AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Stock Market Crash: 3,000 પોઈન્ટ તૂટ્યું કંગાળ પાકિસ્તાનનું શેરબજાર, 30,000 કરોડથી વધુ રૂપિયા ડૂબ્યાં !

પાકિસ્તાનના શેરબજારમાં 11 નવેમ્બર 2025ના રોજ KSE-100 ઇન્ડેક્સ 3,000 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને રૂ. 30,000 કરોડથી વધુનું નુકસાન થયું.

Pakistan Stock Market Crash: 3,000 પોઈન્ટ તૂટ્યું કંગાળ પાકિસ્તાનનું શેરબજાર, 30,000 કરોડથી વધુ રૂપિયા ડૂબ્યાં !
| Updated on: Nov 11, 2025 | 7:29 PM
Share

કરાચી, 11 નવેમ્બર 2025: પાકિસ્તાનના શેરબજારમાં મંગળવારે ભારે કડાકો નોંધાયો. મુખ્ય શેરબજાર સૂચકાંક KSE-100 ઇન્ડેક્સ 3,000 પોઈન્ટ તૂટીને 158,548ના સ્તર સુધી પહોંચી ગયો, જે 2%નો ઘટાડો દર્શાવે છે. આ એક જ દિવસે રોકાણકારોએ રૂ. 30,000 કરોડથી વધુનું નુકસાન વેઠવું પડ્યું.

પાછલા એક વર્ષમાં આ સૂચકાંકમાં 70%થી વધુનો વધારો નોંધાયો હતો, પરંતુ અચાનક વેચવાલીના દબાણે બજારની દિશા સંપૂર્ણપણે બદલી નાખી. નફા-બુકિંગ, નબળા કોર્પોરેટ પરિણામો, રાજકીય અસ્થિરતા અને વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી, આ તમામ પરિબળોએ બજારની ભાવનાને નબળી બનાવી છે.

નિષ્ણાતોનું માનવું છે કે તાજેતરના આતંકવાદી હુમલાઓ અને આંતરિક રાજકીય તણાવને કારણે રોકાણકારોમાં ભયનું માહોલ સર્જાયો છે.

પાકિસ્તાનનું શેરબજાર કેમ તૂટયું?

ઘટાડા માટેના 5 મુખ્ય કારણો અહીં છે:

1. મોટા કોર્પોરેટ્સના નબળા પરિણામો એન્ગ્રો, બેંક ઓફ પંજાબ (BOP), સિસ્ટમ્સ લિમિટેડ, UBL અને MCB બેંક જેવી અગ્રણી કંપનીઓના ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં નબળા રહ્યા. આને કારણે રોકાણકારોની સેન્ટિમેન્ટમાં ઠંડક આવી.

2. આર્થિક મંદીની ચિંતા

  • પાકિસ્તાનની મેક્રોઇકોનોમિક સ્થિતિ હજુ પણ નબળી છે.
  • વ્યાજદરો અંગે અનિશ્ચિતતા
  • વધતો ફુગાવો
  • ભારે વિદેશી દેવું આ તમામ પરિબળો બજાર પર ભારે દબાણ લાવી રહ્યા છે.

3. રાજકીય અસ્થિરતા

સ્થાનિક રાજકીય ઉથલપાથલ અને શાસન સંકટને કારણે રોકાણકારોમાં ભય વધી રહ્યો છે. પરિણામે, ઘણા રોકાણકારો સલામત આશ્રયસ્થાનો તરફ વળી રહ્યા છે.

4. ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો અને અસ્થિરતા

બજારમાં ઉતાર-ચઢાવ વધતા, ટ્રેડિંગ વોલ્યુમ ઘટ્યો અને ઘટાડો વધુ તીવ્ર બન્યો. દિવસ દરમિયાન ઇન્ડેક્સમાં 1.28% સુધીનો ઘટાડો નોંધાયો.

5. વિદેશી રોકાણકારોનું ભારે વેચાણ

નવેમ્બર 2025 સુધીમાં અનેક વિદેશી ફંડ્સ પાકિસ્તાનમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહ્યા છે. સૌથી વધુ વેચાણ સિંગાપોર આધારિત રોકાણ ભંડોળ દ્વારા થયું છે. ત્યારબાદ યુએઈ અને યુએસએના પોર્ટફોલિયો ફંડ્સે પણ રોકાણ ઘટાડ્યું છે. કેટલાક યુરોપિયન ફંડ્સ પણ આ વેચવાલીમાં જોડાયા છે.

ડેટા શું કહે છે?

1 દિવસનો ઘટાડો: 1.85%

1 મહિનાનો ફેરફાર: +0.07%

1 વર્ષનો વધારો: +70.07%

આંકડાઓ દર્શાવે છે કે લાંબા ગાળે બજાર હજી પણ તેજી ઝોનમાં છે, પરંતુ ટૂંકા ગાળાનું દબાણ સ્પષ્ટપણે વધી ગયું છે.

શું અનિલ અંબાણીની કંપનીનો સ્ટોક ફરી વધશે ! આવી ગઈ મોટી અપડેટ

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">