હવે દેશમાં ફરી સંપૂર્ણ લોકડાઉન લાગશે નહીં : નાણામંત્રીની સ્પષ્ટતા

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સ્પષ્ટ કર્યું કે સરકાર મોટા પાયે 'લોકડાઉન' (Lockdown) લાદશે નહીં અને રોગચાળાને રોકવા માટે ફક્ત સ્થાનિક સ્તરે નિયંત્રણના પગલાં લેવામાં આવશે.

હવે દેશમાં ફરી સંપૂર્ણ લોકડાઉન લાગશે  નહીં : નાણામંત્રીની સ્પષ્ટતા
FM Nirmala Sitharaman (File Image)
Follow Us:
| Updated on: Apr 14, 2021 | 9:15 AM

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સ્પષ્ટ કર્યું કે સરકાર મોટા પાયે ‘લોકડાઉન’ (Lockdown) લાદશે નહીં અને રોગચાળાને રોકવા માટે ફક્ત સ્થાનિક સ્તરે નિયંત્રણના પગલાં લેવામાં આવશે. દેશમાં કોરોના વાયરસના વધતા જતા મામલા વચ્ચે તેમણે આ કહ્યું હતું. વર્લ્ડ બેંક ગ્રુપના અધ્યક્ષ ડેવિડ માલપસ સાથે ”ઓનલાઇન’ મીટિંગમાં સીતારામણે ભારતને વિકાસ માટે વધુ ધિરાણનો વ્યાપ વધારવાની વર્લ્ડ બેંકની પહેલની પ્રશંસા કરી હતી.

નાણાં મંત્રાલયે ટ્વિટર પર લખ્યું છે કે નાણા પ્રધાન પાસે કોરોના વાયરસ રોગચાળાના ફેલાવાને રોકવા માટે પાંચ-મુદ્દાની વ્યૂહરચના છે – કોવીડ -19 (COVID-19) તપાસ, હકીકત જાણવી, સારવાર, રસી અને અટકાવવા માટે યોગ્ય ઉપચાર સહિત ભારત દ્વારા લેવામાં આવેલા પગલાં જારી કર્યા હતા.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

 

હવે નહિ લાગે લોકડાઉન તેમણે કહ્યું કે, બીજી વખત સંક્રમણનો ઝડપથી પ્રસાર થવા છતાં અમારું સ્પષ્ટ વલણ છે કે આપણે મોટા પાયે ‘લોકડાઉન’ લાદીશું નહીં. અમે અર્થવ્યવસ્થાને અસ્થિરતામાં લાવવા માંગતા નથી. સ્થાનિક સ્તરે કોવિડ દર્દીઓ અથવા પરિવારને અલગ રાખવા માટે પગલા લેવામાં આવશે. સ્થાનિક નિયંત્રણના પગલાં દ્વારા આ કટોકટીનો સામનો કરવામાં આવશે. લોકડાઉન લાદવામાં આવશે નહીં.

વર્લ્ડ બેંકના નિવેદન મુજબ, માલપસ અને નાણાં પ્રધાન જૂથ અને ભારત વચ્ચે નાગરિક સેવા અને નાણાકીય ક્ષેત્રના સુધારાના મહત્વ અને જળ સંસાધન સંચાલન અને આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીની ચર્ચા કરી હતી.

બંનેએ ભારતમાં કોવિડ -19 ને હલ કરવા માટે લેવામાં આવતા પગલાઓની સાથે સ્થાનિક રસી ઉત્પાદન ક્ષમતા અંગે પણ ચર્ચા કરી હતી. માલપસે કોવિડ -19 રોગચાળાને રોકવા અને ગરીબી નાબૂદ કરવાના ભારતના પ્રયત્નોને સમર્થન આપવા માટે વર્લ્ડ બેંક ગ્રૂપની પ્રતિબદ્ધતાને પુનર્નિર્દેશિત કરી હતી.

સરકારના પ્રયત્નો વિશે માહિતી અપાઈ સીતારામને સરકારી કાર્યક્રમો જેવા કે એલઇડી બલ્બનું વિતરણ, નેશનલ બાયોફ્યુઅલ પોલિસી હેઠળ પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ, સ્વૈચ્છિક વાહન કબાડ પોલિસી, ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન જેવા સરકારી કાર્યક્રમો વિશે પણ માહિતી આપી હતી.

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા એક દિવસમાં 1,61,736 નવા કેસો નોંધાઈને વધીને કુલ 1,36,89,453 થઈ ગઈ છે. કોવિડ -19 થી પીડિત લોકોની રિકવરીનો દર હવે 89.51 ટકા પર આવી ગયો છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">