7 મહિના બાદ ફરી શરૂ થશે હજીરા-દીવ ક્રુઝ સર્વિસ, કસીનો અને નાઈટ ક્લબ જેવી સુવિધાઓ મળશે, જાણો એક વ્યક્તિનું કેટલું ભાડું થશે ?

Hazira Diu Cruise service : હજીરા-દીવ-હાજીરાની ક્રુઝ સેવા 31 માર્ચ-2021થી શરૂ કરવામાં આવી હતી. જે બાદ એપ્રિલથી કોરોનાના કેસ વધ્યા બાદ આ સેવા બંધ કરવામાં આવી હતી.

7 મહિના બાદ ફરી શરૂ થશે હજીરા-દીવ ક્રુઝ સર્વિસ, કસીનો અને નાઈટ ક્લબ જેવી સુવિધાઓ મળશે, જાણો એક વ્યક્તિનું કેટલું ભાડું થશે ?
Hazira Diu Cruise service from Surat of Gujarat to re start from 5th November
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 10:26 PM

સુરતના હજીરા પોર્ટ (Hazira) પરથી દીવ (Diu) માટે ક્રુઝ સેવા (Cruise service) ફરી શરૂ થવા જઈ રહી છે. હજીરા-ઘોઘા રો-રો પેક્સની રજૂઆતના 7 મહિના બાદ મુંબઈ મેઇડન (Mumbai Maiden) આગામી 5મી નવેમ્બરથી હજીરા-દીવ-હાજીરા ક્રૂઝ શરૂ કરી રહી છે. તેમાં કસિનો, નાઇટ ક્લબ, રેસ્ટોરન્ટ સહિતની ઘણી સુવિધાઓ પણ હશે. આ ક્રુઝ સેવાની શરૂઆતમાં વ્યક્તિ દીઠ 900 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું હતું.

હજીરા-દીવ-હાજીરા ક્રૂઝ 31 માર્ચ, 2021 થી શરૂ કરવામાં આવી હતી, પરંતુ એપ્રિલથી કોરોનાના કેસ વધ્યા પછી તેને બંધ કરવામાં આવી હતી. મુંબઈ મેઇડનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ક્રૂઝમાં વોડકા જેવી બિયર, વ્હિસ્કી, વાઇન અને ડ્રીંક પણ હશે. આ સાથે તેમાં કસિનો, નાઈટ ક્લબ, રેસ્ટોરન્ટ અને હોટલ જેવી સુવિધાઓ પણ હશે.

મંત્રી મનસુખ માંડવીયાએ ક્રુઝ રવાના કરી હતી 31 માર્ચે મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ ઈલેક્ટ્રોનિક રીતે ક્રુઝ સેવાને ફ્લેગ ઓફ કરી હતી. મનસુખ માંડવિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જળ પરિવહન એ પરિવહનનું નવું ભવિષ્ય છે. કેન્દ્ર સરકાર ભારતીય દરિયાકાંઠા પર ક્રુઝ પ્રવાસન ઉદ્યોગ માટે વિશાળ સંભાવના ધરાવે છે અને ભારતના પશ્ચિમ કિનારા મુંબઈ, ગોવા, કોચી અને પૂર્વ કિનારે વિશાખાપટ્ટનમ, કોલકાતા, ચેન્નાઈ બંને પર 6 આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મિનલ સ્થાપવાનું આયોજન કરી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જળ પરિવહન એ પરિવહનનું નવું ભવિષ્ય છે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 2014 પહેલા ભારતીય બંદરો પર માત્ર 139 ક્રૂઝ સેવાઓ કાર્યરત હતી, પરંતુ કોવિડ-19 મહામારી છતાં આજે આપણી પાસે દેશમાં 450 ક્રુઝ સેવાઓ છે. મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે 2014 થી ક્રુઝ સેવા દ્વારા પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. 2014 પહેલા ક્રુઝ સર્વિસ દ્વારા પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા એક લાખ હતી અને 2019-20માં આ પ્રવાસીઓની સંખ્યા વધીને 4.5 લાખ થઈ ગઈ છે.

મનસુખ માંડવીયાએ દક્ષિણ ગુજરાત અને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર વચ્ચે ફેરી, RO-RO અને રો-પેક્સ સેવાઓના વિકાસ અંગે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે, અત્યાધુનિક ફેરી ટર્મિનલ અને ક્રુઝ સેવામાં આધુનિક સુવિધાઓ સાથેનું જળ પરિવહન, પરિવહનનું નવું ભવિષ્ય છે.

આ પણ વાંચો : કાળાબજારીઓ સામે લાલ આંખ : ખાતરની કાળાબજારી કરનારાઓ સામે મનસુખ માંડવીયાએ કાર્યવાહીની ચેતવણી આપી

આ પણ વાંચો : સુરતમાં સૌથી નાની વયના બ્રેઈનડેડ બાળકના હૃદય સહીતના અંગોનું દાન, મુંબઈ અને ચેન્નઈ સુધી ગ્રીન કોરીડોર બનાવાયો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">