AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાણી પરિવારની નાની પુત્રવધુએ કહ્યુ “મહિલાઓએ પૈસા કમાવા ખૂબ જરૂરી, ફર્ક નથી પડતો કોની દીકરી છો કે કોની વાઈફ છો”

અંબાણી પરિવારની નાની પુત્રવધુ રાધિકા મર્ચન્ટે મહિલાઓને સંદેશ આપ્ય છે કે તમે કોની દીકરી છો કે કોની વાઈફ છો, તે મેટર નથી કરતુ. મહિલાઓએ પૈસા કમાવા ખૂબ જરૂરી છે. દરેક મહિલાએ આર્થિક રીતે આત્મનિર્ભર બનવુ જરૂરી છે.

અંબાણી પરિવારની નાની પુત્રવધુએ કહ્યુ મહિલાઓએ પૈસા કમાવા ખૂબ જરૂરી, ફર્ક નથી પડતો કોની દીકરી છો કે કોની વાઈફ છો
| Updated on: Jun 23, 2026 | 2:24 PM
Share

રાધિકા મર્ચન્ટે મહિલાઓની આર્થિક આત્મનિર્ભરતા પર ભાર મુક્તા કહ્યુ કે મહિલાઓેએ પૈસા કમાવા અને પોતાના પૈસા પર નિયંત્રણ રાખવુ ખૂબ જરૂરી છે. જ્યારે મહિલા આર્થિક રીતે સ્વતંત્ર હોય છે. તો તે તેના નિર્ણયો ખુદ લઈ શકે છે અને જીવનમાં કોઈ પર નિર્ભર નથી રહેતી.

જ્યારે પણ મહિલા સશક્તિકરણની વાત આવે છે તો સૌથી મોટો સવાલ એ જ હોય છે કે અસલી આઝાદી ક્યાં છે? હાલમાં જ અંબાણી પરિવારની નાની પુત્રવધુ રાધિકા મર્ચન્ટે IIMUN ના ઈવેન્ટમાં વાત કરતા જણાવ્યુ કે અસલી ફર્ક પરિવારના નામથી નહીં પરંતુ આર્થિક આત્મનિર્ભરતાથી પડે છે. તેમનુ કહેવુ હતુ કે તમે ચારે ગમે તેવા મોટા પરિવાર કે નાના પરિવારથી હોય, જો તમે ખુદ કમાવ છો અને તમારા પૈસા પર તમારો કંટ્રોલ છે, તો તમે તમારા નિર્ણયો ખુદ લઈ શકો છો. તેમણે એ પણ સમજાવ્યુ કે ફાઈનાન્શિયલ ઈન્ડીપેન્ડન્ટ ન હોવાને કારણે મહિલાઓને અનેક પ્રકારના સમાધાન કરવા પડી શકે છે.

રાધિકાના મતે આર્થિક આત્મનિર્ભરતા કેમ જરૂરી છે?

IIMUN ની એક ઈવેન્ટમાં રાધિકા મર્ચન્ટે મહિલાઓની ફાઈનાન્શિયલ ઈન્ડીપેન્ડેન્સ પર વાત કરતા કહ્યુ કે એ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે તમે ક્યા પરિવારથી આવો છો કે કોની પત્ની બનવાના છો, યા તો તમારી લાઈફ ગમે તેટલી કમ્ફર્ટેબલ કેમ ન હોય. દરેક મહિલા માટે ફાઈનાન્શ્યિલ ઈન્ડીપેન્ડન્ટ હોવુ જરૂરી છે. કારણ કે તે ખુદ કમાય છે અને તેના નિર્ણયો પર તેનો કંટ્રોલ હોય છે. તેમણે એ પણ કહ્યુ કે જ્યા સુધી મહિલાઓને આર્થિક આઝાદી નહીં મળે, ત્યા સુધી સમાજમાં બરાબરી કરવી મુશ્કેલ છે.

આર્થિક રીતે આત્મનિર્ભર ન હોવાનું શુ નુકસાન ?

