AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax : લગ્નમાં ગિફ્ટ તરીકે તમે કેટલા રૂપિયા લઈ શકો છો? ઇન્કમ ટેક્સનો આ નિયમ તમને ખબર છે કે નહીં?

ભારતમાં લગ્નની સીઝન ચાલુ થઈ ગઈ છે. સંબંધીઓ-મિત્રો તરફથી કન્યા અને વરરાજાને ઘણી ભેટ મળશે. એવામાં સવાલ એ છે કે, લગ્નમાં ભેટ તરીકે કેટલી રોકડ રકમ સ્વીકારવી યોગ્ય છે?

Income Tax : લગ્નમાં ગિફ્ટ તરીકે તમે કેટલા રૂપિયા લઈ શકો છો? ઇન્કમ ટેક્સનો આ નિયમ તમને ખબર છે કે નહીં?
Image Credit source: AI Generated
| Updated on: Nov 24, 2025 | 9:07 PM
Share

હાલની તારીખમાં લગ્ન સીઝન ચાલી રહી છે અને દરેક ઘરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંબંધીઓ-મિત્રો તરફથી કન્યા અને વરરાજાને ઘણી ભેટ મળશે પરંતુ સવાલ એ છે કે, લગ્નની ભેટ તરીકે કેટલી રોકડ રકમ સ્વીકારવી યોગ્ય છે?

ઇન્કમ ટેક્સ એક્ટ શું કહે છે?

ઇન્કમ ટેક્સ મુજબ, લગ્નમાં કન્યા અને વરરાજાને મળેલી કોઈપણ ભેટ પછી ભલે તે રોકડ હોય, ચેક હોય, ઘરેણાં હોય કે મિલકત હોય, તે સંપૂર્ણપણે નોન-ટેક્સેબલ છે. લગ્ન પ્રસંગે મળેલ ગિફ્ટ્સ આવકની કેટેગરીમાં આવતી નથી, તેથી તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. જો કે, આનો અર્થ એ નથી કે, તમે કોઈપણ રકમ રોકડમાં સ્વીકારી શકો છો. રોકડ ભેટ પર એક અલગ મર્યાદા છે.

₹2 લાખથી વધુ રોકડ ના લેવી

આવકવેરા કાયદા મુજબ, તમે લગ્નમાં રોકડ ભેટ સ્વીકારી શકો છો પરંતુ તમે એક જ દિવસમાં એક વ્યક્તિ પાસેથી ₹2 લાખથી વધુ રોકડ સ્વીકારી શકતા નથી. જો કોઈ સંબંધી કે મિત્ર તમને ₹2 લાખથી વધુ રોકડ આપે છે, તો તે કાયદાનું ઉલ્લંઘન હશે.

લિમિટ ક્રોસ કરી તો ભારે દંડ થશે

જો તમે આ મર્યાદા ઓળંગશો, તો તમને ભારે દંડ થઈ શકે છે. આ દંડ તમે નિયમોનું ઉલ્લંઘન કરીને લીધેલી રોકડ રકમ જેટલો હશે. ઉદાહરણ તરીકે, જો કોઈ તમને ₹3 લાખ રોકડા આપે છે, તો તમને ₹3 લાખનો દંડ થઈ શકે છે. આ દંડ કલમ 269ST હેઠળ લાદવામાં આવે છે. આથી, લગ્નમાં રોકડ સ્વીકારતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.

જો કોઈ તમને ₹2 લાખથી વધુની રકમ ભેટમાં આપવા માંગે છે, તો તેને રોકડમાં સ્વીકારશો નહીં. તમે ચેક, RTGS, NEFT, IMPS અથવા કોઈપણ ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રકમ મેળવી શકો છો.

દેશ વિદેશના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">