AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને મોટી રાહત, SEBIએ OTM દ્વારા ચુકવણી માટે નિયમો સરળ કર્યા

માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે. સેબીએ વન ટાઈમ મેન્ડેટ (OTM) દ્વારા ઓનલાઈન મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારોની ચુકવણી માટેના નિયમોને સરળ બનાવ્યા છે.

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને મોટી રાહત, SEBIએ OTM દ્વારા ચુકવણી માટે નિયમો સરળ કર્યા
મ્યુચ્યુઅલ ફંડોએ 3 કરોડથી વધુ ફોલિયો ઉમેર્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 7:45 PM
Share

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine Crisis), વ્યાજદરમાં વધારો થવાના ડર અને વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીને લીધે બજાર તેમજ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ ભારે ઉથલપાથલનો સામનો કરવો પડ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) રોકાણકારોને રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે. સેબીએ વન ટાઈમ મેન્ડેટ (OTM) દ્વારા ઓનલાઈન મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારોની ચુકવણી માટેના નિયમોને સરળ બનાવ્યા છે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડના વર્તમાન રોકાણકારો માટે વન ટાઈમ મેન્ડેટ દ્વારા ચુકવણી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આમાં સ્ટોક એક્સચેન્જ (Stock Exchange) અને ઓનલાઈન પ્લેટફોર્મ પર મ્યુચ્યુઅલ ફંડ એકમોના વ્યવહારનો સમાવેશ થાય છે.

વન ટાઈમ મેન્ડેટ પ્રક્રિયા શું છે

વન ટાઈમ મેન્ડેટ અથવા OTM એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા તમને તમારા બેંક ખાતામાંથી દર મહિને SIP અથવા એકસાથે રોકાણની રકમ જેમ કે લોન EMI કાપવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ સેબીએ આ માટે એક શરત પણ મૂકી છે. શરત એ છે કે AMCs (એટલે ​​કે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ) એ સુનિશ્ચિત કરવું પડશે કે પેમેન્ટ એગ્રીગેટર્સ યોગ્ય પ્રોસેસિંગ મિકેનિઝમ માટે જરૂરી ધોરણોને પૂર્ણ કરે છે.

AMCs એ સુનિશ્ચિત કરવું પડશે કે OTM ચૂકવણી માત્ર મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ અથવા પૂલના માન્ય બેંક ખાતાઓમાં જ કરવામાં આવે. ભંડોળના કોઈપણ ગેરઉપયોગ અથવા કોઈપણ પ્રકારની અનિયમિતતા માટે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ જવાબદાર રહેશે.

શું છે સમગ્ર મામલો

1લી એપ્રિલ 2022થી સેબી દ્વારા માન્યતા પ્રાપ્ત ક્લિયરિંગ કોર્પોરેશનની તરફેણમાં નવા મેન્ડેટ સ્વીકારી શકાય છે. આ મેન્ડેટ માત્ર મ્યુચ્યુઅલ ફંડ એકમોના સબ્સ્ક્રિપ્શન માટે હશે, અન્ય કોઈ હેતુ માટે નહીં. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2021 માં, સેબીએ સ્ટોક બ્રોકર્સ અને ક્લિયરિંગ કોર્પોરેશનોને વન ટાઈમ મેન્ડેટ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ એકમો માટે ચૂકવણી સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

એટલે કે, હવે સ્ટોક બ્રોકર્સ OTM દ્વારા પેમેન્ટ સ્વીકારી શકશે નહીં અને માત્ર માન્ય ક્લિયરિંગ કોર્પોરેશનો જ પેમેન્ટ સ્વીકારી શકશે. બીજી બાજુ, મ્યુચ્યુઅલ ફંડ એકમોના વેચાણ માટે, ઓનલાઈન સોદા માટે ટૂ-સ્ટેપ ઓથેન્ટિકેશન પ્રોસેસ અને ઓફલાઈન સોદા માટે સહી પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવશે. ઓથેન્ટિકેશન પર સેબીની સૂચનાઓ 15 એપ્રિલથી અમલમાં આવશે.

આ પણ વાંચો : હવે PF ખાતામાં ઘરે બેઠા જ બદલો IFSC કોડ જેવી મહત્વપૂર્ણ બેંક ડિટેલ્સ, અહીં જાણો પુરી પ્રોસેસ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">