PM નરેન્દ્ર મોદી આજે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સના કાર્યક્રમને સંબોધશે, તેના ફાયદા જણાવશે

|

Dec 12, 2021 | 8:01 AM

ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અંતર્ગત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત સહકારી બેંકોના જમા ખાતાને પણ આવરી લેવામાં આવ્યા છે. આમાં, બચત, ફિક્સ્ડ ડિપોઝિટ, ચાલુ ખાતા અને રિકરિંગ ડિપોઝિટ જેવા તમામ પ્રકારના ખાતાઓ થાપણ વીમા હેઠળ આવરી લેવામાં આવે છે.

PM નરેન્દ્ર મોદી આજે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સના કાર્યક્રમને સંબોધશે, તેના ફાયદા જણાવશે
Prime Minister Narendra Modi (file photo)

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે રવિવારે ‘ડિપોઝીટ ફર્સ્ટ: ગેરેન્ટેડ ટાઇમ બાઉન્ડ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પેમેન્ટ રૂ. 5 લાખ’ એ વિષય પર આધારિત એક કાર્યક્રમને સંબોધશે. PMOએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે આ પ્રસંગે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman), નાણા રાજ્ય મંત્રી અને આરબીઆઈના ગવર્નર (RBI Governor) શક્તિકાંત દાસ (Shaktikanta Das) પણ હાજર રહેશે.

ડિપોઝિટ ઇન્સ્યોરન્સ (Deposit insurance) અંતર્ગત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત સહકારી બેંકોના જમા ખાતાને પણ આવરી લેવામાં આવ્યા છે. આમાં, તમામ પ્રકારના ખાતાઓ જેમ કે બચત ખાતું, ફિક્સ ડિપોઝિટ, ચાલુ ખાતું અને રિકરિંગ ડિપોઝિટ ડિપોઝિટ વીમા હેઠળ આવરી લેવામાં આવે છે.

જો બેંક ડૂબે તો ખાતેદારને મળશે 5 લાખ સુધીની રકમ 
એક મોટા સુધારામાં, સરકારે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કવર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કર્યું છે. થાપણ વીમા મર્યાદાને બેંક દીઠ થાપણકર્તા દીઠ રૂ. 5 લાખ સુધી વધારીને, ગયા નાણાકીય વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ સુરક્ષિત ખાતાઓની સંખ્યા 98.1 ટકા હતી. આ 80 ટકાના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક કરતાં ઘણું વધારે છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

1 લાખ થાપણદારોને 1300 કરોડથી વધુની ચુકવણી
ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશને તાજેતરમાં વચગાળાની ચુકવણીનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો છે. આ રકમ 16 શહેરી સહકારી બેંકોના થાપણદારોને આપવામાં આવી છે. રિઝર્વ બેંકે આ શહેરી સહકારી બેંકો પર નિયંત્રણો લાદ્યા છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 1 લાખ થાપણદારોના વૈકલ્પિક બેંક ખાતાઓમાં 1,300 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ સમારોહમાં કેન્દ્રીય નાણા મંત્રી, નાણા રાજ્ય મંત્રી અને આરબીઆઈ ગવર્નર પણ હાજર રહેશે.

આ પણ વાંચોઃ

Viral: ગજબની કલાકારી ! બેટરીની મદદથી શખ્સે હવામાં ઘુમાવ્યો સિક્કો, વીડિયો જોઈ લોકો આશ્ચર્યમાં પડ્યા

આ પણ વાંચોઃ

હવે હરિયાણાની શાળાઓમા ભણાવાશે ભગવદ ગીતા, આગામી સત્રથી ધોરણ 5 અને 7ના વિદ્યાર્થીઓ વાંચશે ગીતાના શ્લોક

Next Article