AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તહેવારોની સીઝનમાં ઘટી શકે છે ખાદ્યતેલના ભાવ, SEAના આ નિર્ણયથી થશે રાહત

Edible oil price: આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં થોડો વધુ ઘટાડો થવાની ધારણા છે.

તહેવારોની સીઝનમાં ઘટી શકે છે ખાદ્યતેલના ભાવ,  SEAના આ નિર્ણયથી થશે રાહત
Wholesale prices of edible oils may further reduced by Rs 3 5 per kg this festival season as SEA indicates
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 11:54 PM
Share

ખાદ્ય તેલના ભાવમાં વધુ ઘટાડાના કોઈ સંકેતો સાથે ઉદ્યોગ સંસ્થા સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(SEA)એ સોમવારે જણાવ્યું હતું કે ભાવમાં 3-5 રૂપિયાનો ઘટાડો કરવો જોઈએ. SEAએ જણાવ્યું હતું કે તેના સભ્યોએ લોકોને રાહત આપવા માટે આ તહેવારોની સિઝનમાં ખાદ્ય તેલના જથ્થાબંધ ભાવમાં પ્રતિ કિલો 3-5 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં થોડો વધુ ઘટાડો થવાની ધારણા છે.

ઉપભોક્તા બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, સરકારના નિર્ણયને કારણે પામ ઓઇલની સરેરાશ છૂટક કિંમત 31 ઓક્ટોબરે 21.59 ટકા ઘટીને રૂ. 132.98 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે, જે 1 ઓક્ટોબરે રૂ. 169.6 પ્રતિ કિલોગ્રામ હતી. સોયા તેલની સરેરાશ છૂટક કિંમત સમાન ગાળામાં રૂ. 155.65 પ્રતિ કિલોથી નજીવી રીતે ઘટીને રૂ. 153 પ્રતિ કિલો થઈ ગઈ છે. જો કે, મંત્રાલયના ડેટા દર્શાવે છે કે સીંગ તેલ, સરસવનું તેલ અને સૂર્યમુખી તેલની સરેરાશ છૂટક કિંમત 31 ઓક્ટોબરના રોજ અનુક્રમે રૂ. 181.97 પ્રતિ કિલો, રૂ. 184.99 પ્રતિ કિલો અને રૂ. 168 પર સ્થિર રહી હતી.

SEAએ શું કહ્યું? ગ્રાહકોને વધુ રાહત આપવા માટે, સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA) એ જણાવ્યું હતું કે, “SEA સભ્યોએ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખાદ્ય તેલના ભાવમાં રૂ. 3,000 થી રૂ. 5,000 પ્રતિ ટન સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. SEA એ જણાવ્યું હતું કે 10 ઓક્ટોબરથી 30 ઓક્ટોબરની વચ્ચે પામોલિન, રિફાઈન્ડ સોયા અને રિફાઈન્ડ સનફ્લાવરના જથ્થાબંધ ભાવમાં ડ્યૂટી બાદ 7-11 ટકાનો ઘટાડો થયો છે.SEA એ જણાવ્યું હતું, “આ તમામ ખાદ્યતેલોના આંતરરાષ્ટ્રીય ભાવમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં, સરકાર દ્વારા ડ્યુટીમાં ઘટાડાથી ગ્રાહકો પરની અસરમાં ઘટાડો થયો છે.”

તેલના ભાવ કેમ વધ્યા? તેલનો ઉપયોગ ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને અન્ય દેશોમાં બાયોફ્યુઅલ માટે કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ખાદ્ય તેલની ઉપલબ્ધતામાં ઘટાડો થયો છે. ભારત તેની મોટાભાગની જરૂરિયાતો વિદેશમાંથી આયાત કરે છે. વિદેશી બજારમાં આ તેલ-તેલીબિયાંના ભાવ વધ્યા છે અને સ્ટોકની પણ અછત છે, જેના કારણે સ્થાનિક ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. ભારત તેની ખાદ્યતેલની 60 ટકાથી વધુ માંગ આયાત દ્વારા પૂરી કરે છે. વૈશ્વિક ભાવમાં કોઈપણ વધારાની સીધી અસર સ્થાનિક ભાવ પર પડે છે. અત્યારે આ જ અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. પરંતુ SEAના આ નિવેદન બાદ ભાવમાં થોડો ઘટાડો થશે અને તહેવારો પર લોકોને થોડી રાહત મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : COP26 Summit : ગ્લાસગોમાં PM MODIએ કહ્યું, “ભારત કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં લાગ્યું છે, આજે ટ્રેક રેકોર્ડ લઈને આવ્યો છું”

આ પણ વાંચો : 7 મહિના બાદ ફરી શરૂ થશે હજીરા-દીવ ક્રુઝ સર્વિસ, કસીનો અને નાઈટ ક્લબ જેવી સુવિધાઓ મળશે, જાણો એક વ્યક્તિનું કેટલું ભાડું થશે ?

કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
g clip-path="url(#clip0_868_265)">