SBI એ અશ્વિની ભાટિયાના સ્થાને આલોક કુમારને નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે આલોક કુમાર(Alok Kumar)ની નિમણૂક કરવામાં આવી છે. આ રીતે, SBIમાં હવે કુલ ચાર મેનેજિંગ ડિરેક્ટર છે. આ ચારથી ઉપર બેંકના ચેરમેન દિનેશ ખારા છે.
આલોક કુમારને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI Managing Director)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ SBIના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર હતા. આગામી બે વર્ષ માટે તેમની નિમણૂક કરવામાં આવી છે. આલોક કુમાર હાલમાં ફાઇનાન્સ પોર્ટફોલિયો માટે જવાબદાર હતા. હવે તેમને દેશની સૌથી મોટી બેંકમાં કોર્પોરેટ બેંકિંગ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીની જવાબદારી સોંપવામાં આવી છે. આલોક કુમાર અશ્વિની ભાટિયાનું સ્થાન લેશે. અશ્વિની ભાટિયાને સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના સભ્ય બનાવવામાં આવ્યા છે. SBIમાં તેમનો કાર્યકાળ 31 મે 2022 ના રોજ સમાપ્ત થયો. કેબિનેટની નિમણૂક સમિતિએ આલોક કુમારને મેનેજિંગ ડિરેક્ટર બનાવવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ પ્રસ્તાવ નાણાકીય સેવા વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો.
આલોક કુમારનો બે વર્ષનો કાર્યકાળ 30 જૂન, 2024ના રોજ પૂરો થશે. આલોક કુમારની છેલ્લા ત્રણ વર્ષથી SBIના દિલ્હી ક્ષેત્રના ચીફ જનરલ મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે વર્ષ 1987 માં પ્રોબેશનરી ઓફિસર તરીકે એસબીઆઈમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. છેલ્લા 32 વર્ષોમાં તેમણે દેશની અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ મહત્વની જવાબદારીઓ સંભાળી છે.
SBI પાસે હવે ચાર મેનેજિંગ ડિરેક્ટર છે
આલોક કુમારની નિમણૂક બાદ હવે SBIના ચાર મેનેજિંગ ડિરેક્ટર છે. અને આ ચારેય ઉપર ચેરમેન દિનેશ ખારા છે. આલોક કુમાર ઉપરાંત સીએસ સેટ્ટી, સ્વામીનાથન જાનકીરામ અને અશ્વિની કુમાર તિવારી બેંકના અન્ય ત્રણ મેનેજિંગ ડિરેક્ટર છે. સીએસ સેટ્ટી રિટેલ બેન્કિંગની જવાબદારી ધરાવે છે. સ્વામીનાથન સ્ટ્રેસ્ડ એસેટ્સ માટે જવાબદાર છે, જ્યારે અશ્વિની તિવારી ઇન્ટરનેશનલ બેન્કિંગનો હવાલો સંભાળે છે.
7 ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવી છે
તે જ મહિનામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 7 ચીફ જનરલ મેનેજરને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે બઢતી આપવાનો નિર્ણય લીધો હતો. ET નાઉના સમાચાર અનુસાર, સાંકલ બાલા, રૂમા ડે, અમિતાભ ચેટર્જી, શમશેર સિંહ, વિદ્યા કૃષ્ણન, ગુલશન મલિક અને પ્રવીણ રાઘવેન્દ્રને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે.
કોને શું જવાબદારી મળી?
પ્રવીણ રાઘવેન્દ્રને રિટેલ, એગ્રી અને એસએમઈની જવાબદારી સોંપવામાં આવી છે. વિદ્યા કૃષ્ણનને આઈટીની જવાબદારી મળી છે. આ સિવાય બેંકે 29 જનરલ મેનેજરને ચીફ જનરલ મેનેજર તરીકે પ્રમોટ કર્યા છે.