AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabka Sapna Money Money : Mutual Fundને ક્યારે વેચવા જોઇએ ? એન્ટ્રી સાથે એક્ઝિટનું પણ ધ્યાન રાખવુ જોઇએ

મ્યુચ્યુઅલ ફંડ ખરીદવાની સાથે તેને ક્યારે વેચવા જોઇએ તેનું પણ ધ્યાન રાખવુ જરુરી છે. મ્યુચ્યુઅલ ફંડને (Mutual Fund) વેચવાનો નિર્ણય લેતા પહેલા સાવચેતીપૂર્વક વિચારણા જરુરી છે. સાથે જ વેચાણ પહેલા વિવિધ પરિબળોને સમજવાની જરૂર છે, જે તેના વેચાણની કામગીરીને અસર કરી શકે છે.

Sabka Sapna Money Money : Mutual Fundને ક્યારે વેચવા જોઇએ ? એન્ટ્રી સાથે એક્ઝિટનું પણ ધ્યાન રાખવુ જોઇએ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 4:00 PM
Share

Mutual Fund: સમય સાથે પોતાની સંપત્તિમાં વૃદ્ધિ ઇચ્છતા લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ (Investment) શરુ કરવા માટે અનેક બાબતોનું ધ્યાન રાખવુ પડે છે. જો કે મ્યુચ્યુઅલ ફંડ ખરીદવાની સાથે તેને ક્યારે વેચવા જોઇએ તેનું પણ ધ્યાન રાખવુ જરુરી છે. મ્યુચ્યુઅલ ફંડને (Mutual Fund) વેચવાનો નિર્ણય લેતા પહેલા સાવચેતીપૂર્વક વિચારણા જરુરી છે. સાથે જ વેચાણ પહેલા વિવિધ પરિબળોને સમજવાની જરૂર છે, જે તેના વેચાણની કામગીરીને અસર કરી શકે છે.

આ પણ વાંચો- Sabka Sapna Money Money : Debt Mutual Fund શું છે, તમે જોખમ વિના તેમાં રોકાણ કરી શકો છો

મ્યુચ્યુઅલ ફંડ વેચવાના અનેક કારણ હોઇ શકે

તમારા મ્યુચ્યુઅલ ફંડ્સ વેચવાના ઘણા કારણો હોઇ શકે છે. લાંબા ગાળા સુધી નબળું પ્રદર્શન, નાણાકીય લક્ષ્યમાં બદલાવ, ઊંચી ફી અથવા ખર્ચ, ફંડ રણનીતિ અથવા સંચાલનમાં નોંધપાત્ર ફેરફાર, પોર્ટફોલિયો પુનઃસંતુલિત કરવાની જરૂરિયાત અને વૈવિધ્યકરણની ખોટ એ સામાન્ય પરિબળો છે જે તમને વેચવા માટે પ્રેરિત કરી શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા દરેક પરિસ્થિતિનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું જોઇએ અને નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે.

મ્યુચ્યુઅલ ફંડ વેચવાનો શ્રેષ્ઠ સમય ક્યારે છે?

નાણાંકીય લક્ષ્ય મેળવી લીધુ હોય

મ્યુચ્યુઅલ ફંડ ખરીદતા સમયે જે કોઇ નાણાંકીય લક્ષ્ય રાખવામાં આવ્યો હોય અને તે હાંસલ થઇ જાય ત્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ વેચાણનો વિચાર કરી શકો છો. જો તમે કોઈ ચોક્કસ નાણાકીય ઉદ્દેશ્ય સાથે રોકાણ કર્યું હોય, જેમ કે નિવૃત્તિ બચત અથવા ઘર પર ડાઉન પેમેન્ટ તો તમે તમારા શેર મ્યુચ્યુઅલ ફંડમાં વેચવા વિચારી શકો છો.

ફંડ સારું પ્રદર્શન ન કરતુ હોય

જો તમે જે ફંડમાં રોકાણ કર્યું છે તે ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે, એટલે કે ફંડ તમારી વૃદ્ધિની અપેક્ષાઓ પૂરી કરી રહ્યું નથી, તો તમે તમારા શેર વેચવાનું અને અલગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી શકો છો.

જ્યારે રુપિયાની જરુરિયાત હોય

જો તમને અણધારી કટોકટી માટે રોકડની જરૂર હોય, જેમ કે મેડિકલ બિલ અથવા ભારે કાર રિપેર બિલ,ઘર કે કોઇ અન્ય સંપત્તી ખરીદવાની જરુરિયાત હોય તો તમે તમારા મ્યુચ્યુઅલ ફંડના શેર વેચવાનું વિચારી શકો છો.

રોકાણની રણનીતિ બદલવાનો વિચાર

જો તમારો રોકાણનો અભિગમ બદલાઈ રહ્યો છે, તો તમે તમારા મ્યુચ્યુઅલ ફંડના શેર વેચી શકો છો અને નવા ફંડ્સમાં રોકાણ કરી શકો છો. જે તમારી નવી વ્યૂહરચના સાથે વધુ સુસંગત હોય.

આ બાબતો ધ્યાનમાં રાખો

તમારા મ્યુચ્યુઅલ ફંડને વેચવાનું નક્કી કરતા સમયે જે એક્ઝિટ ચાર્જ લાગે છે તેના વિશે તમને માહિતી હોવી જરુરી છે. તમે પસંદ કરો છો તે ફંડ અને બ્રોકરના આધારે રિડેમ્પશન ફી બદલાઈ શકે છે. તમારી ચોક્કસ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને જાણકાર નિર્ણય લેવા માટે નાણાકીય નિષ્ણાતની સલાહ લેવી સલાહભર્યું છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">