AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ડાયમંડ બુર્સ પછી હવે જવેલરી માટે વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવવા થનગનાટ શરૂ, જાણો શું થશે ફાયદા

સુરતમાં હવે ડાયમંડ બુર્સ બાદ જ્વલેરી પાર્ક બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં જ વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જવેલરી પાર્ક બનાવવાની જાહેરાત કરી હતી.

Surat : ડાયમંડ બુર્સ પછી હવે જવેલરી માટે વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવવા થનગનાટ શરૂ, જાણો શું થશે ફાયદા
Surat: After Diamond Bourse, preparations are now underway to set up a World Trade Center for Jewelery
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 5:50 PM
Share

થોડા દિવસો પહેલા જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના એવોર્ડ ફંક્શનમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શહેરમાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જ્વલેરી પાર્ક બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે આ સપનાને સાકાર કરવા સુરતમાં થનગનાટ શરૂ થઇ ગયો છે. આ જાહેરાતને પગલે 17 વર્ષ પછી ગુજરાત હીરા બુર્સમાં 60 હજાર વાર જગ્યામાં જવેલરી ટ્રેડ સેન્ટર બનાવવા તજવીજ શરુ કરવામાં આવી છે.

છેલ્લા ઘણા વર્ષોથી સુદ અને જીઆઇડીસી વચ્ચે ગૂંચવાયેલું કોકડું હવે રાજ્ય સરકારની મધ્યસ્થીથી ઉકેલાતા કોરોનાના કારણે અટકી ચૂકેલા આ પ્રોજેક્ટને બાંધકામ માટે મોકળાશ મળી છે. વર્ષ 2004માં શહેરમાં જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટને પ્રોત્સાહન મળે તે માટે ઇચ્છાપોર ખાતે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. જોકે 2007-08 થી વૈશ્વિક મંદીના કારણે આ કામગીરી પર બ્રેક લાગી હતી. 2013-12માં એસ.ઈ.ઝેડને મળતા લાભો સરકાર દ્વારા પરત ખેંચી લેવાતા દેશના મોટાભાગના એસઇઝેડ બંધ થઇ ગયા હતા.

એકમો નહીં સ્થપાતા ગુજરાત હીરા બુર્સની એસઇઝેડની જગ્યાને ડિનોટિફાઈડ કરીને આ જગ્યાને ડોમેસ્ટિક ઝોન તરીકે ઉધોગો માટે ઉપયોગમાં લેવા 2015માં બુર્સના પદાધિકારીઓ દ્વારા સરકારમાં રજુર્તી કરવામાં આવી હતી. જોકે જમીનના પ્લાન મંજુર કેવા સુડા અને જીઆઇડીસી કચેર વચ્ચે 2015થી કોકડું ગૂંચવાયેલું હતું. જોકે હવે તેનો ઉકેલ નજીક છે.

હીરાની જેમ હીરાજડિત જવેલરીની માગ પણ વધી રહી છે. તેની 300 જેટલી કંપનીઓ સુરતમાં છે. ઉપરાંત આ તમામ કંપનીઓ એક્સપોર્ટને લઈને કામગીરી કરે છે. ત્યારે આવી કંપનીઓને પ્રોત્સાહન મળે તો સુરત હીરા બુર્સની જેમ ઇચ્છાપોર ખાતે 60 હજાર વાર જગ્યામાં જવેલરીનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવવાની તજવીજ પણ શરૂ કરવામાં આવશે.

ઇચ્છાપોર ખાતે સિંચાઈ વિભાગની એક કેનાલ બુર્સની અંદર આવેલી જવેલરી પાર્કની જગ્યામાંથી પસાર થતી હતી. આ કેનાલનો કમાન્ડ એરિયા નહીં રહેતા હવે તે અવરોધ પણ દૂર થયો છે. બુર્સના એક કમિટી મેમ્બરના જણાવ્યા પ્રમાણે સુરતમાં જેમ જવેલરી એકમો સ્થપાઈ રહ્યા છે. તેને જોતા આગામી દિવસોમાં એકમોની સંખ્યા પણ ઝડપથી બમણી થાય તેવી સંભાવના છે. અમદાવાદની એક આર્કિટેક્ટ કંપનીને રોકીને સ્ટ્રક્ચર ડિઝાઇન કરવાની કામગીરી સોંપીને ફી ની ચુકવણી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ થશે ફાયદા — અત્યારસુધી ટેક્નિકલ ઇસ્યુને કારણે આ પાર્ક ડેવલપ નહોતું થઇ શક્યું કારણ કે પ્રોજેક્ટ સ્થાપવા માંગતા લોકોએ સરકારી લેણું ચૂકવવું પડતું હતું, અને હવે એ અવરોધ દૂર થશે. –છેલ્લા કેટલાક સમયથી લેબ્રોન ડાયમંડના નિકાસની તકો વધી રહી છે. આ પાર્ક આવે તો તેના માટે નવો એરિયા ઉભો થશે. –અહીં અલાયદું જવેલરી શોપિંગ સેન્ટર બનશે. જ્યાં બધા જ જવેલરો હશે, તેમની શોપ હશે.જો કોઈ બહારથી ખરીદી માટે આવે તો બધું જ અવેલેબલ મળશે. –અહીં કિડ્ઝ ઝોન, ફૂડ્ ઝોન વગેરે પણ ડેવલપ કરાશે. –સુરતની 300 જેટલી ડાયમંડ જવેલરી કંપનીઓને નિકાસમાં અને બિઝનેસમાં સીધો ફાયદો મળશે.

આ પણ વાંચો :

Surat : લવ જેહાદને લઇને હાઇકોર્ટના હુકમ વિરૂદ્ધ સરકાર સુપ્રિમ કોર્ટમાં જઇશું : સીએમ રૂપાણી

Surat : દસ વર્ષમાં ગંદા પાણીને 100 ટકા રિયુઝ કરવા મહાનગરપાલિકાનો લક્ષ્યાંક

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">