પ્રતિબંધની બાબતમાં રશિયા ટોચ પર, ભારત આવ્યું સમર્થનમાં, હવે ભારતીય ચલણમાં થશે વેપાર !

નાણાકીય વર્ષ 2020-21માં ભારત અને રશિયા વચ્ચે 8 અબજ ડોલરનો વેપાર થયો હતો. આમાં ભારતે $5.5 બિલિયનની આયાત કરી હતી, જ્યારે $2.5 બિલિયનની નિકાસ કરવામાં આવી હતી.

પ્રતિબંધની બાબતમાં રશિયા ટોચ પર, ભારત આવ્યું સમર્થનમાં, હવે ભારતીય ચલણમાં થશે વેપાર !
Modi- putin (File image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 4:12 PM

પ્રતિબંધની બાબતમાં, રશિયા (Sanctions on Russia) હાલમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે. યુક્રેન (Russia-Ukraine crisis) પરના હુમલાને કારણે અમેરિકા અને યુરોપ સહિતના સહયોગી દેશોએ રશિયા પર તમામ પ્રકારના પ્રતિબંધો લાદ્યા છે. પ્રતિબંધોના મામલામાં તે ઈરાન કરતાં ઘણું આગળ નીકળી ગયું છે. તેના 630 અબજ ડોલરના અનામતનો કોઈ ઉપયોગ થયો ન હતો. યુએસએ ડૉલર-રુબલ કરન્સી સ્વેપ બંધ કરી દીધું છે સાથે જ SWIFT પેમેન્ટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ સ્થિતિમાં ભારત પોતાના જૂના મિત્રની મદદ કરી શકે છે. માહિતી અનુસાર, રશિયન બેંકો નિકાસકારો સાથે રૂપિયા-રુબલ પેમેન્ટ સ્વીકારવા માટે વાત કરી રહી છે.

આ મિકેનિઝમ હેઠળ, રશિયન રૂબલને ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવશે અને પછી ભારતીય બેંકમાં જમા કરવામાં આવશે. બે રશિયન બેંકો – Sberbank અને VTB ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઓળખવામાં આવી છે. હાલમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી. સરકારી સૂત્રોએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે આ સંબંધમાં નિર્ણય ઉચ્ચ સ્તરે લેવામાં આવશે. હાલમાં, રશિયન બેંકોની ઓળખ કરવામાં આવી છે.

આયાતકાર અને નિકાસકાર વચ્ચે ખાસ કરાર થશે

ભારત અને રશિયા વચ્ચે 8 બિલિયન ડોલર એટલે કે લગભગ 60 હજાર કરોડ રૂપિયાનો વાર્ષિક બિઝનેસ છે. આ મિકેનિઝમ હેઠળ, ભારતીય નિકાસકારે રશિયન આયાતકાર સાથે કરાર કરવો પડશે. આ કરાર હેઠળ, ખરીદનાર રૂબલમાં ચુકવણી કરશે અને આ નાણાં રશિયન બેંકની ભારતીય શાખામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જે દિવસે નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે તે દિવસે ચલણ દરની ગણતરી કરવામાં આવશે. ભારતમાં રશિયન બેંકની શાખામાંથી તે નિકાસકારના બેંક ખાતામાં ચુકવણી ભારતીય રૂપિયામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આવો જ વેપાર ઈરાન સાથે પણ કરવામાં આવ્યો હતો

ભારત અને રશિયા વચ્ચે બહુ વેપાર નથી, પરંતુ રશિયા ટ્રેડ સરપ્લસમાં છે. આનો અર્થ એ છે કે ભારત રશિયા પાસેથી નિકાસ કરતાં વધુ આયાત કરે છે. આ પહેલીવાર નથી જ્યારે ભારત આવી ટ્રેડ મિકેનિઝમ પર કામ કરશે. એક દાયકા પહેલા ભારતે ઈરાન સાથે આવો જ વેપાર સ્થાપ્યો હતો. જોકે, અમેરિકાના પ્રતિબંધોને કારણે ભારતે ઈરાન સાથેના વેપાર સંબંધો તોડવા પડ્યા હતા, જ્યારે ઈરાન ભારતનો સૌથી મોટો તેલ નિકાસકાર હતો.

રશિયા સાથે 3 બિલિયન ડોલરની વેપાર ખાધ

નાણાકીય વર્ષ 2020-21માં ભારત અને રશિયા વચ્ચે 8 અબજ ડોલરનો વેપાર થયો હતો. આમાં ભારતને 5.5 બિલિયન ડોલરની આયાત કરી હતી, જ્યારે 2.5 ડોલર બિલિયનની નિકાસ કરવામાં આવી હતી. આ રીતે, ભારત 3 અબજ ડોલરની વેપાર ખાધમાં જીવી રહ્યું હતું. ભારત રશિયા પાસેથી મોટા પાયે હીરા અને તેલ ખરીદે છે. ફાર્મસી અને મશીનરીની નિકાસ મુખ્યત્વે અહીંથી રશિયામાં થાય છે.

આ પણ વાંચો :કાઉન્ટી ક્રિકેટની આ ટીમમાં જોડાયો ચેતેશ્વર પૂજારા, ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતા લીધો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો :PM MODI નો ભવ્ય રોડ-શૉ પૂર્ણ, PM MODI ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા, કમલમમાં ધારાસભ્યો-મંત્રીઓ-નેતાઓ સહિત 432 આગેવાનોની ઉપસ્થિત

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">