AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NBFC Rules News: RBI એ લોન આપવાના નિયમો બદલ્યા, જાણો કોને શું થશે અસર?

ધિરાણ માટે NBFCs પરના સુધારેલા નિયમનકારી નિયંત્રણો પર જારી કરાયેલા નોટિફિકેશનમાં કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે 5 કરોડ રૂપિયાથી ઓછીની લોન માટે, આ ઋણ લેનારાઓને યોગ્ય સત્તા દ્વારા મંજૂરી આપી શકાય છે

NBFC Rules News: RBI એ લોન આપવાના નિયમો બદલ્યા, જાણો કોને શું થશે અસર?
Reserve Bank of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 2:39 PM
Share

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કહ્યું કે નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ (NBFCs) એ રિયલ એસ્ટેટ સેક્ટરને તેમના પ્રોજેક્ટ્સ માટે તમામ જરૂરી મંજૂરીઓ મેળવ્યા પછી જ લોન આપવી જોઈએ. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું કે એનબીએફસીએ લોન મંજૂર કરતા પહેલા સરકાર અને અન્ય નિયમનકારી સત્તાવાળાઓ પાસેથી તેમના પ્રોજેક્ટની મંજૂરીની ખાતરી કરવાની જરૂર પડશે. આ સિવાય આરબીઆઈએ એમ પણ કહ્યું કે NBFCએ તેમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અથવા તેમના સંબંધીઓ અને સંબંધિત સંસ્થાઓ સહિત તેમના ડિરેક્ટર્સને 5 કરોડ રૂપિયા અને તેનાથી વધુની લોન આપવી જોઈએ નહીં. આ નિયમો ઓક્ટોબરથી લાગુ થશે.

આરબીઆઈએ શું સૂચના આપી ?

ધિરાણ માટે NBFCs પરના સુધારેલા નિયમનકારી નિયંત્રણો પર જારી કરાયેલા નોટિફિકેશનમાં કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે 5 કરોડ રૂપિયાથી ઓછીની લોન માટે, આ ઋણ લેનારાઓને યોગ્ય સત્તા દ્વારા મંજૂરી આપી શકાય છે પરંતુ આ મામલો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સમક્ષ ઉઠાવવામાં આવશે. લાવવુ

“NBFCs, રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી લોનની અરજીઓને ધ્યાનમાં લેતા તે સુનિશ્ચિત કરશે કે સંબંધિત ઋણ લેનારાઓ તેમના પ્રોજેક્ટ્સ માટે સરકાર/સ્થાનિક સત્તા/અન્ય વૈધાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવે” તેમ RBI એ જણાવ્યું હતું. સર્વોચ્ચ બેંકે જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં લોન મંજૂર કરી શકાય છે પરંતુ લોન લેનાર તેના પ્રોજેક્ટ અંગે સરકાર/અન્ય વૈધાનિક સંસ્થાઓ પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવે પછી જ તેનું વિતરણ થશે. આ માર્ગદર્શિકા 1 ઓક્ટોબર 2022 થી અમલમાં આવશે અને મધ્યમ સ્તર (ML) અને ઉચ્ચ સ્તર (UL) NBFCs પર લાગુ થશે.

મૂળભૂત સ્તરની NBFCs શું છે?

મૂળભૂત સ્તર (BL) NBFC એ એવી છે જે થાપણો સ્વીકારતી નથી અને તેમની પાસે રૂ. 1,000 કરોડથી ઓછી સંપત્તિ છે. બીજી બાજુ મધ્ય-સ્તરની નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ પણ થાપણો સ્વીકારતી નથી પરંતુ તેમની સંપત્તિનું કદ રૂ. 1,000 કરોડ કે તેથી વધુ છે. તે જ સમયે ઉચ્ચ સ્તરની NBFC એ એવી છે કે જેને રિઝર્વ બેંક દ્વારા નિયમનકારી જરૂરિયાતો વધારવા માટે ઓળખવામાં આવી છે.

આ પણ વાંચો : જો આધાર કાર્ડને લગતી કોઈ સમસ્યા હોય તો આ નંબરને ડાયલ કરો, તરત જ મળી જશે ઉકેલ

આ પણ વાંચો : Multibagger Stocks: 1.69 રૂપિયાના મલ્ટિબેગર સ્ટોકે 7000 ટકા રિટર્ન આપ્યું, રોકાણકારોના 1 લાખ 71 લાખ થયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">