AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukanya Samriddhi Yojana: સરકારની જાહેરાત બાદ સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભમાં કેટલો વધારો થયો? જાણો અહીં તમામ વિગત

આ યોજનામાં, પુત્રીના જન્મથી લઈને 10 વર્ષની ઉંમર સુધી કોઈપણ સમયે ખાતું ખોલાવી શકાય છે. તેની પરિપક્વતા 21 વર્ષ પછી છે. જો કે, જો તમારી પુત્રીના શિક્ષણ માટે પૈસાની જરૂર હોય, તો તમે છોકરી 18 વર્ષની થાય પછી વચ્ચેના સમયમાં કુલ રકમમાંથી 50% ઉપાડી શકો છો.

Sukanya Samriddhi Yojana: સરકારની જાહેરાત બાદ સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભમાં કેટલો વધારો થયો? જાણો અહીં તમામ વિગત
SUKANYA SAMRIDDHI SCHEME
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 12:57 PM
Share

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં વધારો કર્યો છે. આ વ્યાજ દરો એપ્રિલથી જૂન સુધી લાગુ છે. સરકારે છોકરીઓ માટેની વિશેષ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ 7.60 ટકાથી વધારીને 8 ટકા કર્યું છે. આ સરકારની ઘણી યોજનાઓ કરતાં વધુ છે અને આવા વળતર કોઈપણ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાંથી જ મેળવી શકાય છે. સરકાર દ્વારા વ્યાજદરમાં વધારો કરવાથી આ યોજનાના રોકાણકારોને ઘણો ફાયદો થશે.

પુત્રીના જન્મથી લઈને 10 વર્ષની ઉંમર સુધી કોઈપણ સમયે ખાતું ખોલાવી શકાય છે

તમને જણાવીએ છીએ કે તમે આ સ્કીમ દ્વારા તમારી દીકરીના લગ્ન માટે ફંડ કેવી રીતે એકત્રિત કરી શકો છો. આ યોજના ખાસ કરીને દીકરીઓ માટે છે. તમે તમારી પુત્રીના જન્મથી લઈને 10 વર્ષની ઉંમર સુધી કોઈપણ સમયે તેમાં ખાતું ખોલાવી શકો છો, જેની પરિપક્વતા 21 વર્ષ છે.

છોકરી 18 વર્ષની થાય પછી વચ્ચેના સમયમાં કુલ રકમમાંથી 50% ઉપાડી શકો છો

આ યોજનામાં, પુત્રીના જન્મથી લઈને 10 વર્ષની ઉંમર સુધી કોઈપણ સમયે ખાતું ખોલાવી શકાય છે. તેની પરિપક્વતા 21 વર્ષ પછી છે. જો કે, જો તમારી પુત્રીના શિક્ષણ માટે પૈસાની જરૂર હોય, તો તમે છોકરી 18 વર્ષની થાય પછી વચ્ચેના સમયમાં કુલ રકમમાંથી 50% ઉપાડી શકો છો. તે જ સમયે, તમે 21 વર્ષની ઉંમર પછી બાકીની રકમ ઉપાડી શકો છો.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે પણ મોંઘુ થયું ક્રૂડ ઓઇલ, શું પેટ્રોલ- ડીઝલની કિંમતોમાં વધારા માટે તૈયાર રહેવું પડશે?

દીકરીના લગ્ન વખતે કેટલા રૂપિયા મળશે?

ધારો કે તમે તમારી દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર મહિને 12,500 રૂપિયા જમા કરાવ્યા છે, તો એક વર્ષમાં તમારી રકમ 1.5 લાખ રૂપિયા થઈ જશે. બીજી બાજુ, હવે જો તમે પાકતી મુદત પર વ્યાજની ગણતરી કરો છો, તો 7.6% મુજબ, તમે તમારી પુત્રીના લગ્ન માટે મોટી રકમ જમા કરી શકો છો.

હવે જો તમે 21 વર્ષ પછી આ સ્કીમમાંથી પૈસા ઉપાડો છો, તો તમને મેચ્યોરિટી પર 63 લાખ 79 હજાર 634 રૂપિયા મળશે. તેમાં, 22,50,000 રૂપિયા તમારી રોકાણ રકમ હશે અને વ્યાજની કમાણી 41,29,634 રૂપિયા થશે. એટલે કે તમે તમારી દીકરીના લગ્ન 64 લાખ રૂપિયામાં ભવ્ય રીતે કરાવી શકો છો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">