AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણીની સેલેરી સતત બીજા વર્ષે શૂન્ય રહી, જાણો શું છે તેની પાછળનું કારણ

મુકેશ અંબાણીએ (Mukesh Ambani) પોતાની ફ્લેગશિપ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( Reliance Industries) પાસેથી સતત બીજા વર્ષે કોઈ પગાર લીધો નથી. વ્યાપાર અને અર્થવ્યવસ્થાને અસર કરી રહેલા કોરોના વાયરસ રોગચાળાને કારણે અંબાણીએ સ્વેચ્છાએ પોતાનો પગાર છોડી દીધો હતો.

મુકેશ અંબાણીની સેલેરી સતત બીજા વર્ષે શૂન્ય રહી, જાણો શું છે તેની પાછળનું કારણ
Mukesh Ambani (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 7:25 PM
Share

અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ (Mukesh Ambani) પોતાની ફ્લેગશિપ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) પાસેથી સતત બીજા વર્ષે કોઈ પગાર લીધો નથી. વ્યાપાર અને અર્થવ્યવસ્થાને અસર કરી રહેલા કોરોના વાયરસ રોગચાળાને કારણે અંબાણીએ સ્વેચ્છાએ પોતાનો પગાર છોડી દીધો હતો. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21 માટે અંબાણીની સેલરી શૂન્ય હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જૂન 2020માં સ્વેચ્છાએ 2020-21 માટે તેમનો પગાર છોડવાનો નિર્ણય લીધો હતો.

કોરોના મહામારીના કારણે લેવામાં આવ્યો નિર્ણય

અંબાણીએ આ નિર્ણય કોરોના વાયરસ રોગચાળાને કારણે લીધો છે, જેણે દેશના આર્થિક અને ઔદ્યોગિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી છે. અંબાણીએ 2021-22માં પણ તેમનો પગાર લીધો ન હતો. તેમણે આ બંને વર્ષોમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેની તેમની ભૂમિકા માટે રિલાયન્સ પાસેથી કોઈપણ ભથ્થાં, અનુમતિઓ, નિવૃત્તિ લાભો, કમિશન અથવા સ્ટોક વિકલ્પોનો લાભ લીધો ન હતો. અગાઉ, વ્યક્તિગત દાખલો બેસાડતા, તેમણે 2008-09થી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના પગારને 15 કરોડ રૂપિયા સુધી મર્યાદિત કર્યો હતો.

તેમના પિતરાઈ ભાઈઓ નિખિલ અને હેતલ મેસવાણીનો પગાર 24 કરોડ રૂપિયામાં યથાવત રહ્યો, પરંતુ આ વખતે તેમાં 17.28 કરોડ રૂપિયાનું કમિશન સામેલ છે. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ પીએમએસ પ્રસાદ અને પવન કુમાર કપિલના મહેનતાણામાં થોડો ઘટાડો થયો છે.

અંબાણીની Jio ટૂંક સમયમાં 5G સેવાઓ શરૂ કરશે

આ સિવાય તમને જણાવી દઈએ કે 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં સૌથી મોટી બોલી લગાવનાર રિલાયન્સ જિયોએ ગયા સોમવારે કહ્યું હતું કે, રાષ્ટ્રવ્યાપી ફાઈબરની ઉપલબ્ધતા અને મજબૂત વૈશ્વિક ભાગીદારી સાથે, તે શક્ય તેટલા ઓછા સમયમાં 5G સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે. કંપનીએ એમ પણ કહ્યું કે Jio વિશ્વ સ્તરીય, સસ્તું 5G સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ એમ અંબાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જિયો વિશ્વસ્તરીય અને સસ્તી 5G સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.

અંબાણીએ કહ્યું હતું કે તેઓ આવી સેવાઓ, પ્લેટફોર્મ અને સોલ્યુશન આપશે. જે ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય સંભાળ, કૃષિ, ઉત્પાદન અને ઈ-ઓપરેશન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભારતની ડિજિટલ ક્રાંતિને વેગ આપશે. તેમણે કહ્યું કે તેઓ સમગ્ર ભારતમાં 5Gના અમલીકરણ સાથે સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરશે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">