિપોર્ટ આવતા મહિને અપેક્ષિત છે.

આ પણ વાંચો :  IPO: શું વારંવાર પ્રયાસ કરવા છતાં શેર્સ નથી મળતા? આ ટિપ્સ અનુસરો શેર મળવાની શક્યતાઓ બમણી થશે

આ પણ વાંચો : પેંશનર્સ માટે અગત્યના સમાચાર : વહેલી તકે પતાવીલો આ કામ નહીંતર અટકી શકે છે પેન્શન, જાણો વિગતવાર

Follow Us
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
રાજકોટમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં કાર પાણીમાં ફસાઇ, જુઓ Video
રાજકોટમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં કાર પાણીમાં ફસાઇ, જુઓ Video
સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર આપઘાત કેસમાં 4 સિનિયર સસ્પેન્ડ
સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર આપઘાત કેસમાં 4 સિનિયર સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">