AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: શું સરકારી કર્મચારી શેરબજારમાં ટ્રેડિંગ કરી શકે છે? જાણો કર્મચારીઓ માટે સ્ટોક માર્કેટમાં રોકાણ માટે શું છે નિયમો

કેન્દ્ર સરકારે 2019માં સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા સ્ટોક રોકાણ અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણની જાહેરાતની મર્યાદા વધારી દીધી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય (HRD મંત્રાલય) દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, સુધારેલી મર્યાદા હવે કર્મચારીના છ મહિનાના મૂળ પગારની બરાબર છે.

Video: શું સરકારી કર્મચારી શેરબજારમાં ટ્રેડિંગ કરી શકે છે? જાણો કર્મચારીઓ માટે સ્ટોક માર્કેટમાં રોકાણ માટે શું છે નિયમો
Stock Market Investment
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 2:28 PM
Share

સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (કન્ડક્ટ) રૂલ્સ, 1964ના 35(1) મુજબ, સરકારી કર્મચારી શેરના (Stock Market) ટ્રેડિંગમાં અથવા અન્ય કોઈપણ પ્રકારના સટ્ટા વ્યાપારમાં સામેલ થઈ શકતા નથી. પરંતુ સરકારી કર્મચારીઓ (Government Employee) સ્ટોક બ્રોકર્સ, રજીસ્ટર્ડ એજન્સીઓ, લાઇસન્સ અથવા પ્રમાણપત્ર ધારક વ્યક્તિઓ / એજન્સીઓ દ્વારા સમય સમય પર શેરબજારમાં રોકાણ કરી શકે છે. એટલે કે સરકારી કર્મચારી શેરબજારમાં માત્ર રોકાણ કરી શકે ટ્રેડિંગ નહી.

હાલમાં આવેલા એક સરક્યુલર મૂજબ કોઈપણ સરકારી કર્મચારી તેના બેસિક પે થી 6 ગણાથી વધારે રકમનું જો શેરબજારમાં રોકાણ કરે છે તો તેની જાણકારી તેના વિભાગમાં આપવી જરૂરી છે. નિયમ 35(1) ને વધુ સરળ રીતે સમજીએ. જો તમે સરકારી કર્મચારી છો, તો તમે શેર અથવા સિક્યોરિટીઝ (અથવા અન્ય કોઈપણ રોકાણ) ની વારંવાર ખરીદી અથવા વેચાણ કરી શકતા નથી, કારણ કે તેને સટ્ટાકીય વેપાર તરીકે ગણવામાં આવશે.

સરકારી કર્મચારીએ ક્યાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ?

સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (કંડક્ટ) નિયમો, 1964 ના નિયમ નંબર 40(2) નો ભાગ (i) મૂજબ સરકારી કર્મચારીઓ એવું કોઈ રોકાણ કરી શકતા નથી કે જેનાથી તેમને શરમ આવે અથવા તેમને સેવામાંથી કાઢી નાખવામાં આવે. આ જ નિયમો કર્મચારીના પરિવારના સભ્યો અને તેના વતી કાર્ય કરતી અન્ય કોઈપણ વ્યક્તિને લાગુ પડે છે.

શેરબજારમાં રોકાણ માટે નિયમો શું છે?

કેન્દ્ર સરકારે 2019માં સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા સ્ટોક રોકાણ અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણની જાહેરાતની મર્યાદા વધારી દીધી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય (HRD મંત્રાલય) દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, સુધારેલી મર્યાદા હવે કર્મચારીના છ મહિનાના મૂળ પગારની બરાબર છે.

સરળ શબ્દોમાં સમજીએ તો સરકારી આદેશ અનુસાર, જો કોઈ નાણાકીય વર્ષમાં કર્મચારીનું રોકાણ તેના 6 મહિનાના બેઝિક પગાર કરતાં વધારે હોય, તો તેણે આવા શેર, સિક્યોરિટીઝ, ડિબેન્ચર અને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરેલા કુલ રોકાણનો સંપૂર્ણ હિસાબ આપવો પડશે.

આ પણ વાંચો : Sabka Sapna Money Money : RD અને SIPમાં વધુ સારુ શું છે ? જાણો શેમાં રોકાણ કરવાથી મળશે વધુ વળતર

સરકારી કર્મચારીઓ માટે રોકાણના વિકલ્પો કયા છે?

સરકારી કર્મચારીઓ વ્યક્તિગત નાણાકીય ધ્યેયોના આધારે નીચેના રોકાણ વિકલ્પોમાંથી કેટલાક (અથવા તમામ)માં રોકાણ કરી શકે છે.

1. મ્યુચ્યુઅલ ફંડ

2. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

3. રાષ્ટ્રીય પેન્શન યોજના

4. શેરમાં લાંબા ગાળાનું રોકાણ

5. બેંક થાપણો

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">