AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm તેના IPO નું કદ વધારી 18000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે! નવેમ્બરમાં આવી શકે છે કમાણીની આ તક

Paytm એ સેબીને સુપરત કરેલા ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) માં જણાવ્યું હતું કે તે 16,600 કરોડ એકત્ર કરશે પરંતુ આ દરમિયાન આઈપીઓ પહેલા 2,000 કરોડ એકત્ર કરવાની તેમની યોજના છે.

Paytm તેના IPO નું કદ વધારી 18000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે! નવેમ્બરમાં આવી શકે છે કમાણીની આ તક
Paytm IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 7:10 AM
Share

SEBI (Securities and Exchange Board of India) એ Paytm ને 16,600 કરોડ રૂપિયાનો IPO (Initial Public Offering) લાવવાની મંજૂરી આપી છે. જોકે Paytm તેના IPOનું કદ વધારી શકે છે. કંપની IPO દ્વારા 18,000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. અગાઉ તેણે રૂ 16,600 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. કંપની આ વર્ષે નવેમ્બર મહિનામાં લિસ્ટિંગ કરી શકે છે.

DRHPમાં 16,600 કરોડ નો ઉલ્લેખ Paytm એ સેબીને સુપરત કરેલા ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) માં જણાવ્યું હતું કે તે 16,600 કરોડ એકત્ર કરશે પરંતુ આ દરમિયાન આઈપીઓ પહેલા 2,000 કરોડ એકત્ર કરવાની તેમની યોજના છે. આ પ્રયાસ સામે અડચણ આવતી હોય તેમ લાગે છે કારણ કે પેટીએમ 20 અબજ ડોલરના મૂલ્ય પર આ 2,000 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગતુંહતું જ્યારે રોકાણકારો 15 અબજની વેલ્યુએશન પર રોકાણ કરવા માગે છે.

યોજનામાં વિક્ષેપ આવી રહ્યો છે અહેવાલો મળી રહ્યા છે કે Paytm હવે IPOનું કદ 1 થી 2 હજાર કરોડ રૂપિયા વધારી શકે છે. IPO માં Paytm એ રિટેલ રોકાણકારો માટે માત્ર 10% અનામત રાખ્યું છે. બાકીના 15% બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને 75% યોગ્ય સંસ્થાકીય (QIB) માટે અનામત છે. QIB ના 60% સુધી એન્કર રોકાણકારો માટે આરક્ષિત કરી શકે છે.

એન્કર રોકાણકારો એક દિવસ પહેલા રોકાણ કરે છે એન્કર રોકાણકારો IPO ખુલવાના એક દિવસ પહેલા રોકાણ કરે છે. જ્યારે બાકીના રોકાણકારો IPO ખુલ્યા બાદ રોકાણ કરે છે. એન્કર રોકાણકારોમાં વિદેશી રોકાણકારો (FII), મ્યુચ્યુઅલ ફંડ્સ, બેંકો, કંપનીઓ વગેરેનો સમાવેશ થાય છે. Paytm IPOમાં જે કદ વધારવા માંગે છે તે ઑફર ફોર સેલ (OFS) અને પ્રાથમિક શેરનો ભાગ હશે. OFS એટલે કે જેઓ પહેલાથી જ કંપનીમાં રોકાણ કરી રહ્યા છે તેઓ અથવા પ્રમોટર વધુ શેર વેચી શકે છે.

કોને કેટલો લાભ થશે ? એલિવેશન કેપિટલે રૂ. 78 ના ભાવે 42 લાખ શેર ખરીદ્યા છે. તેને 49 ગણો લાભ મળી શકે છે. સૈફ પાર્ટનર્સ ઇન્ડિયાએ 3.96 કરોડ શેર 306 રૂપિયામાં ખરીદ્યા છે. તેનો અર્થ એ છે કે તેને 12.40 ગણો લાભ મળશે. ચીનના અલીબાબા ગ્રુપે 583 રૂપિયાના ભાવે 4.42 કરોડ શેર ખરીદ્યા છે. તેને IPO માં 6 ગણાથી વધુ લાભ મળશે.

આ પણ વાંચો :  ITR Filing: નવું ઇન્કમ ટેક્સ પોર્ટલ આજે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં, જાણો કઈ સુવિધાઓ પ્રભાવિત થશે?

આ પણ વાંચો : ICICI Bank Q2 Results: બીજા ક્વાર્ટરમાં પ્રોફિટમાં આવ્યો 25 ટકાનો ઉછાળો, કુલ 6,092 કરોડની કમાણી

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">