રાધિકા મર્ચન્ટે યુવતીઓને સલાહ આપી કે ખુદ ને એવા બંધનોમાં ન બાંધવી જોઈએ જ્યાંથી તે ભવિષ્યમાં બહાર ન નીકળી શકે. તેમનુ કહેવુ હતુ કે જ્યારે કોઈપણ મહિલા ફાઈનાન્શિયલ ઈન્ડીપેન્ડેન્ટ નથી હોતી તો તેને કેટલીક સ્થિતિમાં ન ગમે તો પણ રહેવુ પડે છે. જ્યાં તે ખુશ નથી હોતી અને તેને અનેક સમાધાન કરવા પડે છે. એવામાં મહિલાઓ પાસે બહુ ઓછા ઓપ્શન રહી જાય છે અને તે ઈચ્છે તો પણ કંઈ કરી શક્તી નથી. ઉદાહરણ તરીકે જો કોઈ મહિલા એક લગ્નમાં રહેવા નથી માગતી, પરંતુ તે ખુદ આર્થિક રીતે આત્મનિર્ભર નથી તો તેને મજબુરીવશ એ લગ્નમાં કે એ સંબંધમાં રહેવુ પડે છે.

આર્થિક આત્મનિર્ભરતાાનો લઈને સમાજમાં ખોટી ધારણાઓ

ઈન્ડિયન સોસાયટીમાં આ એક મોટી ગેરસમજ છે કે જો ફેમિલી સારુ હોય, પૈસે ટકે સારી સ્થિતિમાં હોય તો મહિલાઓએ કામ કરવાની જરૂર નથી હોતી. પરંતુ આ સત્ય નથી. સાચુ એ છે કે આર્થિક ઈન્ડિપેન્ડેન્સ દરેક મહિલા માટે જરૂરી છે. પછી ભલે તે કોઈપણ બેકગ્રાઉન્ડમાંથી કેમ ન હોય.

કેટલાક લોકો માને છે કે મહિલાઓ માટે ઘરનું કામ જ પુરતુ હોય છે. જેમા બાળકોનું ધ્યાન રાખવુ સામેલ છે પરંતુ પગભર થવુ તેના કરતા પણ વધુ જરૂરી છે.

પૈસા કમાવા માટે છોકરાઓ તો છે તો છોકરીઓેને કમાવાની શું જરૂર?

  • આ એક એવી વિચારધાર છે જે સદીઓથી ચાલી આવે છે, પરંતુ સત્ય એ છે કે આર્થિક આઝાદી દરેક માટે જરૂરી છે, કારણ કે મુશ્કેલી જેન્ડર જોઈને નથી આવતી.
  • આર્થિક રીતે આત્મનિર્ભર બનવાની આસાન રીત
  • આર્થિક રીતે આત્મનિર્ભર બનવા માટે સૌથી પહેલા પોતાનું અલગ બેંક એકાઉન્ટ હોવુ જરૂરી છે. તેને ટ્રસ્ટ સાથે કોઈ લેવાદેવા નથી, તે આપની પર્સનલ સિક્યોરિટી માટે હોય છે.

આજકલ કમાણીના અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. જેમા ફ્રી લાન્સિંગ, ક્લાઉડ કિચન અને અલગ અલગ પ્રકારની નોકરીઓ સામેલ છે. આર્થિક સ્વંતંત્રતાનો મતલબ માત્ર પૈસા કમાવાનો નથી પરંતુ તમે જે કમાયા છો તેને ક્યાં અને કેવી રીતતે ખર્ચ કરવો એ છે, તેના પર પણ ધ્યાન દેવુ જરૂરી છે.

જે પણ પૈસા તમે કમાવ છો, તેને એવી જગ્યાએ ઈન્વેસ્ટ કરો જ્યાંથી ફ્યુચરમાં સારુ રિટર્ન મળી શકે

પોતાના પ્લાનિંગ પર કોન્ફીડેન્સ જરૂર રાખો, પરંતુ જયારે પણ કંઈક નવુ સ્ટાર્ટ કરો તો પહેલા એક પ્લાન B તૈયાર રાખો જેથી પ્લાન A ફેલ થઈ જાય તો તમને વધુ અસર ન થાય, કેટલીકવાર એવુ જોવા મળે છે કે મહિલાઓ ફાઈનાન્સિયલ રીતે ઈન્ડિપેન્ડેન્ટ થઈ જાય છે પરંતુ ખુદ પૈસા ખર્ચ કરવામાં અચકાય છે તો સૌથી પહેલા આ માનસિક બંધનો તોડવાની જરૂર છે.

રામ મંદિરમાં ચોરી:કરોડો દેશવાસીઓની આસ્થા સાથે વિશ્વાસઘાત કરનારા કોણ છે? શુ મોટા માથા પકડાશે કે નાની માછલીઓને આગળ કરી દેવાશે?

Follow Us
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
g clip-path="url(#clip0_868_265)">