AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IMA એ બાબા રામદેવ સામે કાર્યવાહીની કરવાની કરી માંગ, એલોપથી પરના આ નિવેદનથી વિવાદ

બાબા રામદેવનો એલોપથી પરનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેમણે એલોપથી પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ બાદ વિવાદ ખુબ ભડક્યો છે અને હવે રામદેવ પર કાર્યવાહી કરવાની માંગ થઇ રહી છે.

IMA એ બાબા રામદેવ સામે કાર્યવાહીની કરવાની કરી માંગ, એલોપથી પરના આ નિવેદનથી વિવાદ
Baba Ramdev
| Updated on: May 22, 2021 | 4:14 PM
Share

તાજેતરમાં યોગ ગુરુ બાબા રામદેવનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેઓ એલોપથીના વિરુદ્ધમાં બોલતા સોવા મળે છે. આ બાદ વિવાદ ખુબ વધ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ આ વિડીયોને લઈને સખત વિરોધ નોંધાવ્યો છે.

IMA એ તાજેતરમાં એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. જેમાં તેમણે માંગ કરી હતી કે બાબા રામદેવ દ્વારા એલોપથી પર લગાવેલા આરોપો સ્વીકાર કરીને આધુનિક ચિકિત્સા સુવિધા બંધ કરી દેવામાં આવે, અથવા બાબા સામે કાર્યવાહી કરવામાં આવે અને મહામારી રોગ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવે.

એલોપથી પ્રતિ બાબા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે – આરોપ

પ્રેસ રિલીઝમાં IMA એ કહ્યું છે કે ભારત કોવિડ -19 રોગચાળા સામે લડી રહ્યું છે. આધુનિક તબીબી પદ્ધતિ દ્વારા સૌ આ રોગચાળાનો સામનો કરી રહ્યા છે. ભારત સરકાર અને ડોક્ટર્સ લોકોના જીવન બચાવવા સાથે મળીને કામ કરી રહી છે. આ સંઘર્ષમાં ફ્રન્ટલાઈન પર કામ કરતા 1200 એલોપેથ ડોકટરોએ પોતાનો જીવ ગુમાવ્યો.

IMA એ કહ્યું કે યોગ ગુરુ વિડીયોમાં કહી રહ્યા છે કે ‘એલોપથી એક મૂર્ખ અને નાદાર વિજ્ઞાન છે’. તેમાં IMA એ એમ પણ કહ્યું હતું કે, ‘એ વાત જાણીતી છે કે યોગગુરુ રામદેવ અને તેના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ બીમાર હોય ત્યારે આધુનિક તબીબી સુવિધાઓ લે છે અને એલોપથી દવાઓ ખાય છે. હવે તેઓ પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે અને લોકોને તેમની ગેરકાયદેસર અને અસ્વીકૃત દવાઓ વેચવા માટે ગેરમાર્ગે દોરે છે.’

એલોપથીથી લોકોના થઇ રહ્યા છે મોત – રામદેવ

હકીકતમાં બાબા રામદેવે કોવિડ -19 રોગચાળાને કારણે થતાં મૃત્યુ પાછળ એલોપેથીને જાહેરમાં કારણભૂત જણાવ્યું છે. યોગ ગુરુએ કહ્યું, ‘એલોપથીની દવા ખાવાથી લાખો લોકો મરી ગયા છે. હોસ્પિટલમાં ઓક્સિજન ન મળવાને કારણે જેટલા લોકોનાં મોત નીપજ્યાં છે તેનાથી વધારે એલોપથીની દવાઓ આપવાના કારણે થયા છે.

મહામારીના સંકટ વચ્ચે હોસ્પિટલમાં જીવના જોખમે ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અને રામદેવના આવા નિવેદનથી તેઓ નારાજ છે. નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલની રેસિડેન્ટ્સ એસોસિએશને બાબા રામદેવના આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે અને રોગચાળાના રોગ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધવાની માંગ કરી છે.

આ પણ વાંચો: લોકડાઉનમાં ગર્લફ્રેન્ડને મળવા નકલી District Magistrate બનીને નીકળ્યો યુવક, આ ભૂલથી પકડાઈ ગયો

આ પણ વાંચો: કેટલો સમય બચ્યો છે પૃથ્વી અને મનુષ્ય પાસે? શું અંત છે નજીક? જાણો શું કહ્યું Harvard ના પ્રોફેસરે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">