AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ લાગી શકે છે, NGTની સૂચના બાદ સરકારે જન પરામર્શ માંગ્યા

આગામી દિવસોમાં વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ આવી શકે છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (NGT) આ સંદર્ભે વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય તરફ આદેશો જારી કર્યા છે.

વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ લાગી શકે છે, NGTની સૂચના બાદ સરકારે જન પરામર્શ માંગ્યા
Ankit Modi
| Edited By: | Updated on: Feb 06, 2021 | 6:23 PM
Share

આગામી દિવસોમાં વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ આવી શકે છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (NGT) આ સંદર્ભે વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય તરફ આદેશો જારી કર્યા છે. NGTએ RO પર પ્રતિબંધ કેમ લગાવવો જોઈએ, તેનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. મંત્રાલયે પણ એનજીટીના આદેશનું પાલન કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. મંત્રાલયે આ સંદર્ભે જન પરામર્શની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે, પરંતુ કોવિડને કારણે તે વિલંબિત થઈ છે. જો સૂત્રોનું માનીએ તો પ્રતિબંધ લાગુ થયા પછી પણ કોઈ તેનો ઉપયોગ કરે છે તો આવા સંજોગોમાં મંત્રાલય કાર્યવાહી પણ કરી શકે છે.

ફ્રેન્ડ્સ થ્રુ ઈટ્સના જનરલ સેક્રેટરી વિરુદ્ધ જળ સંસાધન મંત્રાલયના કેસની સુનાવણી કરતી વખતે એનજીટીએ આદેશ જારી કર્યો હતો કે જ્યાં પ્રતિ લીટર 500 TDS કરતા ઓછું ક્ષારયુક્ત પાણી છે તેવા વિસ્તારોમાં RO પર પ્રતિબંધ મૂકવાની સૂચના જારી કરવામાં આવે તે જરૂરી છે. પરંતુ જ્યાં આ માત્રા વધુ છે ત્યાં ROનો ઉપયોગ કરી શકાય છે. આ આદેશ જૂન 2019માં આપવામાં આવ્યો હતો. આ પછી વન અને જલવાયુ મંત્રાલયે જાન્યુઆરી 2020માં તેની વેબસાઈટ પર આ બાબતે જાહેર પરામર્શ માંગ્યો છે. નિષ્ણાંતો કહે છે કે આ મામલો કોરોના અને લોકડાઉનની અસરોના કારણે વિલંબમાં આવી રહ્યો છે.

એનજીટી દ્વારા અપાયેલા આદેશ મુજબ દેશના 9 રાજ્યોમાં 8 હજારથી વધુ શહેરો છે, જ્યાં પાણીમાં ઓગળેલા નક્કર ટીડીએસનું પ્રમાણ લિટર દીઠ 500 મિલિગ્રામથી વધુ છે. જળ શક્તિ મંત્રાલયના જણાવ્યા અનુસાર આવા રાજ્યો અને તેમના શહેરોની સૂચી બહાર પાડવામાં આવી છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં જે.પી.નડ્ડાએ પરિવર્તન યાત્રાનો શુભારંભ કરાવ્યો,કહ્યું મમતા હારશે અને કમળ ખીલશે

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">