AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax : લગ્નમાં ગિફ્ટ તરીકે તમે કેટલા રૂપિયા લઈ શકો છો? ઇન્કમ ટેક્સનો આ નિયમ તમને ખબર છે કે નહીં?

ભારતમાં લગ્નની સીઝન ચાલુ થઈ ગઈ છે. સંબંધીઓ-મિત્રો તરફથી કન્યા અને વરરાજાને ઘણી ભેટ મળશે. એવામાં સવાલ એ છે કે, લગ્નમાં ભેટ તરીકે કેટલી રોકડ રકમ સ્વીકારવી યોગ્ય છે?

Income Tax : લગ્નમાં ગિફ્ટ તરીકે તમે કેટલા રૂપિયા લઈ શકો છો? ઇન્કમ ટેક્સનો આ નિયમ તમને ખબર છે કે નહીં?
Image Credit source: AI Generated
| Updated on: Nov 24, 2025 | 9:07 PM
Share

હાલની તારીખમાં લગ્ન સીઝન ચાલી રહી છે અને દરેક ઘરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંબંધીઓ-મિત્રો તરફથી કન્યા અને વરરાજાને ઘણી ભેટ મળશે પરંતુ સવાલ એ છે કે, લગ્નની ભેટ તરીકે કેટલી રોકડ રકમ સ્વીકારવી યોગ્ય છે?

ઇન્કમ ટેક્સ એક્ટ શું કહે છે?

ઇન્કમ ટેક્સ મુજબ, લગ્નમાં કન્યા અને વરરાજાને મળેલી કોઈપણ ભેટ પછી ભલે તે રોકડ હોય, ચેક હોય, ઘરેણાં હોય કે મિલકત હોય, તે સંપૂર્ણપણે નોન-ટેક્સેબલ છે. લગ્ન પ્રસંગે મળેલ ગિફ્ટ્સ આવકની કેટેગરીમાં આવતી નથી, તેથી તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. જો કે, આનો અર્થ એ નથી કે, તમે કોઈપણ રકમ રોકડમાં સ્વીકારી શકો છો. રોકડ ભેટ પર એક અલગ મર્યાદા છે.

₹2 લાખથી વધુ રોકડ ના લેવી

આવકવેરા કાયદા મુજબ, તમે લગ્નમાં રોકડ ભેટ સ્વીકારી શકો છો પરંતુ તમે એક જ દિવસમાં એક વ્યક્તિ પાસેથી ₹2 લાખથી વધુ રોકડ સ્વીકારી શકતા નથી. જો કોઈ સંબંધી કે મિત્ર તમને ₹2 લાખથી વધુ રોકડ આપે છે, તો તે કાયદાનું ઉલ્લંઘન હશે.

લિમિટ ક્રોસ કરી તો ભારે દંડ થશે

જો તમે આ મર્યાદા ઓળંગશો, તો તમને ભારે દંડ થઈ શકે છે. આ દંડ તમે નિયમોનું ઉલ્લંઘન કરીને લીધેલી રોકડ રકમ જેટલો હશે. ઉદાહરણ તરીકે, જો કોઈ તમને ₹3 લાખ રોકડા આપે છે, તો તમને ₹3 લાખનો દંડ થઈ શકે છે. આ દંડ કલમ 269ST હેઠળ લાદવામાં આવે છે. આથી, લગ્નમાં રોકડ સ્વીકારતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.

જો કોઈ તમને ₹2 લાખથી વધુની રકમ ભેટમાં આપવા માંગે છે, તો તેને રોકડમાં સ્વીકારશો નહીં. તમે ચેક, RTGS, NEFT, IMPS અથવા કોઈપણ ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રકમ મેળવી શકો છો.

દેશ વિદેશના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">