Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશની બેંકો અને નાણાકીય સંસ્થાઓને ગુજરાતમાં રોકાણ અને વિકાસ પ્રોજેક્ટ પર સૌથી વધુ ભરોસો છે – RBI રિપોર્ટ

આરબીઆઈનો આ અહેવાલ ગુજરાત માટે મોટી ઉપલબ્ધિ સમાન છે. આ જ કારણ છે કે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર જાન્યુઆરી 2024માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિનું આયોજન કરવાની યોજના બનાવી રહી છે. ઈવેન્ટ થકી ગુજરાત મોટા પાયે રોકાણને આકર્ષી શકશે.

દેશની બેંકો અને નાણાકીય સંસ્થાઓને ગુજરાતમાં રોકાણ અને વિકાસ પ્રોજેક્ટ પર સૌથી વધુ ભરોસો છે - RBI રિપોર્ટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 7:56 PM

આર્થિક ભંડોળ એ વિકાસ માટે મહત્વનો ભાગ છે. ત્યારે દેશની બેંકો અને નાણાકીય સંસ્થાઓએ ફરી એકવાર ગુજરાતના વિકાસ પ્રોજેક્ટમાં મહત્તમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જે ભારતમાં રોકાણના સૌથી પ્રિય સ્થળ તરીકે તેની ઓળખ ધરાવે છે.

ઓગસ્ટ મહિનાના તાજેતરમાં બહાર પડેલા બુલેટિનમાં આરબીઆઈએ જણાવ્યું છે કે વર્ષ 2022-23માં ગુજરાતમાં સૌથી વધુ 82 વિકાસ પ્રોજેક્ટને દેશમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. આ કેટેગરીમાં 48 પ્રોજેક્ટ્સ સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે અને ઉત્તર પ્રદેશ 45 પ્રોજેક્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે.

10 વર્ષમાં ગુજરાતના 692 પ્રોજેક્ટને મળ્યું ફંડ

જો કે, બેંકો/નાણાકીય સંસ્થાઓ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટના કુલ ખર્ચમાં 14 ટકાના હિસ્સા સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. આરબીઆઈના બુલેટિન મુજબ છેલ્લા 10 વર્ષમાં એટલે કે 2013-14થી 2022-23 દરમિયાન દેશની બેંકો અને નાણાકીય સંસ્થાઓને ગુજરાતના વિકાસ પ્રોજેક્ટ્સમાં સૌથી વધુ વિશ્વાસ હતો. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના 692 વિકાસ પ્રોજેક્ટને ફંડ મળ્યું છે. આ સંખ્યા કોઈપણ રાજ્યમાં ભંડોળ મેળવતા વિકાસ પ્રોજેક્ટ્સની સૌથી વધુ સંખ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 17-04-2025
Mongoose vs Snake : સાપ નોળિયાને કેમ હરાવી શકતો નથી? આ 5 કારણો છે
Train Historic Journey : ભારતની પહેલી ટ્રેનમાં કેટલા લોકોએ મુસાફરી કરી હતી?
Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ
ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?
જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..

ગુજરાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સર્વગ્રાહી માર્ગદર્શન મળ્યું

એવું માનવામાં આવે છે કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સર્વગ્રાહી માર્ગદર્શન મળ્યું છે. આ જ કારણ છે કે રાજ્ય સરકાર આરબીઆઈના આ રિપોર્ટને મોટી ઉપલબ્ધિ તરીકે જોઈ રહી છે. ગુજરાત સરકાર માને છે કે વર્ષ 2022-23ના આ આંકડા અને છેલ્લા 10 વર્ષની આ સિદ્ધિ રાજ્યની રોકાણ-મૈત્રીપૂર્ણ નીતિ, ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ વાતાવરણ અને રાજ્યની સૌથી મોટી રોકાણકાર સમિટ ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ’ને કારણે છે. વડા પ્રધાનના માર્ગદર્શન તરીકે પણ છે.

આ પણ વાંચો : બેફામ વાહન હંકારતા તત્વોને ગૃહપ્રધાને આપી સલાહ, થ્રિલ અને સ્ટંટનો શોખ હોય તો આર્મીમાં જોડાવો: હર્ષ સંઘવી

2024માં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું  કરવામાં આવશે આયોજન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાન્યુઆરી 2024માં દસમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે. આવા સમયે ગુજરાતની આ સિદ્ધિ આગામી વાઈબ્રન્ટ સમિટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ આંકડાઓ આ કાર્યક્રમની સફળતા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાઈબ્રન્ટ ગુજરાત 2024 ઈવેન્ટ દ્વારા, ગુજરાત ફરી એકવાર મોટા પાયે રોકાણ અને વિકાસ પ્રોજેક્ટ્સને આકર્ષવાની તૈયારી કરી રહ્યું છે. આરબીઆઈનો આ અહેવાલ ચોક્કસપણે રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
g clip-path="url(#clip0_868_265)">