AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiabulls HSG FIN: ફાઉન્ડર સમીર ગેહલોત 11 ટકા હિસ્સો વેચશે, બ્લોક ડીલ અંગે રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ?

IndiaBulls HSG FIN એ લગભગ એક મહિના પહેલા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ દરમિયાન કંપનીએ જણાવ્યું હતું કે તેના નફામાં 11 ટકાનો ઘટાડો થયો છે

Indiabulls HSG FIN: ફાઉન્ડર સમીર ગેહલોત 11 ટકા હિસ્સો વેચશે, બ્લોક ડીલ અંગે રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ?
IndiaBulls HSG FIN
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 10:29 AM
Share

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ(IndiaBulls HSG FIN)ના સ્થાપક સમીર ગેહલોત(sameer gehlaut) બ્લોક વિન્ડો ડીલ દ્વારા તેમનો 11.9 ટકા હિસ્સો વેચવાના છે. આ ડીલ શેર દીઠ રૂ. 262.25 થી રૂ. 276.60 વચ્ચે થવાની શક્યતા છે. આ સમગ્ર બ્લોક ડીલની કિંમત 1400 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે તે હજુ પણ દેશની ચોથી સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ કંપની છે.

1 મહિના પહેલા ત્રિમાસિક પરિણામો જાહેર થયા IndiaBulls HSG FIN એ લગભગ એક મહિના પહેલા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ દરમિયાન કંપનીએ જણાવ્યું હતું કે તેના નફામાં 11 ટકાનો ઘટાડો થયો છે જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 268 કરોડ રૂપિયા હતો. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 323 કરોડનો નફો રજૂ કર્યો હતો.

સમીર ગેહલોતે 14 ઓક્ટોબરે રાજીનામું આપ્યું હતું જણાવી દઈએ કે હાલમાં સમીર ગેહલોત ઈન્ડિયાબુલ્સ ગ્રુપના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. 14 ઓક્ટોબરના રોજ, સમીર ગેહલોતે મુખ્ય જૂથ કંપની ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું.

બ્લોક ડીલ અંગે નિષ્ણાંતોનો અભિપ્રાય

વરિન્દર બંસલનો અભિપ્રાય છે કે વર્ષ 2018માં કંપનીની AUM 1.10 લાખ કરોડથી વધુ હતી પરંતુ હવે તે ઘટીને 64 હજાર કરોડ થઈ ગઈ છે. તેની બુક વેલ્યુ 350 રૂપિયા છે. હવે બુક વેલ્યુમાં વધુ ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.

ચોઈસ બ્રોકિંગના રિસર્ચ એસોસિયેટ પલક કોઠારી કહે છે કે સાપ્તાહિક ચાર્ટ પર શેરે 205-200 સ્તરની આસપાસ સારો આધાર બનાવ્યો છે. જોકે આજના ટ્રેડિંગ સેશનમાં શેરે ઊંચા સ્તરેથી પ્રોફિટ-બુકિંગ દર્શાવ્યું છે

મનોજ દાલમિયા સ્થાપક અને નિયામક પ્રોફિશિયન્ટ ઇક્વિટીઝ કહે છે કે કિંમત રૂ. 254 પર સપોર્ટ લઈ રહી છે. સપોર્ટ એરિયાને ધ્યાનમાં રાખીને વર્તમાન સ્તરે ખરીદી કરી શકાય છે. આક્રમક રોકાણકારો વર્તમાન સ્તરે રૂ. 290ના ટાર્ગેટ પર રૂ. 240ના સ્ટોપ લોસ સાથે ખરીદી કરી શકે છે.

આ પણ વાંચો :  RBI ટૂંક સમયમાં લાવવા જઈ રહી છે તેની Digital Currency, બે તબક્કામાં લોન્ચ થશે, જાણો શું છે RBIનો સંપૂર્ણ પ્લાન

આ પણ વાંચો :  Share Market : શેરબજારમાં પ્રારંભિક ઘટાડો, Sensex 500 અંક તૂટ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">