AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI Bank Q2 Results: બીજા ક્વાર્ટરમાં પ્રોફિટમાં આવ્યો 25 ટકાનો ઉછાળો, કુલ 6,092 કરોડની કમાણી

ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક ICICI બેન્કે સપ્ટેમ્બર ક્વાર્ટરનું પરિણામ જાહેર કર્યું છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંકના નેટ પ્રોફિટમાં 25 ટકાનો ઉછાળો આવ્યો છે.

ICICI Bank Q2 Results: બીજા ક્વાર્ટરમાં પ્રોફિટમાં આવ્યો 25 ટકાનો ઉછાળો, કુલ 6,092 કરોડની કમાણી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 8:50 PM
Share

ખાનગી ક્ષેત્રની ICICI બેંકનો નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક ગાળામાં એકીકૃત ચોખ્ખો નફો 24.7 ટકા વધીને 6,092 કરોડ રૂપિયા થયો છે. બેંકે સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી હતી. બેન્કે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 4,882 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.

ICICI બેન્કે જણાવ્યું હતું કે ક્વાર્ટર દરમિયાન તેની કુલ આવક નજીવી રીતે વધીને 39,484.50 કરોડ રૂપિયા થઈ હતી. જે 2020-21ના સમાન સમયગાળામાં 39,289.60 કરોડ રૂપિયા હતી. એકલ આધાર પર ક્વાર્ટર દરમિયાન બેન્કનો ચોખ્ખો નફો 30 ટકા વધીને  5,511 કરોડ રૂપિયા થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 4,251 કરોડ રૂપિયા હતો. એકલ આધાર પર ક્વાર્ટર દરમિયાન બેંકની આવક 23,651 કરોડ રૂપિયાથી વધીને 26,031 કરોડ થઈ છે.

એસેટ ક્વોલિટીમાં આવ્યો સુધારો

બેંકની એસેટ ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો. તેની કુલ નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ઘટીને 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ લોનના 4.82 ટકા થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં 5.17 ટકા હતી. બેંકની નેટ એનપીએ પણ એક ટકાથી ઘટીને 0.99 ટકા થઈ છે.

HDFC બેંકનું પરિણામ કેવું હતું

HDFC બેંકે ગયા અઠવાડિયે પરિણામ જાહેર કર્યું હતું. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેન્કનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 17.6 ટકા વધ્યો હતો. કંપનીનો ચોખ્ખો નફો  8,834.30 કરોડ રૂપિયા રહ્યો હતો. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં બેન્કનો નફો 7,513.11 કરોડ રૂપિયા હતો.

નેટ ઈન્ટ્રેસ્ટ ઈન્કમ 12.1% વધી

એચડીએફસી બેન્કે જણાવ્યું હતું કે તેની ચોખ્ખી વ્યાજ આવક (NII) ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે 12.1 ટકા વધીને 17,684.40 કરોડ રૂપિયા થઈ છે. NII બેંક દ્વારા લોનમાંથી મેળવેલ વ્યાજની આવક અને થાપણદારોને ચૂકવવામાં આવેલા વ્યાજ વચ્ચેનો તફાવત છે. NII એક વર્ષ અગાઉના ત્રિમાસિક ગાળામાં  15,776.40 કરોડ રૂપિયા હતું. ક્વાર્ટર માટે કોર નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NIM) 4.1 ટકા પર રહી છે.

પ્રોવિઝનીંગ વધી ગઈ છે

ક્વાર્ટર માટે પ્રોવિઝનિંગ અને આકસ્મિકતા વધીને  3,924.70 કરોડ રૂપિયા થઈ છે. એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં તે 3,703.50 કરોડ રૂપિયા રહી હતી. બેંકે કહ્યું કે ત્રિમાસિક માટે કુલ પ્રોવિઝનિંગ 1,200 કરોડ રૂપિયાની આકસ્મિક જોગવાઈનો સમાવેશ થયો છે. જૂન ક્વાર્ટરના અંતે પ્રોવિઝનિંગ અને આકસ્મિકતા  4830.84 કરોડ રહી હતી. તેથી પ્રોવિઝનિંગમાં ઘટાડો થયો છે, પરંતુ તે વાર્ષિક ધોરણે વધુ રહી છે.

એસેટની ક્વોલિટીમાં પણ સુધારો થયો છે

બેંકની એસેટ ગુણવત્તામાં પણ સુધારો થયો છે. 30 સપ્ટેમ્બર 2021ના રોજ કંપનીની કુલ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (GNPA) કુલ એડવાન્સિસના 1.35 ટકા હતી. આ 30 જૂન 2021ના ​​1.47 ટકા અને 30 સપ્ટેમ્બર 2020ના 1.37 ટકા હતી. જ્યારે 30 સપ્ટેમ્બર 2021ના રોજ નેટ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) નેટ એડવાન્સિસના 0.40 ટકા રહી હતી.

આ પણ વાંચો :  Uttar Pradesh: વિધાનસભા ચૂંટણી 2022 પહેલા કોંગ્રેસ અને બસપાને લાગ્યો મોટો ઝટકો, અનેક નેતા અને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">