AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IMA એ બાબા રામદેવ સામે કાર્યવાહીની કરવાની કરી માંગ, એલોપથી પરના આ નિવેદનથી વિવાદ

બાબા રામદેવનો એલોપથી પરનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેમણે એલોપથી પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ બાદ વિવાદ ખુબ ભડક્યો છે અને હવે રામદેવ પર કાર્યવાહી કરવાની માંગ થઇ રહી છે.

IMA એ બાબા રામદેવ સામે કાર્યવાહીની કરવાની કરી માંગ, એલોપથી પરના આ નિવેદનથી વિવાદ
Baba Ramdev
| Updated on: May 22, 2021 | 4:14 PM
Share

તાજેતરમાં યોગ ગુરુ બાબા રામદેવનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેઓ એલોપથીના વિરુદ્ધમાં બોલતા સોવા મળે છે. આ બાદ વિવાદ ખુબ વધ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ આ વિડીયોને લઈને સખત વિરોધ નોંધાવ્યો છે.

IMA એ તાજેતરમાં એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. જેમાં તેમણે માંગ કરી હતી કે બાબા રામદેવ દ્વારા એલોપથી પર લગાવેલા આરોપો સ્વીકાર કરીને આધુનિક ચિકિત્સા સુવિધા બંધ કરી દેવામાં આવે, અથવા બાબા સામે કાર્યવાહી કરવામાં આવે અને મહામારી રોગ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવે.

એલોપથી પ્રતિ બાબા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે – આરોપ

પ્રેસ રિલીઝમાં IMA એ કહ્યું છે કે ભારત કોવિડ -19 રોગચાળા સામે લડી રહ્યું છે. આધુનિક તબીબી પદ્ધતિ દ્વારા સૌ આ રોગચાળાનો સામનો કરી રહ્યા છે. ભારત સરકાર અને ડોક્ટર્સ લોકોના જીવન બચાવવા સાથે મળીને કામ કરી રહી છે. આ સંઘર્ષમાં ફ્રન્ટલાઈન પર કામ કરતા 1200 એલોપેથ ડોકટરોએ પોતાનો જીવ ગુમાવ્યો.

IMA એ કહ્યું કે યોગ ગુરુ વિડીયોમાં કહી રહ્યા છે કે ‘એલોપથી એક મૂર્ખ અને નાદાર વિજ્ઞાન છે’. તેમાં IMA એ એમ પણ કહ્યું હતું કે, ‘એ વાત જાણીતી છે કે યોગગુરુ રામદેવ અને તેના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ બીમાર હોય ત્યારે આધુનિક તબીબી સુવિધાઓ લે છે અને એલોપથી દવાઓ ખાય છે. હવે તેઓ પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે અને લોકોને તેમની ગેરકાયદેસર અને અસ્વીકૃત દવાઓ વેચવા માટે ગેરમાર્ગે દોરે છે.’

એલોપથીથી લોકોના થઇ રહ્યા છે મોત – રામદેવ

હકીકતમાં બાબા રામદેવે કોવિડ -19 રોગચાળાને કારણે થતાં મૃત્યુ પાછળ એલોપેથીને જાહેરમાં કારણભૂત જણાવ્યું છે. યોગ ગુરુએ કહ્યું, ‘એલોપથીની દવા ખાવાથી લાખો લોકો મરી ગયા છે. હોસ્પિટલમાં ઓક્સિજન ન મળવાને કારણે જેટલા લોકોનાં મોત નીપજ્યાં છે તેનાથી વધારે એલોપથીની દવાઓ આપવાના કારણે થયા છે.

મહામારીના સંકટ વચ્ચે હોસ્પિટલમાં જીવના જોખમે ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અને રામદેવના આવા નિવેદનથી તેઓ નારાજ છે. નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલની રેસિડેન્ટ્સ એસોસિએશને બાબા રામદેવના આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે અને રોગચાળાના રોગ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધવાની માંગ કરી છે.

આ પણ વાંચો: લોકડાઉનમાં ગર્લફ્રેન્ડને મળવા નકલી District Magistrate બનીને નીકળ્યો યુવક, આ ભૂલથી પકડાઈ ગયો

આ પણ વાંચો: કેટલો સમય બચ્યો છે પૃથ્વી અને મનુષ્ય પાસે? શું અંત છે નજીક? જાણો શું કહ્યું Harvard ના પ્રોફેસરે

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">