AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1000, 2000, 3000 અથવા 5000 સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલા રૂપિયાનું રોકાણ કરવાથી, કેટલું રિટર્ન મળશે ? આ રહી સંપૂર્ણ માહિતી

SUKANYA SAMRIDDHI YOJANA માંવાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ યોજનામાં, તમારે 15 વર્ષ સુધી બાળકી માટે યોગદાન આપવું પડશે અને યોજના 21 વર્ષમાં પરિપક્વ થાય છે.

1000, 2000, 3000 અથવા 5000 સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલા રૂપિયાનું રોકાણ કરવાથી, કેટલું રિટર્ન મળશે ? આ રહી સંપૂર્ણ માહિતી
Sukanya samriddhi yojana
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 1:54 PM
Share

ભારત સરકાર ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન હેઠળ દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના ચલાવે છે. કોઈપણ ભારતીય નાગરિક તેની 10 વર્ષથી ઓછી ઉંમરની પુત્રી માટે આમાં રોકાણ કરી શકે છે. હાલમાં આ સ્કીમમાં 7.6 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આમાં વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ યોજનામાં, તમારે 15 વર્ષ સુધી બાળકી માટે યોગદાન આપવું પડશે અને યોજના 21 વર્ષમાં પરિપક્વ થાય છે.

જેટલી નાની ઉંમરે તમે દીકરી માટે રોકાણ કરવાનું શરૂ કરશો, તેટલી વહેલી તકે તમે દીકરી માટે પાકતી રકમનો ઉપયોગ કરી શકશો. જો તમે સુકન્યા સમૃદ્ધિમાં તેના જન્મથી જ રોકાણ કરવાનું શરૂ કરો છો, તો તમારી પુત્રી 21 વર્ષની થાય ત્યાં સુધીમાં તેના માટે નોંધપાત્ર રકમ તૈયાર થઈ ગઈ હશે. જો તમે 2023 તમારી પુત્રી માટે આ યોજનામાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારી યોજના 2044 માં પરિપક્વ થશે. આવી સ્થિતિમાં, અહીં જાણો કે 1000, 2000, 3000 અથવા 5000 રૂપિયાના માસિક રોકાણ પર તમને કેટલો નફો થશે.

રૂ. 1000 માસિક રોકાણ પર

જો તમે આ સ્કીમમાં માસિક 1000 રૂપિયા જમા કરાવવા માંગો છો તો તમારે વાર્ષિક 12 હજાર રૂપિયા જમા કરાવવા પડશે. SSY કેલ્ક્યુલેટર મુજબ, તમે 15 વર્ષમાં કુલ 1,80,000 રૂપિયાનું રોકાણ કરશો અને તમને 3,29,212 રૂપિયાનું વ્યાજ મળશે. આ રીતે મેચ્યોરિટી પર તમને કુલ 5,09,212 રૂપિયા મળશે.

રૂ.2000 માસિક રોકાણ પર

જો તમે દર મહિને 2000 રૂપિયા એટલે કે વાર્ષિક 24000 રૂપિયા જમા કરો છો, તો તમારું કુલ રોકાણ 3,60,000 રૂપિયા થશે અને તમને વ્યાજ તરીકે 6,58,425 રૂપિયા મળશે. આ રીતે, રોકાણ કરેલી રકમ અને વ્યાજ ઉમેરીને કુલ રકમ 10,18,425 રૂપિયા થશે.

3000 રૂપિયાના માસિક રોકાણ સાથે

દર મહિને 3000, તમારે વાર્ષિક કુલ 36000 રૂપિયા જમા કરાવવા પડશે. તમારું કુલ રોકાણ રૂ.5,40,000 થશે. વર્તમાન વ્યાજ દર મુજબ, તમને વ્યાજ તરીકે 9,87,637 રૂપિયા મળશે. મેચ્યોરિટી પર કુલ 15,27,637 રૂપિયા મળશે.

4000 રૂપિયાના માસિક રોકાણ સાથે

જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 4000 રૂપિયાનું માસિક રોકાણ કરો છો, તો તમારે વાર્ષિક 48000 રૂપિયા જમા કરાવવા પડશે. આ રીતે, તમારા 15 વર્ષમાં કુલ 7,20,000 રૂપિયા જમા થશે, પરંતુ તમને વ્યાજ તરીકે 13,16,850 રૂપિયા મળશે. મેચ્યોરિટી પર, તમને દીકરી માટે કુલ રૂ. 20,36,850 મળશે.

રૂ.5000ના માસિક રોકાણ પર

જો તમે 5000 રૂપિયા સુધીનું માસિક રોકાણ કરવા સક્ષમ છો, તો તમે આ યોજના દ્વારા દીકરી માટે નોંધપાત્ર રકમ ઉમેરી શકો છો. દર મહિને 5000 રૂપિયાના હિસાબે વાર્ષિક 60000 રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ રીતે, 15 વર્ષમાં તમે કુલ 9,00,000 રૂપિયાનું રોકાણ કરશો. જો તમે 7.6 ના વ્યાજ દર પર નજર નાખો, તો તમને વ્યાજ તરીકે 16,46,062 રૂપિયા અને મેચ્યોરિટી પર 25,46,062 રૂપિયા મળશે.

આ પણ વાંચો :મહિલા સન્માન યોજના કે સુકન્યા સમૃદ્ધિ યોજના, કઈ યોજનામાં મળશે વધારે વળતર

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">