AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે સરળતાથી બંધ થઈ શક્શે ક્રેડિટ કાર્ડ, 1 જુલાઈથી લાગુ થઈ રહ્યો છે આ નવો નિયમ

બેંકે ગ્રાહક તરફથી ક્રેડિટ કાર્ડ ( credit card ) બંધ કરવાની રીક્વેસ્ટ પ્રક્રિયા 7 દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે. આમ કરવામાં નિષ્ફળતા પર કાર્ડ જાહેર કરનાર બેંક સામે પ્રતિ દિવસ 500 રૂપિયાનો દંડ થશે. ક્રેડિટ કાર્ડ બંધ ન થાય ત્યાં સુધી આ દંડ વસૂલવાનું ચાલુ રહેશે.

હવે સરળતાથી બંધ થઈ શક્શે ક્રેડિટ કાર્ડ, 1 જુલાઈથી લાગુ થઈ રહ્યો છે આ નવો નિયમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 6:42 AM
Share

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ક્રેડિટ અને ડેબિટ કાર્ડને લઈને કેટલાક નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો ગ્રાહકોને નવા કાર્ડ આપવા સંબંધિત છે. આ વર્તમાન નિયમોમાં કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે. રિઝર્વ બેંકે ક્રેડિટ કાર્ડ બંધ કરવા અંગે કેટલાક નવા નિયમો પણ બનાવ્યા છે. ગ્રાહકોને હવે પહેલા કરતાં ક્રેડિટ કાર્ડ બંધ (Credit Card Closure) કરવાના વધુ અનુકૂળ અધિકારો મળી રહ્યા છે. જો ગ્રાહક બેંકને ક્રેડિટ કાર્ડ (Credit Card) બંધ કરવા અથવા રદ કરવા કહેશે, તો તેના પર તરત જ કાર્યવાહી કરવામાં આવશે. બેંકો કાર્ડ બંધ કરશે અને ઈમેલ, એસએમએસ દ્વારા માહિતી આપશે.

રિઝર્વ બેંકે પોતાના નવા નિયમમાં જણાવ્યું છે કે ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે ગ્રાહકને ઘણી ચેનલો આપવામાં આવશે. જેમ કે બેંકનો હેલ્પલાઈન નંબર, સમર્પિત ઈમેલ આઈડી, આઈવીઆર, વેબસાઈટ પરની તેની લિંક, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ એપ વગેરે. આ તમામ માધ્યમથી ક્રેડિટ કાર્ડ બંધ કરી શકાય છે.

500 રૂપિયાનો દંડ

બેંકે ગ્રાહક તરફથી ક્રેડિટ કાર્ડ બંધ કરવાની વિનંતીની પ્રક્રિયા 7 દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે. આમ કરવામાં નિષ્ફળતા પર કાર્ડ જાહેર કરનાર બેંક સામે પ્રતિ દિવસ 500 રૂપિયાનો દંડ થશે. ક્રેડિટ કાર્ડ બંધ ન થાય ત્યાં સુધી આ દંડ વસૂલવાનું ચાલુ રહેશે. જો કે, જે ગ્રાહકે તેનું ક્રેડિટ કાર્ડ બંધ કરવાનું કહ્યું છે તેના ખાતામાં કોઈ બાકી રકમ હોવી જોઈએ નહીં. આ અહેવાલ ‘ઈકોનોમિક ટાઈમ્સ’ દ્વારા ઓનલાઈન પ્રકાશિત કરવામાં આવ્યો છે.

આરબીઆઈના નિર્દેશમાં જણાવાયું છે કે બેંકો ગ્રાહકને ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે પોસ્ટ દ્વારા ક્લોઝર રિક્વેસ્ટ મોકલવાનું કહી શકે નહીં. જો આમ કહેવામાં આવશે તો તેને વિનંતીમાં વિલંબનું કારણ ગણવામાં આવશે અને બેંકને દંડ કરવામાં આવશે. આ નિયમ NBFC માટે બેંકોની જેમ જ લાગુ પડે છે. જો ગ્રાહક કોઈપણ ઈલેક્ટ્રોનિક માધ્યમથી અથવા તો IVR દ્વારા કાર્ડ બંધ કરવાની વિનંતી આપે તો બેંકોએ કાર્ડ બંધ કરવાની પ્રક્રિયા 7 દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે.

બેંકો પોતે પણ કાર્ડ બંધ કરી શકે છે

જો એક વર્ષ સુધી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન થાય તો બેંકો ગ્રાહકને ઈમેલ, મેસેજ દ્વારા તેની જાણ કરશે અને તેને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરશે. જો કાર્ડધારક 30 દિવસની અંદર જવાબ નહીં આપે, તો બેંક આપમેળે ક્રેડિટ કાર્ડ રદ કરી દેશે. આ પછી, ક્રેડિટ માહિતી કંપનીને કાર્ડ રદ કરવાની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. જો ખાતાધારકના ક્રેડિટ કાર્ડમાં કોઈ રકમ બાકી બચી છે, તો તે તે જ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ પણ વાંચો : ડ્રાઇવર પાસે માન્ય લાઇસન્સ ન હોય તો પણ વીમા કંપની વળતર ચૂકવવા માટે જવાબદાર: મદ્રાસ હાઇકોર્ટ

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">