AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૃષિ કામદારો અને ગ્રામીણ કામદારો માટે વધી મોંઘવારી, ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાની અસર

ગ્રામીણ વિસ્તારો સંબંધિત મોંઘવારીના દરમાં સૌથી વધુ ઘટાડો ઉત્તર પ્રદેશમાં નોંધાયો હતો, જ્યાં મોંઘવારીના સૂચકાંકમાં બંને કેટેગરીમાં ઘટાડો થયો છે, જ્યારે સૌથી વધુ વધારો હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળ્યો.

કૃષિ કામદારો અને ગ્રામીણ કામદારો માટે વધી મોંઘવારી, ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાની અસર
Inflation increased for rural workers
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 11:54 PM
Share

ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના ભાવમાં મોંઘવારીમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે, કેટલાક ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં વધારો થવાને કારણે જાન્યુઆરીમાં કૃષિ કામદારો અને ગ્રામીણ કામદારો માટે છૂટક મોંઘવારી દર અનુક્રમે 5.49 ટકા અને 5.74 ટકા થયો છે. શુક્રવારના રોજ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, કૃષિ કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-AL) પર આધારિત મોંઘવારીનો દર જાન્યુઆરી 2022 માં 5.49 ટકા હતો. તે જ સમયે, ગ્રામીણ કામદારો માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI-RL) પર આધારિત મોંઘવારીનો દર 5.74 ટકા હતો. અગાઉ ડિસેમ્બર 2021માં, કૃષિ કામદારો માટે મોંઘવારીનો દર 4.78 ટકા અને ગ્રામીણ કામદારો માટે 5.03 ટકા હતો. શ્રમ મંત્રાલયે જણાવ્યું કે જાન્યુઆરી 2021માં CPI-L 2.17 ટકા અને CPI-RL 2.35 ટકા હતો.

ખાદ્ય મોંઘવારી દરમાં વધારો

જાન્યુઆરી 2022માં ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાને કારણે કૃષિ કામદારો અને ગ્રામીણ કામદારો માટે છૂટક મોંઘવારી દર વધ્યો છે. કૃષિ કામદારો માટે ખાદ્ય મોંઘવારી દર જાન્યુઆરીમાં 4.15 ટકા હતો, જ્યારે ગ્રામીણ કામદારો માટે તે 4.33 ટકા હતો. ડિસેમ્બર 2021માં તે અનુક્રમે 2.99 ટકા અને 3.17 ટકા હતો.

રાષ્ટ્રીય સ્તરે, CPI-AL ડિસેમ્બર 2021 ની સરખામણીમાં જાન્યુઆરી 2022 માં 2 પોઈન્ટ ઘટીને 1,095 થયો, જ્યારે CPI-RL એક પોઈન્ટ ઘટીને 1,105 થયો. રાજ્યોમાં સૌથી મોટો ઘટાડો ઉત્તર પ્રદેશમાં નોંધાયો હતો, જ્યાં ફુગાવાના સૂચકાંકમાં બંને શ્રેણીઓમાં 9 પોઈન્ટનો ઘટાડો થયો હતો. તેનાથી વિપરીત, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં CPIR-Lમાં સૌથી વધુ 8 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો.

જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર 7 મહિનાની ટોચે

શાકભાજી, માંસ, માછલી જેવી ખાદ્ય ચીજો મોંઘી થવાને કારણે જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર વધીને 6.01 ટકાની સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. છૂટક મોંઘવારીનું આ સ્તર રિઝર્વ બેંકની સંતોષકારક શ્રેણીથી થોડું વધારે છે. તાજેતરમાં જાહેર કરાયેલા સત્તાવાર ડેટા અનુસાર, તેલ અને ચરબીના સેગમેન્ટમાં છૂટક મોંઘવારી દર 18.7 ટકા રહ્યો હતો.

ફ્યુઅલ અને લાઇટિંગ, ટેક્સટાઇલ અને ફૂટવેર અને ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન સેક્ટર સહિત અન્ય સેગમેન્ટમાં મોંઘવારી દર વાર્ષિક ધોરણે 9 ટકા વધ્યો છે. આ દરમિયાન, ડિસેમ્બર 2021 માટે મોંઘવારી દરનો આંકડો 5.59 ટકાથી સુધારીને 5.66 ટકા કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2021માં તે 4.06 ટકા હતો. અગાઉ, જૂન 2021માં તે 6.26 ટકાની ઊંચી સપાટીએ હતો.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO)ના ડેટા અનુસાર જાન્યુઆરી 2022માં ખાદ્ય ચીજોમાં મોંઘવારીનો દર 5.43 ટકા હતો જે અગાઉના મહિનામાં 4.05 ટકા હતો. ખાદ્યાન્ન અને તેના ઉત્પાદનોનો મોંઘવારીનો દર ડિસેમ્બર 2021માં 2.62 ટકાથી વધીને જાન્યુઆરીમાં 3.39 ટકા થયો છે. શાકભાજીના મામલામાં મોંઘવારી દર ડિસેમ્બરમાં 2.99 ટકાના ઘટાડા સામે વધીને 5.19 ટકા થયો હતો.

આ પણ વાંચો :  મહેસાણા: દૂધસાગર ડેરી સંચાલિત શિબિરમાં મધમાખી ઉછેર તાલીમની સાથે પ્રાકૃતિક ખેતીની પણ સમજ આપવામાં આવી

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">