AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Group : ગૌતમ અદાણીની મુશ્કેલીઓમાં વધારો, લોનની ચુકવણીના મામલે હવે BSE-NSEએ પણ ઉઠાવ્યા સવાલ

'ધ કેન'નો અહેવાલ કહે છે કે હકીકતમાં અદાણી જૂથે સંપૂર્ણ લોન ચૂકવી નથી, પરંતુ કાર્યવાહીથી બચવા અને દેવાનો બોજ ઘટાડવા માટે આંશિક ચુકવણી કરી છે, એટલે કે માત્ર અડધી લોન પરત કરી છે. આ અહેવાલ સામે આવ્યા બાદ મંગળવારે અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ તમામ 10 કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો થયો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેર 5 ટકાથી વધુ તૂટ્યા છે.

Adani Group : ગૌતમ અદાણીની મુશ્કેલીઓમાં વધારો, લોનની ચુકવણીના મામલે હવે BSE-NSEએ પણ ઉઠાવ્યા સવાલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 7:56 AM
Share

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી નો સમય પલટાઈ ગયો છે અને ત્યારથી તે કારોબાર જગતમાં ચમકી શક્યા નથી. અદાણી ગ્રૂપની કંપની અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા લોનની ચુકવણીને લઈને કરવામાં આવેલા દાવા પર ફરી એકવાર સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ પણ આ મામલે ગ્રુપને જવાબ આપવા કહ્યું છે. NSE એ અદાણી એન્ટરપ્રાઈઝ પાસેથી લોનની ચુકવણીના દાવા અંગે સ્પષ્ટતા માંગી છે. તાજેતરના એક મીડિયા અહેવાલમાં અદાણી ગ્રુપના લોનની ચુકવણી અંગે કરવામાં આવી રહેલા દાવાઓ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા જેના પર NSEએ કંપનીને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. તે જ સમયે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ પણ ઘણી બાબતો અંગે કંપની પાસેથી અલગથી જવાબ માંગ્યો છે.

‘ધ કેન’ના અહેવાલમાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા

પોર્ટ ટુ એનર્જી સેક્ટરમાં કામ કરતા અદાણી ગ્રુપની લોનની ચુકવણી અંગે ‘ધ કેન’ના અહેવાલમાં અનેક સવાલો ઉભા થયા છે. અહેવાલમાં જૂથના દાવાને નકારી કાઢતી અનેક દલીલો પણ આપવામાં આવી છે. એવું પણ પૂછવામાં આવ્યું છે કે શું અદાણી જૂથે તેની 2.15 અબજ ડોલરની લોન ખરેખર ચૂકવી દીધી છે?

અદાણી ગ્રૂપે આ મહિનાની શરૂઆતમાં દાવો કર્યો હતો કે તેણે 2.15 બિલિયન ડોલરની શેર-બેક્ડ લોનની સંપૂર્ણ ચુકવણી કરી દીધી છે. તેણે 31 માર્ચ 2023ની સમયરેખા પહેલા જ આ પૂર્ણ કરી લીધું છે. અદાણી ગ્રુપના આ દાવાને ‘ધ કેન’ના અહેવાલમાં નકારી કાઢવામાં આવ્યો છે.

અદાણી ગ્રૂપે અડધી લોન ચૂકવી હોવાનો દાવો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોનની ચુકવણી કરવા છતાં અદાણી ગ્રૂપના શેરનો મોટો હિસ્સો બેંકો પાસે મોર્ટગેજ (કોલેટરલ)ના રૂપમાં ગીરવે મૂક્યો છે તે હજુ સુધી પરત કરવામાં આવ્યો નથી. જ્યારે સામાન્ય રીતે બેંકો લોનની ચુકવણી પછી તરત જ શેર બહાર પાડે છે.

‘ધ કેન’નો અહેવાલ કહે છે કે હકીકતમાં અદાણી જૂથે સંપૂર્ણ લોન ચૂકવી નથી, પરંતુ કાર્યવાહીથી બચવા અને દેવાનો બોજ ઘટાડવા માટે આંશિક ચુકવણી કરી છે, એટલે કે માત્ર અડધી લોન પરત કરી છે.

અદાણીના શેર તૂટ્યા

આ અહેવાલ સામે આવ્યા બાદ મંગળવારે અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ તમામ 10 કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો થયો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેર 5 ટકાથી વધુ તૂટ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">