AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Jan Dhan Yojana : સાત વર્ષમાં અત્યાર સુધીમાં ખોલાયા 44 કરોડ ખાતા, વિનામુલ્યે મળે છે 2 લાખનો વીમો, જાણો સંપૂર્ણ માહિતી

PMJDY યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 44 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. અન્ય બચત ખાતાઓથી વિપરીત, જન ધન ખાતું ખોલાવતી વખતે કોઈ રકમ જમા કરાવવાની જરૂર નથી. તેમાં 2 લાખનો મફત અકસ્માત વીમો પણ ઉપલબ્ધ છે.

PM Jan Dhan Yojana : સાત વર્ષમાં અત્યાર સુધીમાં ખોલાયા 44 કરોડ ખાતા, વિનામુલ્યે મળે છે 2 લાખનો વીમો, જાણો સંપૂર્ણ માહિતી
Narendra Modi - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 9:05 PM
Share

ઓક્ટોબર 2021 સુધી સાત વર્ષમાં પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હેઠળ બેંક ખાતાઓની સંખ્યા વધીને 44 કરોડ થઈ ગઈ છે. નાણા મંત્રાલયના એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2014ના રોજ સ્વતંત્રતા દિવસના અવસર પર પોતાના સંબોધનમાં આ યોજનાની જાહેરાત કરી હતી. નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે 28 ઓગસ્ટ 2014 ના રોજ આ યોજના લોન્ચ કરવામાં આવી હતી.

આ રાષ્ટ્રીય મિશન એ સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું કે લોકોને બેંક, પૈસા મોકલવાની સુવિધાઓ, લોન, વીમો, પેન્શન જેવી નાણાકીય સેવાઓ સરળતાથી મળી રહે. આર્થિક મામલોના વિભાગના આર્થિક સલાહકાર મનીષા સેન શર્માએ ઉદ્યોગ સંગઠન એસોચેમના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પીએમ જન ધન યોજનાને તેની શરૂઆતથી જ અપાર સફળતા મળી છે. તેમણે કહ્યું કે ઓક્ટોબર 2021 સુધી, લગભગ 44 કરોડ લાભાર્થીઓ બેંકો સાથે જોડવામાં આવ્યા છે અને આ યોજના દ્વારા સરકાર વસ્તીના વંચિત વર્ગ પાસેથી તેમના બેંક ખાતામાં નાણાં જમા કરાવવામાં સફળ રહી છે.

જન ધન ખાતું ખોલાવવા પર ઘણા લાભો મળે છે

અન્ય બચત ખાતાઓથી વિપરીત, જન ધન ખાતું ખોલાવતી વખતે કોઈ રકમ જમા કરાવવાની જરૂર નથી. ખાતું ખુલવાની સાથે, ગ્રાહકને RuPay ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે જે ઘણી સુવિધાઓથી સજ્જ છે. તેના પર તમામ સુવિધાઓ આપવામાં આવે છે જે બાકી બચત ખાતા પર ઉપલબ્ધ છે.

ડેબિટ કાર્ડની સાથે લાઈફ ઈન્સ્યોરન્સ અને ‘પરચેઝ પ્રોટેક્શન બેનિફિટ્સ’ એટલે કે જો કાર્ડ ચોરાઈ જાય અથવા ટ્રાન્ઝેક્શનમાં કોઈ છેતરપિંડી થઈ હોય, તો સરકાર દ્વારા તેના પર ખાતરી પૂર્વક રક્ષણ આપવામાં આવે છે.

2 લાખનું આકસ્મિક કવર

પ્રધાનમંત્રી જન ધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana- PMJDY) હેઠળ, તમને અનેક પ્રકારની આર્થિક સહાય આપવામાં આવે છે. એટલું જ નહીં, કોઈ પણ પ્રીમિયમ ચૂકવ્યા વિના તમને આકસ્મિક કવર પણ આપવામાં આવે છે. 28 ઓગસ્ટ 2018 પછી ખાતું ખોલાવનારા ખાતાધારકોને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળવાનું શરૂ થઈ ગયું છે.

જન ધન ખાતું ખોલવા માટેની મહત્વની બાબતો

  1. 10 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ આ ખાતું ખોલાવી શકે છે.
  2. આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કેવાયસીની જરૂરિયાતને પૂર્ણ કરતા દસ્તાવેજો સબમિટ કરી શકો છો.
  3. જો તમારી પાસે દસ્તાવેજો નથી, તો તમે સ્મોલ એકાઉન્ટ ખોલાવી શકો છો.
  4. તેમાં તમારે સ્વ-પ્રમાણિત ફોટોગ્રાફ અને બેંક અધિકારીની સામે તમારી સહી કરવાની રહેશે.
  5. જન ધન ખાતું ખોલવા માટે તમારે કોઈ પણ પ્રકારની ફી અથવા ચાર્જ ચૂકવવાની જરૂર નથી.

જન ધન ખાતાના ઘણા ફાયદા

  1. 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવચ
  2. 6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા
  3. ફ્રી મોબાઇલ બેંકિંગ, થાપણો પર વ્યાજ
  4. RuPay ડેબિટ કાર્ડ, જેના દ્વારા તમે પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.
  5. સરકારી યોજનાઓના લાભના સીધા પૈસા ખાતામાં આવે છે.
  6. દેશભરમાં નાણાં ટ્રાન્સફર કરી શકે છે.
  7. જન ધન ખાતા દ્વારા વીમા અને પેન્શન ઉત્પાદનો ખરીદવાનું સરળ છે.

આ પણ વાંચો :  BHARUCH : ઉદ્યોગ નગરીમાં રંગીન પશુઓ અને માણસ નજરે પડયા, જાણો દિવાળીમાં કેમ દેખાયા હોળી જેવા દ્રશ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">