હવે અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડવું મોંઘુ થશે, RBI એ એટીએમ ઇન્ટરચેંજ ફી માં વધારો કર્યો

હવે ATM માંથી પૈસા ઉપાડવું મોંઘુ થશે .રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ અન્ય બેંકના ATM દ્વારા કરવામાં આવતા દરેક આર્થિક વ્યવહાર પર એટીએમ ઇન્ટરચેંજ ફી (ATM Interchange Fees)15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરી દીધી છે.

હવે અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડવું મોંઘુ થશે, RBI એ એટીએમ ઇન્ટરચેંજ ફી માં વધારો કર્યો
ATM
Follow Us:
| Updated on: Jun 11, 2021 | 8:05 AM

હવે ATM માંથી પૈસા ઉપાડવું મોંઘુ થશે .રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ અન્ય બેંકના ATM દ્વારા કરવામાં આવતા દરેક આર્થિક વ્યવહાર પર એટીએમ ઇન્ટરચેંજ ફી (ATM Interchange Fees)15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરી દીધી છે. ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન(Free ATM Transaction) પછી ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા કસ્ટમર ચાર્જીસની મહત્તમ મર્યાદા રૂ 20 થી વધારીને 21 કરવામાં આવી છે.

ઇન્ટરચેંજ ફીમાં વધારો 1 જાન્યુઆરી, 2022 થી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે બેંક ગ્રાહકો દર મહિને ATM માંથી 5 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. ઘણા સમયથી આ ચાર્જીસમાં વધારાની માંગ થઇ રહી જે ઉપર આખરે નિર્ણય લઇ લેવામાં આવ્યો છે.

ઇન્ટરચેંજ ફી શું છે અને તે કેવી રીતે અસરકારક છે સુ તમે જાણો છો એટીએમ ઇન્ટરચેંજ ફી શું છે? જો બેંક ‘A’ નો ગ્રાહક તેના કાર્ડનો ઉપયોગ કરીને બેંક B’ એટીએમમાંથી પૈસા ઉપાડે છે, તો બેંક ‘A’ ને બીજી બેંકને ચોક્કસ ફી ચૂકવવી પડે છે. આને એટીએમ ઇન્ટરચેંજ ફી કહેવામાં આવે છે. ઘણાં વર્ષોથી ખાનગી બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરો ઇંટરચેંજ ફીમાં રૂ 15 થી વધારીને 18 રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો ફ્રી લિમિટ પછી અન્ય બેંકના એટીએમમાંથી નાણાં ઉપાડવું હવે ગ્રાહકોને મોંઘુ પડશે. જૂન 2019 માં ભારતીય બેંકોના એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિની ભલામણોને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

RBIએ કેમ ચાર્જીસ વધાર્યા રિઝર્વ બેંકે કહ્યું છે કે આ અગાઉ ઓગસ્ટ 2012 માં એટીએમ ઇન્ટરચેંજ ફી બદલવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રાહકો પર લાગુ શુલ્કમાં ઓગસ્ટ 2014 માં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં સમિતિની ભલામણોની તપાસ કર્યા પછી ઇન્ટરચેંજ ફી અને ગ્રાહક શુલ્ક વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ કહ્યું કે આ નિર્ણય બેંકો અને એટીએમ ઓપરેટરો પર એટીએમ ડિપ્લોયમેન્ટ ખર્ચ અને જાળવણી ખર્ચની સાથે તમામ હિસ્સેદારો અને ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકે નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો બંને માટે ઇન્ટરચેંજ ફીમાં વધારો કર્યો છે. સેન્ટ્રલ બેંકે નાણાંકીય વ્યવહારો માટેની ફી 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરી છે જે 1 ઓગસ્ટ 2021 થી લાગુ થશે. આ ઓર્ડર કેશ રિસાયકલ મશીન દ્વારા કરવામાં આવતા વ્યવહારો પર પણ લાગુ થશે.

Latest News Updates

રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">