AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદી સરકાર આ યોજના હેઠળ ખાતામાં જમા કરી રહી છે 10,000 રૂપિયા, આ રીતે મેળવો લાભ

આ યોજના હેઠળ રૂ. 10,000 શેરી વિક્રેતાઓ(street vendors)ને એક વર્ષ માટે કોઈપણ ગેરંટી વિના(Guarantee free Loan) આપવામાં આવે છે.

મોદી સરકાર આ યોજના હેઠળ ખાતામાં જમા કરી રહી છે 10,000 રૂપિયા, આ રીતે મેળવો લાભ
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 9:15 AM
Share

PM Svanidhi Yojna : કોરોના રોગચાળાએ નાના ઉદ્યોગો અને રોજમદાર શ્રમજીવીઓને સૌથી વધુ અસર કરી છે. હવે આ ઉદ્યોગ ધીમે ધીમે ફરી શરૂ થયો છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ ફેરિયાઓ કે સ્ટ્રીટ વેન્ડર(street vendors) તરીકે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમનો વેપાર ધંધો શરૂ થયો નથી. આવા લોકોએ પરેશાન થવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર રૂ. 10 હજારની નાણાકીય સહાય સીધી તેમના ખાતામાં જમા કરી રહી છે,

કેન્દ્રની મોદી સરકારે દેશના ગરીબ અને આર્થિક રીતે પછાત લોકો માટે વિવિધ યોજનાઓ રજૂ કરી છે. તેમાંથી એક PM સ્વાનિધિ યોજના છે. આ યોજના હેઠળ રૂ. 10,000 સુધીની નાણાકીય મદદ શેરી વિક્રેતાઓને આપવામાં આવે છે. જો તમે આ લોન સમયસર ચૂકવો છો તો સબસિડી પણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે તમારા મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરવાની જરૂર છે.

યોજનાની વિશેષ માહિતી

  • યોજના હેઠળ લોન લેનારનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે.
  • આ લોન ફક્ત તે જ લોકોને મળશે જેઓ 24 માર્ચ, 2020 ના રોજ અથવા તે પહેલા પોતાનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક કર્યો હશે
  • યોજના માર્ચ 2022 સુધી માન્ય છે તેથી જલ્દી પ્રક્રિયા પૂર્ણ કરો.
  • સ્ટ્રીટ વેન્ડર, શહેરી હોય કે અર્ધ-શહેરી કે ગ્રામીણ આ લોન મેળવી શકે છે.
  • આ લોન પર વ્યાજ સબસિડી આપવામાં આવે છે અને રકમ ત્રિમાસિક ધોરણે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

કોઈ ગેરંટીની જરૂર નથી

આ યોજના હેઠળ રૂ. 10,000 શેરી વિક્રેતાઓ(street vendors)ને એક વર્ષ માટે કોઈપણ ગેરંટી વિના(Guarantee free Loan) આપવામાં આવે છે. તમે માસિક ધોરણે લોનની ચુકવણી કરી શકો છો. જો શેરી વિક્રેતા પીએમ સ્વાનિધિ યોજનામાં લોનની નિયમિત ચુકવણી કરે છે તો તેને વાર્ષિક 7% ના દરે વ્યાજ પર વ્યાજ સબસિડી આપવાની જોગવાઈ છે. વ્યાજ સબસિડીની રકમ ત્રિમાસિક ધોરણે લાભાર્થીના બેંક ખાતા (DBT)માં સીધી મોકલવામાં આવશે.

આ પણ વાંચો :  તમારા દ્વારા કચરામાં ફેંકાતા વાળનો કરોડો રૂપિયાનો કારોબાર થાય છે, જાણો વાળના વેપારની રસપ્રદ માહિતી અહેવાલ દ્વારા

આ પણ વાંચો : LIC IPO : દેશના સૌથી મોટા IPO ના શેર મેળવવા તમને મળશે વિશેષ પ્રાધાન્ય પણ પહેલા નિપટાવવું પડશે આ કામ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">