Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI UDGAM: શું તમે જાણવા માંગો છો તમારા વડવાઓ બેંકમાં કેટલા પૈસા મુકતા ગયા છે? તો આ સ્ટેપ્સ ફોલો કરી મેળવો બેંકમાં જમા રહેલા પૈસા

રિપોર્ટ અનુસાર, આ ખાતાઓ છેલ્લા એક દાયકા કે તેથી વધુ સમયથી ઓપરેટ કરવામાં આવ્યા નથી અને જમા થયેલી રકમ પર કોઈએ દાવો કર્યો નથી. એટલે કે, જો તમારા વડીલો અથવા દાદા-દાદી વગેરેએ બેંકમાં પૈસા છોડી દીધા છે, તો તમે આ પૈસા RBI પોર્ટલ પરથી મેળવી શકો છો.

RBI UDGAM: શું તમે જાણવા માંગો છો તમારા વડવાઓ બેંકમાં કેટલા પૈસા મુકતા ગયા છે? તો આ સ્ટેપ્સ ફોલો કરી મેળવો બેંકમાં જમા રહેલા પૈસા
RBI launches udgam centralised web portal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 11:59 AM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ એક નવું પોર્ટલ – UDGAM (અનક્લેઈમ ડિપોઝિટ – ગેટવે ટુ એક્સેસ ઈન્ફોર્મેશન) રજૂ કર્યું છે. આની મદદથી લોકો બેંકોમાં પડેલા પૈસા પાછા મેળવી શકશે. જો કે, આ તે પૈસા છે જેના પર આજ સુધી કોઈએ દાવો કર્યો નથી. તેનાથી અલગ-અલગ બેંકોમાં પડેલા પૈસા પાછા મેળવવામાં સરળતા રહેશે. નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે જણાવ્યું કે દેશની સરકારી બેંકોમાં જમા 35,012 કરોડ રૂપિયા આરબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમેરિકન ફર્મે અદાણીની કંપનીમાં રોકાણ વધાર્યું, બલ્ક ડીલ દ્વારા હિસ્સો ફરીથી ખરીદ્યો, 5.03 ટકા થયો સ્ટેક

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

રિપોર્ટ અનુસાર, આ ખાતાઓ છેલ્લા એક દાયકા કે તેથી વધુ સમયથી ઓપરેટ કરવામાં આવ્યા નથી અને જમા થયેલી રકમ પર કોઈએ દાવો કર્યો નથી. એટલે કે, જો તમારા વડીલો અથવા દાદા-દાદી વગેરેએ બેંકમાં પૈસા છોડી દીધા છે, તો તમે આ પૈસા RBI પોર્ટલ પરથી મેળવી શકો છો. આરબીઆઈએ આ પગલું જનતાના ફાયદા માટે ઉઠાવ્યું છે જેથી કરીને તેમને પૈસા પાછા મળે.

RBI UDGAM પોર્ટલ આ રીતે કામ કરશે

આરબીઆઈનું નવું પોર્ટલ લોકોને એ જાણવાની સુવિધા આપશે કે તેમના પૈસા બેંકમાં તો નથીને. જો તમારું અથવા તમારા માતા-પિતાનું એકાઉન્ટ લાંબા સમયથી સક્રિય નથી, અથવા તમે આવા એકાઉન્ટ્સ ભૂલી ગયા છો, તો તમે તમારા અથવા તમારા માતાપિતાનું એકાઉન્ટ તપાસી શકો છો. આ તમને બેંકમાં પડેલા પૈસા પાછા મેળવવાનો માર્ગ આપે છે.

RBI UDGAM: બેંકોનું લીસ્ટ

રિઝર્વ બેંક ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ (ReBIT), ઇન્ડિયન ફાઇનાન્શિયલ ટેક્નોલોજી અને એલાઇડ સર્વિસિસ (IFTAS), અને સહભાગી બેંકોએ સંયુક્ત રીતે આ પોર્ટલ શરૂ કર્યું.

હાલમાં આ પોર્ટલ સાથે સાત બેંકો જોડાયેલી છે

  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
  • પંજાબ નેશનલ બેંક
  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
  • ધનલક્ષ્મી બેંક લિમિટેડ
  • સાઉથ ઈન્ડિયન બેંક લિમિટેડ
  • ડીબીએસ બેંક ઈન્ડિયા લિમિટેડ
  • સિટીબેંક N.A.

પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો

ઉદગમ પોર્ટલનો લાભ લેવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

  • RBI UDGAM પોર્ટલ પર જઈ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
  • નામ, મોબાઈલ નંબર, પાસવર્ડ, કેપ્ચા કોડ નાખીને સબમિટ કરો.
  • મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલા OTP સાથે નોંધણીની ચકાસણી કરો.
  • OTP દ્વારા લોગિન કરીને UDGAM એકાઉન્ટ જુઓ.
  • વધુ એક OTP પર પ્રોસેસ પૂર્ણ કરો.
  • બેંક ખાતા ધારક, બેંકનું નામ અથવા ઓછામાં ઓછું એક માપદંડ એટલે કે પાન કાર્ડ, મતદાર કાર્ડ દાખલ કરવું પડશે.
  • હવે સર્ચ કરીને દાવા વગરની રકમ શોધી કાઢો.
  • આ રીતે તમે ભૂલી ગયેલી રકમ અથવા નોન-એક્ટિવ બેંક એકાઉન્ટ ડિપોઝીટ પાછી મેળવી શકો છો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">