AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારે ઉડ્ડયન ક્ષેત્રમાં આ સેવાઓ પર GST ઘટાડ્યો, દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો

ડોમેસ્ટિક મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ સર્વિસિસ (MRO) સેવાઓ માટે GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે આ માહિતી આપી.

સરકારે ઉડ્ડયન ક્ષેત્રમાં આ સેવાઓ પર GST ઘટાડ્યો, દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો
GST (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 11:44 PM
Share

ડોમેસ્ટિક મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ સર્વિસિસ (MRO) સેવાઓ માટે GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે આ માહિતી આપી. આ માહિતી નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહ (નિવૃત્ત) એ રાજ્યસભામાં તેમના લેખિત જવાબમાં આપી છે. આ સિવાય મંત્રીએ કહ્યું કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર વેલ્યુ એડેડ ટેક્સ (VAT)માં ઘટાડો કરવાનો મુદ્દો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ઉઠાવવામાં આવ્યો છે.

મંત્રીએ કહ્યું કે કુલ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ એટીએફ પરનો વેટ ઘટાડીને 5 ટકાથી ઓછો કર્યો છે. તેમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ ઉપરાંત ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મધ્ય પ્રદેશ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી વીકે સિંહે કહ્યું કે AAIએ નવા અને હાલના એરપોર્ટના વિકાસનું કામ હાથ ધર્યું છે, જે આગામી પાંચ વર્ષમાં અંદાજે 25,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે કરવામાં આવશે. . જેમાં નવા ટર્મિનલનું બાંધકામ, હાલના ટર્મિનલનું વિસ્તરણ અને ફેરફાર, હાલના રનવેનું વિસ્તરણ અને મજબૂતીકરણનો સમાવેશ થાય છે. આ સાથે એરપોર્ટ નેવિગેશન સર્વિસીસ (ANS) ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કંટ્રોલ ટાવર અને ટેકનિકલ બ્લોક વગેરેને મજબૂત બનાવવાનો પણ સમાવેશ થાય છે.

આ સિવાય દિલ્હી, હૈદરાબાદ અને બેંગ્લોરમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) એરપોર્ટ 2025 સુધીમાં લગભગ રૂ. 30,000 કરોડના મોટા વિસ્તરણ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. આ ઉપરાંત પીપીપી મોડ હેઠળ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસમાં રૂ. 36,000 કરોડના રોકાણનું આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રી દ્વારા આપવામાં આવેલા જવાબ મુજબ ભારત સરકારે સમગ્ર દેશમાં 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અત્યાર સુધીમાં આઠ ગ્રીનફિલ્ડ એરપોર્ટ કાર્યરત થઈ ગયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સિંધુગઢ અને શિરડી, પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર, સિક્કિમમાં પાક્યોંગ, કેરળમાં કન્નુર, કર્ણાટકમાં કલાબુર્ગી અને ઉત્તર પ્રદેશના કુશીનગરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :Ukraine Russia war : રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોનો ભારત ઉઠાવશે ફાયદો, ખરીદશે સસ્તુ ક્રુડ અને ખાતર

આ પણ વાંચો :Surat : ‘આપ’માંથી ભાજપમાં જોડાયેલી મહિલા કોર્પોરેટર મનીષા કુકડિયાની ઘર વાપસી, કહ્યું કે ભાજપમાં અન્યાય થયો

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">