Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી બેંકો માટે સારા સમાચાર! દરેક સરકારી બેંક નફામાં, એપ્રિલથી ડિસેમ્બર 2021 દરમિયાન થયો 48,874 કરોડ રૂપિયાનો નફો

સંસદમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં દેશની કોઈપણ જાહેર ક્ષેત્રની બેંકને કોઈ નુકસાન થયું નથી, ઉપરાંત તેમના સ્વાસ્થ્યમાં સતત સુધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકોનો નફો 48,874 કરોડ રૂપિયા રહ્યો. સરકાર વતી નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે આ માહિતી આપી છે.

સરકારી બેંકો માટે સારા સમાચાર! દરેક સરકારી બેંક નફામાં, એપ્રિલથી ડિસેમ્બર 2021 દરમિયાન થયો 48,874 કરોડ રૂપિયાનો નફો
Bank (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 8:07 PM

સરકારે સંસદમાં જણાવ્યું હતું કે એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે જાહેર ક્ષેત્રની કોઈપણ બેંકને (Public Sector Bank) નુકસાન થયું નથી. રાજ્યના નાણાપ્રધાન ભગવત કરાડે રાજ્યસભામાં જણાવ્યું હતું કે 2020-21માં જાહેર ક્ષેત્રની બેંકોએ કુલ 31,820 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. જો કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં બેન્કોએ આના કરતાં વધુ નફો કર્યો છે. રાજ્યમંત્રી 2010 પછી જાહેર ક્ષેત્રની બેંકોના નુકસાન અને ફાયદા વિશે માહિતી આપી રહ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષના ત્રણ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલ 2021થી ડિસેમ્બર સુધી એક પણ જાહેર ક્ષેત્રની બેંક ખોટમાં રહી નથી. આ સમયગાળા દરમિયાન બધી બેન્કોએ કુલ 48,874 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.

દેશમાં હાલ 12 સરકારી બેંકો

હાલમાં દેશમાં જાહેર ક્ષેત્રની 12 બેંકો છે. આમાં સૌથી મોટી બેંકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડા સાથે કેનેરા બેંક છે. આમાંથી ચાર બેંકોને બીજા સાથે મર્જ કરવાની તૈયારી ચાલી રહી છે. તેમાં બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક છે.

2015-16થી સરકારી બેંકોની ખોટ વધી હતી

જો કે 2015-16થી 2019-20 સુધી ઘણી જાહેર ક્ષેત્રની બેંકો ખોટમાં હતી. 2017-18માં આ બેંકોની કુલ ખોટ રૂ. 85,370 કરોડ હતી, જે 2018-19માં ઘટીને રૂ. 66,636 કરોડ થઈ હતી. 2019-20માં આ બેંકોને 25,941 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતુ, જ્યારે 2015-16માં તેમની ખોટ 17,993 કરોડ રૂપિયા હતી. 2016-17માં તેમને 11,389 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

દીકરીના જન્મ પર સરકાર આપશે 1.5 લાખ રૂપિયા
IPL 2025ના તે ખેલાડીઓ જેમને BCCI તરફથી મળે છે પેન્શન
Nita Ambani New Look : નીતા અંબાણીનો પરંપરાગત સાડીમાં નવો લુક, જુઓ Photos
AC નું આયુષ્ય કેટલું હોય છે અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
IPLમાં અમ્પાયરોને કેટલો પગાર મળે છે?
SBI માંથી 30 લાખની હોમ લોન લેવા પગાર કેટલો હોવો જોઈએ ?

નાણાકીય વર્ષ 2009-10થી 2014-15 દરમિયાન સરકારી બેંકો નફામાં હતી. 31 માર્ચ 2010થી 31 માર્ચ 2021 દરમિયાન આ બેંકોની કુલ શાખાઓની સંખ્યા 58,653થી વધીને 84,694 થઈ ગઈ છે. આમાં મેટ્રોપોલિટન વિસ્તારોમાં શાખાઓની સંખ્યા 13,596થી વધીને 16,369 જ્યારે અર્ધ-શહેરી વિસ્તારોમાં 14,959થી વધીને 23,347 થઈ.

ડીજીટલ પેમેન્ટને લઈને ભાર મુકવામાં આવી રહ્યો છે

ડિજિટલ પેમેન્ટ અંગે કરાડે કહ્યું કે સરકાર તેને સતત પ્રોત્સાહિત કરી રહી છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું એ સરકારની પ્રાથમિકતા છે. મુશ્કેલી મુક્ત અને સરળ બેંકિંગ વ્યવહારો માટે આ જરૂરી છે. તેમણે કહ્યું કે રિઝર્વ બેંકને સલાહ આપવામાં આવી છે કે બચત બેંક ખાતાધારક પાસેથી નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) માટે કોઈ ચાર્જ ન વસૂલવામાં આવે. ભલે તે ઓનલાઈન મોબાઈલ બેંકિંગ દ્વારા કરવામાં આવે કે મોબાઈલ એપ દ્વારા તેનો અમલ 1 જાન્યુઆરી 2020થી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  MONEY9: તમારે FD જેટલું સલામત પરંતુ તેના કરતાં વધુ રિટર્ન જોઇએ છે ? આ વિકલ્પ વિચારવા જેવો છે

રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
g clip-path="url(#clip0_868_265)">