AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક SMS એ એવો બગાડ્યો ખેલ કે BABA RAMDEV ની કંપનીનો શેર 13 ટકાથી વધુ પટકાયો, જાણો શું છે મામલો

એક વાયરલ મેસેજે આ FPO નો ખેલ બગડ્યો હતો. પતંજલિના યુઝર્સને મોકલવામાં આવેલા આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, “પતંજલિ પરિવારના તમામ પ્રિય સભ્યો માટે એક સારા સમાચાર છે.

એક SMS એ એવો બગાડ્યો ખેલ કે BABA RAMDEV ની કંપનીનો શેર 13 ટકાથી વધુ પટકાયો, જાણો શું છે મામલો
BABA RAMDEV
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 7:37 AM
Share

રુચિ સોયા(Ruchi Soya) ઈન્ડસ્ટ્રીઝના શેરમાં બુધવારે મોટો ઘટાડો નોંધાયો હતો.  NSE પર રૂચી સોયાનો શેર(Ruchi Soya Share Price) 120.15 પોઈન્ટ અથવા 13.73 ટકા ઘટીને બંધ થયો હતો.  આ શેર શરૂઆતના સોદામાં લગભગ 19 ટકાના ઘટાડા સુધી પટકાયો હતો. જોકે બાદમાં તેમાં થોડો સુધારો થયો હતો. રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝના રૂ. 4,300 કરોડના FPOની ફાળવણીની જાહેરાત બાદ સેબી(SEBI)એ કેટલાક મુદ્દાઓ પર કડક વલણ અપનાવ્યું હતું ત્યારથી રૂચી સોયાના શેરમાં ઘટાડો નોંધાયો હતો.સેબીએ પતંજલિ ગ્રૂપ ફર્મ રુચિ સોયાના બેન્કર્સને FPO દરમિયાન શેરના વેચાણ અંગેના  SMS અંગે ચેતવણી આપતા રોકાણકારોને તેમની બિડ પાછી ખેંચી લેવાનો વિકલ્પ આપવા જણાવ્યું હતું. બુધવારે BSE પર કંપનીનો શેર રૂ. 706 પર ખૂલ્યો હતો જે દિવસની સૌથી નીચી સપાટી હતી. તે 815 રૂપિયાના દિવસના સર્વોચ્ચ સ્તરે પણ પહોંચી ગયો હતો. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં રૂચી સોયાનો સ્ટોક 21.50 ટકા અથવા 205 પોઈન્ટ ઘટી ગયો છે.

આ ખબર વહેતી થઇ હતી

એક-બે દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે કંપનીના બોર્ડે FPO પછી ફરીથી શેર વેચીને ફંડ એકત્ર કરવાનો નિર્ણય લીધો છે. 5 એપ્રિલે રૂચી સોયાના બોર્ડે 6.61 કરોડ શેર વેચીને રૂ. 4,300 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી છે. “ઇશ્યુની ફાળવણી પછી ચૂકવણી કરેલ શેર મૂડી 59,16,82,014 થી વધીને 72,39,89,706 થઇ છે,” રુચિ સોયા દ્વારા જારી કરાયેલા એક પ્રકાશનમાં જણાવાયું છે. રૂચી સોયાનો એફપીઓ ગયા સપ્તાહે જ બંધ થઈ ગયો હતો. આ એફપીઓની ફાળવણી ફાઇનલ થતાંની સાથે જ કંપનીએ શેર વેચીને ફરીથી ભંડોળ એકત્ર કરવાનો નિર્ણય લીધો છે.

સેબીએ FPO પર કાર્યવાહી કરી

રૂચી સોયાનો FPO 24 માર્ચે ખોલવામાં આવ્યો હતો. આ એફપીઓ ખોલ્યા બાદ વિવાદાસ્પદ બન્યો હતો. FPO બંધ થયાના થોડા કલાકો બાદ સેબીએ કંપની પર કાર્યવાહી કરી હતી. આ અંતર્ગત નાના રોકાણકારોને આ ઈશ્યુમાંથી બહાર નીકળવાની તક આપવામાં આવી હતી. સેબીએ જણાવ્યું હતું કે રૂચી સોયાના એફપીઓમાં રોકાણ કરનારા રિટેલ રોકાણકારો 28 થી 30 માર્ચ સુધીના ત્રણ દિવસમાં બહાર નીકળી શકે છે.

SMS એ ખેલ બગાડ્યો

એક વાયરલ મેસેજે આ FPO નો ખેલ બગડ્યો હતો. પતંજલિના યુઝર્સને મોકલવામાં આવેલા આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, “પતંજલિ પરિવારના તમામ પ્રિય સભ્યો માટે એક સારા સમાચાર છે. પતંજલિ ગ્રૂપની કંપની રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ફોલો-ઓન ઓફર (FPO) રિટેલ રોકાણકારો માટે ખુલ્લી કરવામાં આવી છે. ઈસ્યુ 28 માર્ચે બંધ થશે. આ ઈશ્યુ શેર દીઠ રૂ. 615-650ના ભાવે ઉપલબ્ધ છે જે બજાર કિંમત કરતા 30 ટકા ઓછો છે. તમે આ શેર માટે તમારા DEMAT એકાઉન્ટમાંથી બેંક/બ્રોકર/ASBA/UPI દ્વારા રોકાણ કરી શકો છો.”

આ કિસ્સામાં, સેબીએ અગ્રણી બેંકિંગ મેનેજરોને આવા SMS વિશે તમામ રોકાણકારોને મંગળવાર અને બુધવારે અખબારોમાં જાહેરાતો આપવાનો નિર્દેશ આપ્યો છે. રુચિ સોયાએ ગયા અઠવાડિયે કંપનીને સંપૂર્ણપણે દેવામુક્ત બનાવવા અને સેબીના શેરહોલ્ડિંગ ધોરણોને પહોંચી વળવા રૂ. 4,300 કરોડનો FPO લોન્ચ કર્યો હતો. કંપનીએ તેના સ્પષ્ટીકરણમાં કહ્યું હતું કે આ મેસેજમાં કંપનીનો કોઈ હાથ નથી.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : રાહતના સમાચાર, પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા ઉપર લાગી બ્રેક, જાણો લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : Dollar vs Rupee : રૂપિયો એક મહિનાના નીચલા સ્તરે ગગડ્યો, ફેડરલ રિઝર્વના સંકેતોની અસર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">