AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રતિબંધની બાબતમાં રશિયા ટોચ પર, ભારત આવ્યું સમર્થનમાં, હવે ભારતીય ચલણમાં થશે વેપાર !

નાણાકીય વર્ષ 2020-21માં ભારત અને રશિયા વચ્ચે 8 અબજ ડોલરનો વેપાર થયો હતો. આમાં ભારતે $5.5 બિલિયનની આયાત કરી હતી, જ્યારે $2.5 બિલિયનની નિકાસ કરવામાં આવી હતી.

પ્રતિબંધની બાબતમાં રશિયા ટોચ પર, ભારત આવ્યું સમર્થનમાં, હવે ભારતીય ચલણમાં થશે વેપાર !
Modi- putin (File image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 4:12 PM
Share

પ્રતિબંધની બાબતમાં, રશિયા (Sanctions on Russia) હાલમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે. યુક્રેન (Russia-Ukraine crisis) પરના હુમલાને કારણે અમેરિકા અને યુરોપ સહિતના સહયોગી દેશોએ રશિયા પર તમામ પ્રકારના પ્રતિબંધો લાદ્યા છે. પ્રતિબંધોના મામલામાં તે ઈરાન કરતાં ઘણું આગળ નીકળી ગયું છે. તેના 630 અબજ ડોલરના અનામતનો કોઈ ઉપયોગ થયો ન હતો. યુએસએ ડૉલર-રુબલ કરન્સી સ્વેપ બંધ કરી દીધું છે સાથે જ SWIFT પેમેન્ટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ સ્થિતિમાં ભારત પોતાના જૂના મિત્રની મદદ કરી શકે છે. માહિતી અનુસાર, રશિયન બેંકો નિકાસકારો સાથે રૂપિયા-રુબલ પેમેન્ટ સ્વીકારવા માટે વાત કરી રહી છે.

આ મિકેનિઝમ હેઠળ, રશિયન રૂબલને ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવશે અને પછી ભારતીય બેંકમાં જમા કરવામાં આવશે. બે રશિયન બેંકો – Sberbank અને VTB ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઓળખવામાં આવી છે. હાલમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી. સરકારી સૂત્રોએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે આ સંબંધમાં નિર્ણય ઉચ્ચ સ્તરે લેવામાં આવશે. હાલમાં, રશિયન બેંકોની ઓળખ કરવામાં આવી છે.

આયાતકાર અને નિકાસકાર વચ્ચે ખાસ કરાર થશે

ભારત અને રશિયા વચ્ચે 8 બિલિયન ડોલર એટલે કે લગભગ 60 હજાર કરોડ રૂપિયાનો વાર્ષિક બિઝનેસ છે. આ મિકેનિઝમ હેઠળ, ભારતીય નિકાસકારે રશિયન આયાતકાર સાથે કરાર કરવો પડશે. આ કરાર હેઠળ, ખરીદનાર રૂબલમાં ચુકવણી કરશે અને આ નાણાં રશિયન બેંકની ભારતીય શાખામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જે દિવસે નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે તે દિવસે ચલણ દરની ગણતરી કરવામાં આવશે. ભારતમાં રશિયન બેંકની શાખામાંથી તે નિકાસકારના બેંક ખાતામાં ચુકવણી ભારતીય રૂપિયામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આવો જ વેપાર ઈરાન સાથે પણ કરવામાં આવ્યો હતો

ભારત અને રશિયા વચ્ચે બહુ વેપાર નથી, પરંતુ રશિયા ટ્રેડ સરપ્લસમાં છે. આનો અર્થ એ છે કે ભારત રશિયા પાસેથી નિકાસ કરતાં વધુ આયાત કરે છે. આ પહેલીવાર નથી જ્યારે ભારત આવી ટ્રેડ મિકેનિઝમ પર કામ કરશે. એક દાયકા પહેલા ભારતે ઈરાન સાથે આવો જ વેપાર સ્થાપ્યો હતો. જોકે, અમેરિકાના પ્રતિબંધોને કારણે ભારતે ઈરાન સાથેના વેપાર સંબંધો તોડવા પડ્યા હતા, જ્યારે ઈરાન ભારતનો સૌથી મોટો તેલ નિકાસકાર હતો.

રશિયા સાથે 3 બિલિયન ડોલરની વેપાર ખાધ

નાણાકીય વર્ષ 2020-21માં ભારત અને રશિયા વચ્ચે 8 અબજ ડોલરનો વેપાર થયો હતો. આમાં ભારતને 5.5 બિલિયન ડોલરની આયાત કરી હતી, જ્યારે 2.5 ડોલર બિલિયનની નિકાસ કરવામાં આવી હતી. આ રીતે, ભારત 3 અબજ ડોલરની વેપાર ખાધમાં જીવી રહ્યું હતું. ભારત રશિયા પાસેથી મોટા પાયે હીરા અને તેલ ખરીદે છે. ફાર્મસી અને મશીનરીની નિકાસ મુખ્યત્વે અહીંથી રશિયામાં થાય છે.

આ પણ વાંચો :કાઉન્ટી ક્રિકેટની આ ટીમમાં જોડાયો ચેતેશ્વર પૂજારા, ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતા લીધો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો :PM MODI નો ભવ્ય રોડ-શૉ પૂર્ણ, PM MODI ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા, કમલમમાં ધારાસભ્યો-મંત્રીઓ-નેતાઓ સહિત 432 આગેવાનોની ઉપસ્થિત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">