શેરબજારના રોકાણકારો માટે ચિંતાના સમાચાર: આ વર્ષે શેરબજારમાંથી કમાણીની શક્યતા નહિવત, જાણો શું કહ્યું અમેરિકન બ્રોકરેજ કંપનીએ
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે નીતિગત દરોમાં વધારો અને કોમોડિટીના ઊંચા ભાવને કારણે છેલ્લા કેટલાક સપ્તાહો દરમિયાન નિફ્ટીમાં ઘટાડો થયો હતો.
શેરબજાર(Share Market)માં રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર છે.આ વર્ષે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં ભારતીય શેરબજાર તેના નીચલા સ્તરે જઈ શકે છે. જે બાદ તેમાં સુધારો થવાની આશા છે. આવી સ્થિતિમાં 50 શેર પર આધારિત નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી આ વર્ષના અંત સુધીમાં વધુ 6 ટકાના ઘટાડા સાથે 14,500 પોઈન્ટ સુધી જઈ શકે છે. અમેરિકન બ્રોકરેજ કંપની બોફા સિક્યોરિટીઝે પોતાના રિપોર્ટમાં આ અંદાજ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે કંપનીઓ પાસે સસ્તા માલનો સ્ટોક કરવાની સકારાત્મક અસર હવે પૂરી થઈ ગઈ છે. જેના કારણે કંપનીઓની કમાણીમાં ઘટાડો થયો છે. આ સિવાય ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને નિફ્ટીના કેટલાક શેરોના નબળા મૂલ્યાંકન જેવા કેટલાક કારણો છે જે બજારને નીચે લાવશે. બ્રોકરેજ કંપનીએ અગાઉ આ વર્ષના અંત સુધીમાં નિફ્ટી 19,100 પોઈન્ટના રેકોર્ડ સ્તરે પહોંચવાની આગાહી કરી હતી. જો કે, વેચવાલી જોતાં કંપનીએ પાછળથી તેનો અંદાજ ઘટાડીને 17,000 માર્ક્સ કર્યો છે.
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે નીતિગત દરોમાં વધારો અને કોમોડિટીના ઊંચા ભાવને કારણે છેલ્લા કેટલાક સપ્તાહો દરમિયાન નિફ્ટીમાં ઘટાડો થયો હતો. બ્રોકરેજના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, “તાજેતરના કરેક્શન છતાં અમે બજારોમાં સાવચેત રહીએ છીએ. વૈશ્વિક સ્તરે કડક નાણાકીય નીતિઓ અને યુ.એસ.માં મંદીના ભય સહિત આર્થિક વૃદ્ધિ ધીમી કરવા ઉપરાંત અમે અન્ય જોખમો પણ જોઈ રહ્યા છીએ.
અન્ય જોખમોમાં 4 ટકા સુધીની કમાણીમાં ઘટાડો થવાની શક્યતાનો સમાવેશ થાય છે એમ તેમણે જણાવ્યું હતું. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાનું જોખમ પણ છે જેની કિંમત પ્રતિ બેરલ 150 ડોલર સુધી પહોંચી શકે છે.
રૂપિયો પ્રતિ ડૉલર 81 રૂપિયા સુધી ઘટી શકે છે
દરમિયાન બ્રોકરેજ કંપનીએ જણાવ્યું હતું કે યુએસ ચલણ સામે રૂપિયાનો વિનિમય દર વર્ષ 2022ના અંત સુધીમાં ઘટીને 81 રૂપિયા પ્રતિ ડોલર થઈ શકે છે. હવે જીવન વીમા કંપનીઓ પણ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી વેચી શકશે, પ્રીમિયમ થશે સસ્તું, LICને મહત્તમ લાભ મળશે .જો કે, વિશ્લેષકોએ એમ પણ કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક પાસે લગભગ 600 બિલિયનડોલરનું ફોરેક્સ રિઝર્વ છે. જે આ જોખમોને ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આજે બજાર સારી સ્થિતિમાં ખુલ્યા
મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે આજે ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત ફ્લેટ થઇ હતી.જોકે બાદમાં તેજી દેખાઈ હતી. ઇન્ડેક્સ લીલા નિશાનમાં સરક્યો હતો. સવારે 9.20 વાગે સેન્સેક્સ 200 અને નિફટી 66 અંક ઉપર કારોબાર કરતા નજરે પડ્યા હતા. આજે સેન્સેક્સ 51,822.19 ઉપર ખુલ્યો હતો.