AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance નો વધુ એક ક્ષેત્રમાં પ્રવેશ, બે ભારતીય બ્રાન્ડને પુનર્જીવિત કરી ટીવી અને ફ્રીઝનું કરશે ઉત્પાદન

રિલાયન્સ બે જૂની ભારતીય બ્રાન્ડ્સને પુનર્જીવિત કરવા અને તમામ ચેનલોમાં વેચાણ વધારવા માટે આક્રમક માર્કેટિંગ અને વિતરણ વ્યૂહરચના પર કામ કરી રહી છે.

Reliance નો વધુ એક ક્ષેત્રમાં પ્રવેશ, બે ભારતીય બ્રાન્ડને પુનર્જીવિત કરી ટીવી અને ફ્રીઝનું કરશે ઉત્પાદન
Mukesh Ambani - Chairman , Relince Industries
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 9:19 AM
Share

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ સંબંધિત મોટા સમાચાર આવ્યા છે. જે પણ ક્ષેત્રમાં ડગ માંડે તે ક્ષેત્રમાં ક્રાંતિ સર્જવા માટે જાણતી મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની વધુ એક ક્ષેત્રમાં પ્રવેશવા જય રહી છે. હકીકતમાં તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની પેટાકંપની રિલાયન્સ રિટેલે આઇકોનિક ભારતીય બ્રાન્ડ BPL અને Kelvinator હેઠળ કેન્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સના ઉત્પાદન અને માર્કેટિંગ માટે લાઇસન્સ મેળવ્યું છે. ટૂંકમાં કહી શકાય કે આગામી દિવસોમાં રિલાયન્સના એપ્લાયન્સિસ જોવા મળે તો નવાઈ નહિ

રિલાયન્સ રિટેલ ફેસ્ટિવ ઓર્ડર વોલ્યુમ આપણે બધા ફેસ્ટિવલ સીઝનના વેચાણ, સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને બોનસ, વિશાળ હોર્ડિંગ્સ અને બેનરોની રાહ જોતા હોઈએ છીએ પરંતુ કોરોનાવાયરસ રોગચાળાને કારણે ગ્રાહકો ઓનલાઈન ખરીદી તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે અને આમ ઇ-ટેઇલર્સ વેચાણ માટે કમર કસી રહ્યા છે.

મામલાના જાણકાર અધિકારીઓને ટાંકીને પ્રકાશિત એક મીડિયા રિપોર્ટમાં અહેવાલ અપાયો છે કે રિલાયન્સ રિટેલે અગાઉના તહેવારોની સિઝનની સરખામણીમાં એમેઝોન અને ફ્લિપકાર્ટમાં વિક્રેતાઓ દ્વારા મૂકવામાં આવેલ 40-70 ટકા સરખામણીમાં ઓર્ડર વોલ્યુમ 70 થી 400 ટકા વધારી દીધો છે.

રિલાયન્સ રિટેલ બે જૂની ભારતીય બ્રાન્ડ્સને પુનર્જીવિત કરશે રિલાયન્સ બે જૂની ભારતીય બ્રાન્ડ્સને પુનર્જીવિત કરવા અને તમામ ચેનલોમાં વેચાણ વધારવા માટે આક્રમક માર્કેટિંગ અને વિતરણ વ્યૂહરચના પર કામ કરી રહી છે.

ઓફલાઇન હોય કે ઓનલાઇન BPL અને Kelvinator તમામ સ્થાનિક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ, રિટેલ અને ઓનલાઇન પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવશે. આગામી ફેસ્ટિવલ સીઝન માટે કંપની નવી વસ્તુઓ અને મોટી જાહેરાત ઝુંબેશ વિકસાવશે તેવી માહિતી પણ છે જોકે આ બાબતે હજુ કોઈ સત્તાવાર સમર્થન નથી.

તાજેતરમાં પ્રકાશિત રિપોર્ટમાં એક ઇન્ડસ્ટ્રી એક્ઝિક્યુટિવને ટાંકીને જણાવ્યું હતું કે “ગયા વર્ષે રિલાયન્સે ઇ-કોમર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું હતું અને તે હજુ પણ વિકસિત થઇ રહ્યું છે. આ પ્રથમ વર્ષ હશે જ્યારે તેનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ વધારવામાં આવ્યું છે. “તેની વ્યાપક રાષ્ટ્રવ્યાપી હાજરી છે અને સાર્વત્રિક વેચાણ માટે સ્ટોર્સ સક્ષમ કરવામાં આવ્યા છે. ઇલેક્ટ્રોનિક્સમાં પુરવઠાની સમસ્યાઓ છે તેથી ધ્યાન ફેશન અને ગ્રોસરી પર છે.”

આ પણ વાંચો :  અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાને કારણે ભારતના અબજો રૂપિયા ફસાયા, સંસદથી લઈ સડક સુધી કરોડો રૂપિયાનું ભારતે કર્યું છે રોકાણ

આ પણ વાંચો :  New Rules from 1st September: આવતીકાલથી બચત, વ્યવસાય અને મુસાફરી સાથે જોડાયેલ આ 4 નવા નિયમ લાગુ પડશે , જાણો તમારા ઉપર શું પડશે અસર

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">