AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીયોમાં લોન લઈને ખરીદી કરવાનું ચલણ વધ્યું, એક મહિનામાં પ્રથમ વખત આટલા લાખ કરોડ રૂપિયા ખર્ચાયા

અહેવાલ મુજબ, માસિક કાર્ડ ખર્ચ ઓક્ટોબરમાં પ્રથમ વખત રૂ. 1 લાખ કરોડને વટાવીને રૂ. 1,01,200 કરોડ સુધી પહોંચ્યો હતો. અગાઉના મહિનાની સરખામણીમાં 26 ટકાનો વધારો થયો છે.

ભારતીયોમાં લોન લઈને ખરીદી કરવાનું ચલણ વધ્યું, એક મહિનામાં પ્રથમ વખત આટલા લાખ કરોડ રૂપિયા ખર્ચાયા
Credit Card (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 3:50 PM
Share

ભારતીયોમાં લોન લઈને ખરીદી (Shopping) કરવાનું ચલણ વધવા લાગ્યું છે. કોવિડ(Covid-19)ના કારણે બચત પર અસર અને ક્રેડિટ કાર્ડ મેળવવાની સરળતાને કારણે આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. અહેવાલ મુજબ ઓક્ટોબર મહિના દરમિયાન એટલે કે છેલ્લી તહેવારોની સિઝન દરમિયાન ક્રેડિટ કાર્ડ (Credit Card) દ્વારા ખરીદીમાં 12 ટકાનો વધારો થયો છે, જ્યારે કોઈ એક મહિનામાં પ્રથમ વખત ક્રેડિટ કાર્ડ દ્વારા થતો ખર્ચ 1 લાખ કરોડ રૂપિયાના સ્તરની નજીક પહોંચી ગયો છે.

તહેવારોની સિઝનમાં ભારતીયોએ જોરદારી ખરીદી કરી

ગત તહેવારોની સિઝનમાં, ભારતીયોએ ક્રેડિટ કાર્ડ દ્વારા ઘણી ખરીદી કરી છે. બ્રોકરેજ હાઉસના અહેવાલ મુજબ, માસિક કાર્ડ ખર્ચ ઓક્ટોબરમાં પ્રથમ વખત રૂ. 1 લાખ કરોડને વટાવીને રૂ. 1,01,200 કરોડ સુધી પહોંચ્યો હતો. અગાઉના મહિનાની સરખામણીમાં 26 ટકાનો વધારો થયો છે.

ગત વર્ષના સમાન મહિનાની તુલનામાં 56 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. આ આંકડો મહામારી પહેલા એટલે કે ઓક્ટોબર 2019ની સરખામણીમાં 19 ટકા વધ્યો છે. આ સમયગાળા દરમિયાન, દરેક ક્રેડિટ કાર્ડ (Use of credit card) પરનો સરેરાશ ખર્ચ પણ વધ્યો છે. ગયા વર્ષની સરખામણીએ ઓક્ટોબરમાં કાર્ડ દીઠ સરેરાશ માસિક ખર્ચ રૂ. 10,700 કરોડથી વધીને રૂ. 15,200 કરોડ થયો છે.

આ રકમ પણ મહામારી પહેલાના સ્તરથી ઉપર છે. આ સાથે દરેક ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થયો છે. ઓક્ટોબર દરમિયાન દરેક ક્રેડિટ કાર્ડ સાથે સરેરાશ 3.3 ટ્રાંજેક્શન થયા હતા. સપ્ટેમ્બરમાં આ આંકડો 2.8 અને માર્ચ 2021માં 3.1 હતો.

ICICI બેંક ક્રેડિટ કાર્ડના વિતરણમાં મોખરે

ક્રેડિટ કાર્ડની ખરીદીમાં વધારો થવાનું સૌથી મોટું કારણ લોકોને સરળતાથી મળી રહેતા કાર્ડ પણ છે. ઓક્ટોબર દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ નવા ક્રેડિટ કાર્ડ મેળવ્યા છે. ઓક્ટોબરમાં બેંકિંગ સિસ્ટમમાં 13 લાખથી વધુ નવા ક્રેડિટ કાર્ડ ઉમેરવામાં આવ્યા છે. આરબીઆઈના ડેટા અનુસાર આ વધારા સાથે ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યા 6.64 કરોડ થઈ ગઈ છે.

માસિક ધોરણે, તેણે છેલ્લા 14 મહિનામાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવી છે. ICICI બેંક કાર્ડ ઈશ્યુ કરવામાં મોખરે હતી જેણે ઓક્ટોબરમાં 2.78 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કર્યા હતા. HDFC બેંક 2.58 લાખ નવા કાર્ડ ઇશ્યુ કર્યા, એક્સિસ બેંક 2.20 લાખ નવા કાર્ડ સાથે બીજા ક્રમે, SBI કાર્ડ 1.84 લાખ નવા કાર્ડ સાથે ત્રીજા અને ચોથા સ્થાને RBL બેંક 1.51 લાખ નવા ગ્રાહકોને કાર્ડ્સ આપ્યા છે.

શા માટે ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદીમાં આવી તેજી ?

અહેવાલ મુજબ, આંકડાઓમાં આ ઉછાળો તહેવારોની સીઝનને કારણે હતો, જેમાં આર્થિક રિકવરી અને ક્રેડિટ કાર્ડના વધતા હિસ્સાએ પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. કોવિડ પછી બચત પર વધતા ભાર વચ્ચે, ભારતીયોએ પણ બેંકો તરફથી ક્રેડિટ કાર્ડ્સ પર કેશબેક અને No Cost EMI જેવી ઑફર્સને રિડીમ કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું.

આ પણ વાંચો: Kisan Vikas Patra: ખેડૂતો માટે છે આ ખાસ યોજના, ઓછા સમયમાં પૈસા થઈ જશે ડબલ

આ પણ વાંચો: Rajkot: ધોરાજી પંથકમાં સિંચાઈ માટે કેનાલમાં પાણી ન છોડતા ધરતીનો તાત ચિંતિત

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">