Sabka Sapna Money Money : એવી રીતે Mutual Fundની પસંદગી કરો કે સારુ વળતર પણ મળે અને નાણાં સુરક્ષિત રહે, જાણો શું છે રીત

જો તમે પણ Mutual Fundમાં રોકાણ કરવા માગો છો તો તમારે તમારા Mutual Fundની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવી જોઇએ. દરેક વ્યક્તિ પાસે રોકાણ અને બચત કરવાની પોતાની રીત હોય છે. મોટેભાગે લોકો શેમાં રોકાણ કરવામાં ઓછુ જોખમ છે તે જોઇને રોકાણ કરતા હોય છે. ઘણા લોકો તો જોખમથી (Risk) ડરતા હોય છે અને તેઓ નાની બચત યોજનાઓ અથવા બેંક એફડીની પદ્ધતિ અપનાવે છે.

Sabka Sapna Money Money : એવી રીતે Mutual Fundની પસંદગી કરો કે સારુ વળતર પણ મળે અને નાણાં સુરક્ષિત રહે, જાણો શું છે રીત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 3:54 PM

Mutual Fund : ભારતમાં ધીરે ધીરે Mutual Fund ખૂબ જ પસંદ થઇ રહ્યા છે. ખાસ કરીને કોરોના મહામારી બાદ લોકો તેમાં રોકાણ (Investment) તરફ વળી રહ્યા છે.જો તમે પણ Mutual Fundમાં રોકાણ કરવા માગો છો તો તમારે તમારા Mutual Fundની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવી જોઇએ.

દરેક વ્યક્તિ પાસે રોકાણ અને બચત કરવાની પોતાની રીત હોય છે. મોટેભાગે લોકો શેમાં રોકાણ કરવામાં ઓછુ જોખમ છે તે જોઇને રોકાણ કરતા હોય છે. ઘણા લોકો તો જોખમથી (Risk) ડરતા હોય છે અને તેઓ નાની બચત યોજનાઓ અથવા બેંક એફડીની પદ્ધતિ અપનાવે છે, જ્યારે જે લોકો જોખમ લેવાથી ડરતા નથી તેઓ સારા વળતરની (Return) શોધમાં શેરબજાર તરફ વળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં શેરબજારમાં નાણાંનું રોકાણ કરનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આ સાથે મ્યુચ્યુઅલ ફંડની માગ પણ વધી છે.

આ પણ વાંચો-Sabka Sapna Money Money : Mutual Fundને ક્યારે વેચવા જોઇએ ? એન્ટ્રી સાથે એક્ઝિટનું પણ ધ્યાન રાખવુ જોઇએ

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ ભંડોળ ખૂબ ઉપયોગી થઈ શકે

મ્યુચ્યુઅલ ફંડ્સ માત્ર ફુગાવાને હરાવીને વળતર જ આપતા નથી, પરંતુ લાંબા ગાળે તમારા નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. જો કે તેની સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું પણ પોતાનું જોખમ છે. ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે પસંદ કરવું, જેથી માત્ર સારું વળતર જ નહીં પરંતુ રોકાણ પણ સુરક્ષિત રહે. અમે તમને તેના વિશે જણાવીશુ.

જૂનું પ્રદર્શન ગેરંટી આપતું નથી

મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરતી વખતે લોકો જે મુખ્ય વસ્તુ પર ધ્યાન લે છે તે છે વળતર.જો કે આ બાબત ખોટી પણ નથી, પરંતુ માત્ર વળતર જોઈને નાણાંનું રોકાણ કરવું ભારે પડી શકે છે. જો મ્યુચ્યુઅલ ફંડે ભૂતકાળમાં સારું વળતર આપ્યું હોય તો તે ભવિષ્યમાં પણ સારું વળતર આપશે તેની ગેરંટી નથી. બજારના નિષ્ણાંતો રોકાણકારોને આ ભૂલ ન કરવાની સલાહ આપે છે.

કોઈનાથી પ્રભાવિત થવાનું ટાળો

રોકાણકારો જે બીજી સૌથી મોટી ભૂલ કરે છે તે એ છે કે તે નામથી પ્રભાવિત થઇ જાય છે. આજે ફેસબુકથી લઈને ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સુધી ઘણા ફાઇનાન્સિયલ ઇન્ફ્લુએન્ઝર છે, જેમને ફાઈનાન્સર પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આવા લોકો પોતાના કોઇ સ્વાર્થ માટે ચોક્કસ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને પ્રોત્સાહન આપતા હોય છે. આ માટે તે પ્રભાવિત કરનારા આંકડાનો પણ ઉપયોગ કરે છે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસાનું રોકાણ કરવા જઈ રહ્યા છો તો આ ભૂલથી પણ બચવું જરૂરી છે. કોઈપણ પ્રભાવક અથવા તેના દ્વારા ઉલ્લેખિત નામોથી પ્રભાવિત થશો નહીં.

આ વાતની ચકાસણી સારી રીતે કરવી

કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની સફળતાનું કારણ ફંડ હાઉસ કે ફંડ મેનેજર નથી, પરંતુ તેના ઉત્તમ વળતરનું રહસ્ય તેની પદ્ધતિમાં છુપાયેલું છે. કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં પૈસાનું રોકાણ કરતા પહેલા તમારે જોવું જોઈએ કે તેની પ્રક્રિયા શું છે. સંબંધિત યોજનાના નાણાંનો ઉપયોગ કેવી રીતે થવાનો છે. આ બાબતને સારી રીતે તપાસ્યા પછી જ તમારી સામે સ્પષ્ટ થશે કે સંબંધિત મ્યુચ્યુઅલ ફંડ યોજના તમારા માટે ઉપયોગી છે કે નહીં.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">