Sovereign Gold Bond દ્વારા સરકારે 31,290 કરોડ રૂપિયા હાંસલ કર્યા, શું યોજનાના રોકાણકારોને મળશે વધુ વ્યાજનો લાભ? જાણો નાણામંત્રીનો જવાબ

નાણામંત્રી સીતારમણે લોકસભામાં આ યોજનાના લાભ વિશે જણાવ્યું હતું કે ભારતીય રૂપિયાની ચુકવણી પર SGB જારી કરવામાં આવે છે. આ બોન્ડ સરકાર વતી ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જારી કરવામાં આવે છે.

Sovereign Gold Bond દ્વારા સરકારે 31,290 કરોડ રૂપિયા હાંસલ કર્યા, શું યોજનાના રોકાણકારોને મળશે વધુ વ્યાજનો લાભ? જાણો નાણામંત્રીનો જવાબ
Nirmala Sitharaman
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 8:13 AM

કેન્દ્ર સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ(Sovereign Gold Bond) યોજનામાં મોટી સફળતા હાંસલ કરી છે. મોદી સરકારે(Modi Government) વર્ષ 2015 માં એસજીબી યોજના(SGB Scheme)ની શરૂઆતથી અત્યારસુધીમાં 31,290 કરોડ રૂપિયા મેળવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે(Fm Nirmala Sitharaman) સંસદના નીચલા ગૃહમાં એક પ્રશ્નના જવાબમાં માહિતી આપી હતી કે આ યોજનાનો ઉદ્દેશ લોકોને વૈકલ્પિક નાણાકીય સંપત્તિ બનાવવા માટે તક આપવાનો છે. આ સાથે એસજીબી સ્કીમ દ્વારા ફિઝિકલ ગોલ્ડ ખરીદવાનો વિકલ્પ પણ મળ્યો છે. કેન્દ્ર સરકારે આ યોજના 5 નવેમ્બર 2015 ના રોજ શરૂ કરી હતી જે ઘણી લોકપ્રિય રહી છે.

શું વ્યાજ દરમાં વધારો કરાશે? નાણામંત્રી સીતારમણે લોકસભામાં આ યોજનાના લાભ વિશે જણાવ્યું હતું કે ભારતીય રૂપિયાની ચુકવણી પર SGB જારી કરવામાં આવે છે. આ બોન્ડ સરકાર વતી ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જારી કરવામાં આવે છે. સોવરેન ગેરંટી વાળા બોન્ડનું વેચાણ ભારતીયો અને ભારતીય સંસ્થાઓ સુધી મર્યાદિત છે. હાલમાં કોઈપણ હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) અથવા વ્યક્તિગત રોકાણકાર દરેક નાણાકીય વર્ષમાં મહત્તમ 4 કિલો SGB નું રોકાણ કરી શકે છે. બીજી તરફ ટ્રસ્ટ અને તેમના જેવી સંસ્થાઓ માટે આ મર્યાદા વાર્ષિક 20 કિલો નક્કી કરવામાં આવી છે. વ્યાજ દરમાં વધારાના પ્રશ્ન પર નાના મંત્રીએ કહ્યું કે આરબીઆઈ પાસે હજી સુધી આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. સરકાર પાસે પણ અત્યારે આવી કોઈ યોજના નથી.

SGB ના શું છે લાભ? સોવરેન ગોલ્ડ બોન્ડ પર દર અડધા વર્ષે 2.50 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. બોન્ડ પરના વ્યાજમાંથી આવક આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર છે. આ બોન્ડના ડોક્યુમેન્ટ અને ડીમેટ ફોર્મેટ બંને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સેકન્ડરી માર્કેટમાં વેપાર કરી શકાય છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે વ્યક્તિગત રોકાણકારોને SGB રિડીમ કરવા પર મળેલી મૂડી પર કેપિટલ ગેઇન્સ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. દરમિયાન RBI ની SGB યોજના 2021-22 ની પાંચમી શ્રેણી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી છે. કોઈપણ રોકાણકાર 13 ઓગસ્ટ સુધી તેમાં રોકાણ કરી શકે છે. તેની ઇશ્યૂ કિંમત રૂપિયા 4,790 પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

24 કેરેટ શુદ્ધતાની ગેરેંટી કેન્દ્ર સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ (Sovereign Gold Bond Scheme) શરૂ કરી છે, જે અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. આ સોનુ શુદ્ધતાની ખાતરી સાથે ઓફર કરાય છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. SGBની ઇશ્યૂ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 24 કેરેટ સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે ગોલ્ડ બોન્ડનો ઇશ્યૂ પ્રાઈઝ 4790 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો છે એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 47900 રહેશે.

આ પણ વાંચો :  IPO : આજે આ બે કંપનીઓના IPO સબ્સ્ક્રિપશન માટે ખુલ્યા , રોકાણ પહેલા કંપની વિશે વિગતવાર

આ પણ વાંચો :  VI ને આર્થિક સંકટમાંથી બહાર લાવવા SBI એ સૂચવ્યો માસ્ટર પ્લાન, શું 1.8 લાખ કરોડના દેવાવાળી કંપનીના અચ્છે દિન આવશે ?

Latest News Updates

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">