AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે વડાપ્રધાન Narendra Modi નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી જાહેર કરશે, જાણો શું છે વિશેષતાઓ

પોલિસીની મુખ્ય વિશેષતાઓમાં સંકલિત ડિજિટલ લોજિસ્ટિક્સ સિસ્ટમ, લોજિસ્ટિક્સની સરળતા, આયાત નિકાસ સંબંધિત લોજિસ્ટિક્સ અને વિશેષ પાર્કનો સમાવેશ થશે. પીએમ ગતિશક્તિ હેઠળ સચિવોનું એક સશક્ત જૂથ નીતિઓના અમલીકરણની સમીક્ષા કરશે.

આજે વડાપ્રધાન Narendra Modi  નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી જાહેર કરશે, જાણો શું છે વિશેષતાઓ
Prime Minister to declare National Logistics Policy today
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 9:09 AM
Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) 17 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ પોલિસી(National Logistics Policy) જાહેર કરશે જેથી સમગ્ર દેશમાં ઉત્પાદનોની આવાગમનને પ્રોત્સાહન મળે. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય માલના પરિવહનના ખર્ચને ઘટાડવાનો અને દેશના એક ભાગથી બીજા ભાગમાં ઝડપથી માલસામાનને પહોંચાડવાનો છે. સરકારના મતે નૂરની ઝડપ વધારવાથી અર્થવ્યવસ્થાના વિકાસ દર અને તેના વિસ્તરણમાં વધારો કરવામાં મદદ મળશે. પોલિસીમાં એન્જિનિયરિંગ, ડિજિટાઇઝેશન અને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ જેવા વિવિધ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાય તેવી શક્યતા છે. આ પગલું મહત્ત્વપૂર્ણ છે કારણ કે ઉચ્ચ લોજિસ્ટિક્સ ખર્ચ સ્થાનિક ઉત્પાદનો પર પ્રતિકૂળ અસર કરે છે જે તેમને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક બનાવે છે.

ઊંચી કિંમત ઘટાડવા પર ભાર

આ સંબંધમાં શુક્રવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અન્ય વિકસિત અર્થવ્યવસ્થાઓની તુલનામાં ભારતમાં લોજિસ્ટિક્સની કિંમત વધુ છે તેથી આ પોલિસીની જરૂર છે. સ્થાનિક અને નિકાસ બજારો બંનેમાં ભારતીય માલસામાનની સ્પર્ધાત્મકતામાં સુધારો કરવા માટે ભારતમાં ખર્ચમાં ઘટાડો જરૂરી છે. લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટે હિતાવહ લોજિસ્ટિક્સની ઓછી કિંમત અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં કાર્યક્ષમતામાં સુધારો કરશે અને મૂલ્યવર્ધન અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરે છે એમ નિવેદનમાં જણાવાયું છે.વધુમાં નિવેદન અનુસાર, આ પોલિસી સમગ્ર લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમના વિકાસ માટે એક વ્યાપક આંતર-ક્ષેત્રીય અને બહુ-અધિકારિક માળખું તૈયાર કરીને ઊંચી કિંમત અને કાર્યક્ષમતામાં ઘટાડા સાથે સંબંધિત મુદ્દાઓને ઉકેલવાનો એક વ્યાપક પ્રયાસ છે. આ પોલિસી હેઠળ આગામી વર્ષોમાં લોજિસ્ટિક્સની કિંમત જીડીપીના લગભગ 13 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરવાનો લક્ષ્યાંક છે. એક અંદાજ મુજબ લોજિસ્ટિક્સ ખર્ચમાં 10 ટકાનો ઘટાડો નિકાસમાં 5 થી 7 ટકાનો વધારો તરફ દોરી જાય છે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ લોજિસ્ટિક્સ ક્ષેત્ર ઘણું જટિલ છે જેમાં 20 થી વધુ સરકારી એજન્સીઓ, 40 સહભાગી સરકારી એજન્સીઓ અને 37 નિકાસ પ્રમોશન કાઉન્સિલ સામેલ છે.

પોલિસીમાં શું સામેલ થશે ?

પોલિસીની મુખ્ય વિશેષતાઓમાં સંકલિત ડિજિટલ લોજિસ્ટિક્સ સિસ્ટમ, લોજિસ્ટિક્સની સરળતા, આયાત નિકાસ સંબંધિત લોજિસ્ટિક્સ અને વિશેષ પાર્કનો સમાવેશ થશે. પીએમ ગતિશક્તિ હેઠળ સચિવોનું એક સશક્ત જૂથ નીતિઓના અમલીકરણની સમીક્ષા કરશે. તે જ સમયે એક વિશેષ જૂથ વપરાશકર્તાઓની સમસ્યાઓ પર વિચાર કરશે. આ નીતિમાં રોડ ટ્રાન્સપોર્ટ, શિપિંગ, રેલવે, ઉડ્ડયન, પોસ્ટ, વાણિજ્ય અને ઉદ્યોગ અને નાણા મંત્રાલયનો સમાવેશ કરવામાં આવ્યો છે.

લોજિસ્ટિક્સ ક્ષેત્ર કેટલું મોટું છે?

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ક્ષેત્રમાં 20 સરકારી એજન્સીઓ, 40 ભાગીદાર સરકારી એજન્સીઓ, 37 નિકાસ પ્રમોશન કાઉન્સિલ સામેલ છે. તે 10 હજાર કોમોડિટીઝ સાથે લગભગ 160 બિલિયન ડોલરનું બજાર છે. આ ક્ષેત્રમાં 200 શિપિંગ એજન્સીઓ, 36 લોજિસ્ટિક્સ સેવાઓ, 129 કન્ટેનર ડેપો, 168 કન્ટેનર ફ્રેઇટ સિસ્ટમ્સ, આઇટી ઇકોસિસ્ટમ, બેંકો અને વીમા એજન્સીઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્ર 2.2 કરોડ લોકોને રોજગાર આપી રહ્યું છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">