AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiabulls HSG FIN: ફાઉન્ડર સમીર ગેહલોત 11 ટકા હિસ્સો વેચશે, બ્લોક ડીલ અંગે રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ?

IndiaBulls HSG FIN એ લગભગ એક મહિના પહેલા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ દરમિયાન કંપનીએ જણાવ્યું હતું કે તેના નફામાં 11 ટકાનો ઘટાડો થયો છે

Indiabulls HSG FIN: ફાઉન્ડર સમીર ગેહલોત 11 ટકા હિસ્સો વેચશે, બ્લોક ડીલ અંગે રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ?
IndiaBulls HSG FIN
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 10:29 AM
Share

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ(IndiaBulls HSG FIN)ના સ્થાપક સમીર ગેહલોત(sameer gehlaut) બ્લોક વિન્ડો ડીલ દ્વારા તેમનો 11.9 ટકા હિસ્સો વેચવાના છે. આ ડીલ શેર દીઠ રૂ. 262.25 થી રૂ. 276.60 વચ્ચે થવાની શક્યતા છે. આ સમગ્ર બ્લોક ડીલની કિંમત 1400 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે તે હજુ પણ દેશની ચોથી સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ કંપની છે.

1 મહિના પહેલા ત્રિમાસિક પરિણામો જાહેર થયા IndiaBulls HSG FIN એ લગભગ એક મહિના પહેલા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ દરમિયાન કંપનીએ જણાવ્યું હતું કે તેના નફામાં 11 ટકાનો ઘટાડો થયો છે જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 268 કરોડ રૂપિયા હતો. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 323 કરોડનો નફો રજૂ કર્યો હતો.

સમીર ગેહલોતે 14 ઓક્ટોબરે રાજીનામું આપ્યું હતું જણાવી દઈએ કે હાલમાં સમીર ગેહલોત ઈન્ડિયાબુલ્સ ગ્રુપના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. 14 ઓક્ટોબરના રોજ, સમીર ગેહલોતે મુખ્ય જૂથ કંપની ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું.

બ્લોક ડીલ અંગે નિષ્ણાંતોનો અભિપ્રાય

વરિન્દર બંસલનો અભિપ્રાય છે કે વર્ષ 2018માં કંપનીની AUM 1.10 લાખ કરોડથી વધુ હતી પરંતુ હવે તે ઘટીને 64 હજાર કરોડ થઈ ગઈ છે. તેની બુક વેલ્યુ 350 રૂપિયા છે. હવે બુક વેલ્યુમાં વધુ ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.

ચોઈસ બ્રોકિંગના રિસર્ચ એસોસિયેટ પલક કોઠારી કહે છે કે સાપ્તાહિક ચાર્ટ પર શેરે 205-200 સ્તરની આસપાસ સારો આધાર બનાવ્યો છે. જોકે આજના ટ્રેડિંગ સેશનમાં શેરે ઊંચા સ્તરેથી પ્રોફિટ-બુકિંગ દર્શાવ્યું છે

મનોજ દાલમિયા સ્થાપક અને નિયામક પ્રોફિશિયન્ટ ઇક્વિટીઝ કહે છે કે કિંમત રૂ. 254 પર સપોર્ટ લઈ રહી છે. સપોર્ટ એરિયાને ધ્યાનમાં રાખીને વર્તમાન સ્તરે ખરીદી કરી શકાય છે. આક્રમક રોકાણકારો વર્તમાન સ્તરે રૂ. 290ના ટાર્ગેટ પર રૂ. 240ના સ્ટોપ લોસ સાથે ખરીદી કરી શકે છે.

આ પણ વાંચો :  RBI ટૂંક સમયમાં લાવવા જઈ રહી છે તેની Digital Currency, બે તબક્કામાં લોન્ચ થશે, જાણો શું છે RBIનો સંપૂર્ણ પ્લાન

આ પણ વાંચો :  Share Market : શેરબજારમાં પ્રારંભિક ઘટાડો, Sensex 500 અંક તૂટ્યો

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">